શોધખોળ કરો

10 સેટેલાઈટ લૉન્ચ કરવા માટે PSLV-C49નું કાઉન્ટડાઉન શરુ, નવ વિદેશી ઉપગ્રહ કરશે લોન્ચ

જો ઈસરો આ 9 વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં પહોંચાડવામાં સફળ થશે તો ભારત 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જવાનો રેકોર્ડ બનાવશે.

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ એજન્સી સાત નવેમ્બરે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C49) ને લોન્ચ કરવાની તૈયારીમાં છે તેની સાથે જ ભારત આ યાન મારફતે દેશના રડાર ઈમેજિંગ ઉપગ્રહ (સેટેલાઈટ) અને નવ અન્ય વિદેશી ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહ લોન્ચ કર્યા બાદ ભારતીય અંતરિક્ષ એજન્સી કુલ 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જનારી એજન્સી બની જશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક વરિષ્ઠ અધિકારીએ IANSને જણાવ્યું હતું કે, ‘શ્રીહરિકોટા રૉકેટ પાર્ટ પરથી 7 નવેમ્બરે 10 ઉપગ્રહોવાળા રોકેટને 3.02 વાગ્યે લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે લોન્ચ પેડ પહેલા રોકેટ લોન્ચ માટે 26 કલાકની ઉલટી ગણતરી શુક્રવારે બપોરથી શરુ થઈ થશે.’ ઉલ્લેખનીય છે કે, PSLV-C49 નું લોન્ચિંગ ઈસરોનું આ વર્ષનું પ્રથમ મિશન છે. આ લોન્ચથી ભારત પોતાના રડાર ઈમેજિંગ ઉપગ્રહ સાથે 9 વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કરશે. તેમાં લિથુઆનિયા, લક્સમબર્ગ(ક્લેઓસ સ્પેસના 4 મેરીટાઈમ એપ્લીકેશન સેટેલાઈટ), અને યૂએસ( 4-લેમુર મલ્ટી મિશન રિમોટ સેન્સિંગ સેટેલાઈટ) સામેલ છે. જો ઈસરો આ 9 વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં પહોંચાડવામાં સફળ થશે તો ભારત 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જવાનો રેકોર્ડ બનાવશે. ભારતે સૌપ્રથમ વર્ષ 1999માં વિદેશી સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવાનું શરુ કર્યું હતું. જેના બાદ અત્યાર સુધી ભારતે બે દાયકામાં 319 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી દીધાં છે. જેમાં એક ચીની ઉપગ્રહ પણ સામેલ છે. જ્યારે ભારત સરકાર અનુસાર, ઈસરોએ 26 દેશોના ઉપગ્રહો લોન્ચ કરીને છેલ્લા પાંચ વર્ષમાં 1245.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2017-18માં લોન્ચ ઈનકમ 232.56 કરોડ રૂપિયાથી 324.19 કરોડ રૂપિયા હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget