શોધખોળ કરો

Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિ પર આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો; પાકિસ્તાનને ફરી આપી ચેતવણી

Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધીને લઈને હેગ સ્થિત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનના ચુકાદાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે હેગની કોર્ટ ઓફ આર્બિટ્રેશનના નિર્ણયને ફગાવ્યો.
  • ગેરકાયદેસર રીતે રચાયેલી અદાલતને ભારત માન્યતા આપતું નથી.
  • આતંકવાદ રોકાય નહીં ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.
  • પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે.

Indus Waters Treaty: ભારતે સિંધુ જળ સંધિને લઈને હેગ સ્થિત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CoA) ના તાજેતરના નિર્ણયને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે આ અદાલત ગેરકાયદેસર રીતે રચવામાં આવી છે અને તેનું કોઈ કાનૂની અસ્તિત્વ નથી. તેથી તેના કોઈપણ નિર્ણય, આદેશ કે કાર્યવાહીને ભારત માન્યતા આપતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયાના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે રચાયેલી કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશને 15 મે 2026 ના રોજ સિંધુ જળ સંધિ હેઠળ મહત્તમ જળ સંગ્રહ ક્ષમતા (Maximum Pondage) ને લગતા મામલામાં એક કથિત નિર્ણય જાહેર કર્યો છે.

 

તેમણે કહ્યું કે ભારત આ કથિત નિર્ણયને સંપૂર્ણપણે નકારે છે, જેમ અગાઉ આપવામાં આવેલા તમામ નિર્ણયોને ફગાવી દેવામાં આવ્યા હતા. ભારતે ક્યારેય આ અદાલતની રચનાને માન્યતા આપી નથી. આવી સ્થિતિમાં આ અદાલતની કોઈપણ કાર્યવાહી, નિર્ણય કે આદેશનું કોઈ કાનૂની મહત્વ નથી અને તે સંપૂર્ણપણે 'નલ એન્ડ વોઈડ' એટલે કે શૂન્ય અને અમાન્ય છે.

આ પણ વાંચો...Weather: 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો નિર્ણય યથાવત

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો ભારતનો નિર્ણય હજુ પણ અમલમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ સિંધુ નદી પ્રણાલીના જળ ઉપયોગને લઈને આ સંધિ થઈ હતી. ભારતે ગયા વર્ષે પહલગામ આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના સાર્વભૌમ અધિકારોનો ઉપયોગ કરીને આ સંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદને વિશ્વસનીય અને સ્થાયી રૂપે સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.

ભારત બોલ્યું- સાર્વભૌમ અધિકારો પર સવાલ ઉઠાવવાનો અધિકાર નથી

વિદેશ મંત્રાલયે જૂન 2025 માં પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે જ્યાં સુધી સંધિ સ્થગિત છે, ત્યાં સુધી ભારત આ કરાર હેઠળના કોઈપણ દાયિત્વને નિભાવવા માટે બંધાયેલું નથી. ભારતે કહ્યું કે કોઈ પણ કોર્ટ ઓફ આર્બિટ્રેશન, ખાસ કરીને આવી ગેરકાયદેસર રીતે રચાયેલી સંસ્થા, ભારતના સાર્વભૌમ અધિકારો હેઠળ લેવાયેલા પગલાંની કાયદેસરતા પર સવાલ ઉઠાવી શકે નહીં.

કિશનગંગા અને રતલે પરિયોજનાઓને લઈને પણ વિવાદ થયો હતો

ગયા વર્ષે પણ વિદેશ મંત્રાલયે કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનની ટીકા કરી હતી, જ્યારે તેણે જમ્મુ-કાશ્મીરમાં કિશનગંગા અને રતલે જલવિદ્યુત પરિયોજનાઓને લઈને પોતાના અધિકાર ક્ષેત્ર પર “સપ્લીમેન્ટલ એવોર્ડ” જાહેર કર્યો હતો. ભારતે તે સમયે પણ કહ્યું હતું કે તેણે ક્યારેય આ કથિત અદાલતના કાનૂની અસ્તિત્વને સ્વીકાર્યું નથી. ભારત મુજબ, આ મધ્યસ્થતા સંસ્થાની રચના જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે અને તેના હેઠળ કરવામાં આવેલી તમામ કાર્યવાહીઓ અને નિર્ણયો ગેરકાયદેસર છે.

પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચોના દુરુપયોગનો આરોપ લગાવ્યો

ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આ “બનાવટી મધ્યસ્થતા પ્રક્રિયા” નો સહારો લેવો એ તેની લાંબા સમયથી ચાલી આવતી છેતરપિંડી અને આંતરરાષ્ટ્રીય મંચોના દુરુપયોગની નીતિનો એક ભાગ છે. ભારતે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આવા પગલાં દ્વારા આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકેની પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Frequently Asked Questions

ભારતે સિંધુ જળ સંધિના કયા નિર્ણયને ફગાવી દીધો છે?

ભારતે હેગ સ્થિત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CoA) ના મહત્તમ જળ સંગ્રહ ક્ષમતા (Maximum Pondage) ને લગતા નિર્ણયને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.

ભારત કથિત કોર્ટ ઓફ આર્બિટ્રેશનના નિર્ણયોને કેમ માન્યતા આપતું નથી?

ભારત આ અદાલતને ગેરકાયદેસર રીતે રચાયેલી માને છે અને તેથી તેના કોઈપણ નિર્ણય કે કાર્યવાહીને કાનૂની મહત્વ આપતું નથી.

સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ભારતનો નિર્ણય શા માટે યથાવત છે?

પાકિસ્તાન દ્વારા સીમા પારના આતંકવાદને સમર્થન બંધ ન થાય ત્યાં સુધી ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત રાખી છે.

શું કોઈ અદાલત ભારતના સાર્વભૌમ અધિકારો પર સવાલ ઉઠાવી શકે છે?

ભારત મુજબ, ગેરકાયદેસર રીતે રચાયેલી કોઈપણ સંસ્થા ભારતના સાર્વભૌમ અધિકારો હેઠળ લેવાયેલા પગલાંની કાયદેસરતા પર સવાલ ઉઠાવી શકતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
હવે 30 દિવસમાં મળી જશે ક્લેમના પૂરા પૈસા, જાણો IRDAIના નવા નિયમો 
હવે 30 દિવસમાં મળી જશે ક્લેમના પૂરા પૈસા, જાણો IRDAIના નવા નિયમો 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન
Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
America Iran: અમેરિકાના વિમાનને તોડી પાડ્યાનો ઈરાનનો દાવો, USએ કર્યો ઈનકાર
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
Embed widget