શોધખોળ કરો

રેલવેની મુસાફરી વખતે હવે આપવી પડશે ડેસ્ટિનેશનની જાણકારી, જરૂર પડ્યે ટ્રેસિંગ પણ થશે

રેલવેએ આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકીટ બુક કરનારા બધા મુસાફરો માટે ડેસ્ટિનેશન સ્થાનના સરનામાનો રેકોર્ડ રાખવાનુ શરૂ કરી દીધુ છે

નવી દિલ્હીઃ કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક ખાસ પગલુ ભર્યુ છે. રેલવેએ આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકીટ બુક કરનારા બધા મુસાફરો માટે ડેસ્ટિનેશન સ્થાનના સરનામાનો રેકોર્ડ રાખવાનુ શરૂ કરી દીધુ છે. આમ કરવાથી બાદમાં કોરોના વાયરસ સંક્રમણની પુષ્ટિ થાય છે, તો તેના સંપર્કમાં આવનારા લોકોની જાણકારી મેળવી શકાય. અધિકારીઓએ ગુરુવારે 14 મેએ જણાવ્યુ કે, આઇઆરસીટીસીની વેબસાઇટ પર ડેસ્ટિનેશન પ્લેસના એડ્રેસને સામેલ કરવાની જોગવાઇ 13 મેથી કરવામાં આવી છે. રેલવેના પ્રવક્તા આરડી વાજપેઇએ કહ્યું -13મેએ આઇઆરસીટીસીમાંથી ટિકીટ બુક કરાવી રહેલા તમામ યાત્રીઓના ગંતવ્ય સ્થાનોનુ સરનામુ લઇ રહ્યાં છીએ. જો બાદમાં જરૂર પડશે તો યાત્રીઓના સંપર્કમાં આવનારા લોકોની પણ જાણ આનાથી થશે. આ હાલના નજીકના ભવિષ્ય સુધી લાગુ રહશે. વાજપેઇએ કહ્યું કે કોરાના વાયરલને ધ્યાનમાં રાખીને યાત્રીએ કોઇપણ બુકિંગ માટે પોતાના એડ્રેસની માહિતી આપવી પડશે. આ પહેલા ટ્રેનમાં યાત્રામાં કરનારા ઓછામાં ઓછા 12 લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા. રેલવેની મુસાફરી વખતે હવે આપવી પડશે ડેસ્ટિનેશનની જાણકારી, જરૂર પડ્યે ટ્રેસિંગ પણ થશે
નોંધનીય છે કે, લૉકડાઉનની વચ્ચે ઇન્ડિયન રેલવેએ મોટી જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ 30 જૂન 2020 કે તેનાથી પહેલા રેલવેમાં મુસાફરી કરવા માટે બુક કરવામાં આવેલી બધી ટિકીટોને રદ્દ કરી દીધી છે. 30 જૂન 2020 સુધી બુક કરવામાં આવેલી બધી ટિકીટોનુ રિફંડ કરી દેવામાં આવ્યુ છે, બધી સ્પેશ્યલ ટ્રેન અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો પોતાના સમયાનુસાર દોડશે. રેલવેએ આ પહેલા 17 મે સુધી ટ્રેનોની ટિકીટ કેન્સલ કરી હતી, હવે રેલવેએ 22 જૂન સુધી બધી ટિકીટોને કેન્સલ કરવાની જાહેરાત કરી છે. ખરેખર, દેશમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો 17મે પુરો થઇ રહ્યો છે, 12 મેએ દેશના નામે સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉનના ચોથા તબક્કાના પણ સંકેત આપી ચૂક્યા છે, અને 18 મેથી લૉકડાઉન 4 ચાલુ થવાની પુરેપુરી સંભાવના છે. બધી સ્પેશ્યલ અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ચાલુ રહેશે.... સરકારે કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સામાન્ય રેલ સેવાઓ બંધ કરેલી છે. પણ બધી સ્પેશ્યલ અને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોનુ સંચાલન ચાલુ રહેશે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે સામાન્ય રેલ યાત્રાઓ માટે રિઝર્વેશન કરવામાં આવેલી 30 જૂન સુધીની બધી ટિકીટો રદ્દ કરી દીધી છે, પણ શ્રમિકોને તેમના ઘરે મોકલવા માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે. 22 મેથી દેશભરમાં ચાલશે એક્સપ્રેસ ટ્રેનો...... લૉકડાઉનના કારણે હાલમાં દેશમાં સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે, સામાન્ય ટ્રેનોની અવરજવર બંધ છે, સ્પેશ્યલ ટ્રેન ચલાવ્યા બાદ હવે રેલવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યુ છે. સાથે જ મુસાફરો હવે વેટિંગ ટિકીટ પણ બુક કરાવી શકશે. પણ 22 મેથી શરૂ થનારી ટ્રેનો માટે મુસાફરો 15 મેથી વેટિંગ ટિકીટ બુક કરાવી શકશે. સ્ટેશનો પર ટિકીટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે, અને પ્લેટફોર્મ ટિકીટ સહિત કોઇ કાઉન્ટર ટિકીટ નહીં આપવામાં આવે, જોકે રેલવેએ હજુ સુધી ટ્રેનોનુ શિડ્યૂલ જાહેર નથી કર્યુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget