શોધખોળ કરો

Jammu- Kashmir: પુલવામામાં આંતકીઓ સાથે અથડામણ, રાત્રે 12 વાગ્યાથી એન્કાઉન્ટર ચાલુ, સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેર્યુ

સુરક્ષાદળોએ પુલવામાના મિત્રીગામ વિસ્તારમાં આતંકવાદીઓ હાજર હોવાની સૂચના મળ્યા બાદ ત્યાં ઘેરાબંધી અભિયાન શરૂ કરી દીધુ હતુ.

Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઇ રહ્યું છે. શુક્રવારે (17 માર્ચ) રાત્રે લગભગ 12 વાગે પુલવામાના મિત્રીગામ વિસ્તારમાં બન્ને વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. અધિકારીઓ અનુસાર, આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.  

સુરક્ષાદળોએ પુલવામાના મિત્રીગામ વિસ્તારમાં આતંકવાદીઓ હાજર હોવાની સૂચના મળ્યા બાદ ત્યાં ઘેરાબંધી અભિયાન શરૂ કરી દીધુ હતુ. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટર એકાઉન્ટ @JmuKmrPolice પરથી ટ્વીટ કર્યુ કે પુલવામાના મિત્રીગામ વિસ્તાર વિસ્તારમાં અથડામણ શરૂ થઇ ગઇ છે. 

શર્માની હત્યા કરનારા આતંકીઓ ઠાર મરાયા હતા -
આ પહેલા 28 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ઠાર માર્યો હતો, આતંકવાદીઓએ શર્માના આવાસથી માત્ર 100 મીટરની દૂરી પર હુમલો કર્યો હતો, હત્યાના 48 કલાકની અંદર જ સુરક્ષાદળોએ શર્માની હત્યા કરનારા આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

 

Indian Army: કશ્મીરથી હટાવી સંપૂર્ણ સેનાને હટાવી દેવાશે? મંત્રાલય સ્તરે ચર્ચા, જાણો શું છે સરકારનો સમગ્ર પ્લાન

Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરમાંથી ભારતીય સેનાને સંપૂર્ણ રીતે હટાવવાને લઈને મંત્રાલય સ્તરે વાતચીત ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચર્ચા તેના અંતિમ તબક્કામાં છે.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યાના લગભગ સાડા ત્રણ વર્ષ બાદ કેન્દ્ર સરકાર હવે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સેનાને હટાવવા પર વિચાર કરી રહી છે. વિશેષ દરજ્જો હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, એવા સમાચાર છે કે હવે કેન્દ્ર સરકાર ખીણના આંતરિક ભાગોમાંથી ભારતીય સેનાને ધીરે ધીરે હટાવવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો ભારતીય સેનાની હાજરી માત્ર નિયંત્રણ રેખા સુધી જ સીમિત રહેશે.

ઈન્ડિયન એક્સપ્રેસના સમાચારમાં સુરક્ષા દળોના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરના આંતરિક વિસ્તારોમાંથી સેનાને હટાવવાના પ્રસ્તાવ પર બે વર્ષથી ચર્ચા થઈ રહી છે. સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંડોવણીથી આ વાતચીતને વેગ મળ્યો છે. ખીણમાં કાયદો અને વ્યવસ્થા અને આતંકવાદ વિરોધી કામગીરી માટે ભારતીય સેનાની સાથે તૈનાત CRPFને પાછી ખેંચવામાં આવી શકે છે.

નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે!

રિપોર્ટ અનુસાર, સેના અધિકારીએ કહ્યું કે આ મામલે મંત્રાલય સ્તરે ચર્ચા થઈ રહી છે અને તે ટૂંક સમયમાં શક્ય બની શકે છે. એક રીતે જોઈએ તો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે તે ક્યારે અમલી થશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે, તેમણે કહ્યું કે આ નિર્ણય સરકારે લેવાનો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી કોઈ હિલચાલ જોવા નહીં મળે.

જમ્મુ અને કાશ્મીરમાં કેટલી સૈન્ય તૈનાત છે?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં લગભગ 1.3 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. જેમાંથી લગભગ 80 હજાર ભારતની સરહદો પર તૈનાત છે. રાષ્ટ્રીય રાઈફલ્સના લગભગ 40 થી 45 હજાર સૈનિકો કાશ્મીરના આંતરિક વિસ્તારોમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવે છે.  CRPF પાસે લગભગ 60,000 જવાનોની સંખ્યા છે, જેમાંથી 45,000 કાશ્મીર ખીણમાં તૈનાત છે. 83 હજારનો આંકડો જમ્મુ-કાશ્મીર પોલીસનો છે. આ સિવાય CAPFની કેટલીક કંપનીઓ પણ ઘાટીમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાન, 28 મે: આગામી 15 કલાકમાં 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
પુત્રવધૂને સાસરીમાં 'એડજસ્ટ' થવાનું કહેવું ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો
હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તથ્યને જામીન
Hun To Bolish : હું તો બોલીશ : કથા પહેલા કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : આવો ખેલ ના ચાલે!
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Rain Forecast : વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
વૈભવના તોફાનમાં હૈદરાબાદનો સફાયો: રાજસ્થાન 47 રને જીતી ક્વોલિફાયર 2માં પહોંચ્યું, SRH બહાર
Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
Heatwave: રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આકાશમાંથી વરસી રહી છે આગ, 48.2 ડિગ્રી સાથે બન્યું દેશનું સૌથી ગરમ શહેર
Rajasthan Royals: એલિમિનેટરમાં જીત છતાં રાજસ્થાન નથી પહોંચ્યું ફાઈનલમાં, હજુ ગુજરાત સામે મેળવવી પડશે જીત
Rajasthan Royals: એલિમિનેટરમાં જીત છતાં રાજસ્થાન નથી પહોંચ્યું ફાઈનલમાં, હજુ ગુજરાત સામે મેળવવી પડશે જીત
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
રાજકોટ મનપાને આવતીકાલે મળશે નવા મેયર; જુઓ રેસમાં ચાલી રહેલા આ 7 દિગ્ગજ નામો
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
વિશ્વ બેંકે અત્યાર સુધીમાં દુનિયાભરના દેશોને કેટલી લોન આપી છે? રકમ જાણીને માથું પકડી લેશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય, આ સહાયમાં કર્યો વધારો, ચોમાસા પહેલાં કરી લો આ કામ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એલિમિનેટરમાં 5 રેકોર્ડ તોડ્યા, તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ
Embed widget