શોધખોળ કરો

માતા કામકાજી હોય તો પણ બાળકોના ભરણ પોષણની જવાબદારી પિતાની – જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની ટિપ્પણી

અદાલત સમક્ષ અરજી તે વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેણે તેના ત્રણ બાળકોમાંથી દરેક માટે 4,500 રૂપિયા પોષણ ભરણ તરીકે ચૂકવવાના મેજીસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારો આપ્યો હતો.

HC on Maintenance: જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટે તાજેતરમાં જણાવ્યું કે, સગીર બાળકોના પોષણ ભરણ માટે પિતાની જવાબદારી કાયદાકીય અને નૈતિક છે, ભલે તેમની માતા એક કામકાજી મહિલા હોય અને તેની પોતાની આવક હોય. જસ્ટિસ સંજય ધર ની બેંચે વધુમાં જણાવ્યું કે, માતાના કામકાજી હોવાનો અર્થ એ નથી કે પિતા પોતાના બાળકોના પોષણ ભરણની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયો છે.

કોર્ટે એક વ્યક્તિ દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતાં આ ટિપ્પણી કરી, જેણે કહ્યું કે તેની પાસે પોતાના સગીર બાળકોને પોષણ આપવા માટે પૂરતી આવક નથી. વ્યક્તિએ એમ પણ દલીલ કરી કે તેની અલગ રહેતી પત્ની એક કામકાજી મહિલા છે, જેની પાસે બાળકોની દેખરેખ રાખવા માટે પૂરતી આવક છે. તેમ છતાં, અદાલતે તેની દલીલને નકારી કાઢી.

કોર્ટે કહ્યું, પ્રતિવાદીઓના (સગીર બાળકોના) પિતા હોવાના નાતે અરજદારની તેમના બાળકોના ભરણ પોષણની કાનૂની અને નૈતિક જવાબદારી છે. ખરું છે કે પ્રતિવાદીઓની માતા કામકાજી મહિલા છે અને તેમની પોતાની આવક છે, પરંતુ આથી પ્રતિવાદીઓના પિતા હોવાના નાતે અરજદારને પોતાના બાળકોના ભરણ પોષણની કાયદાકીય અને નૈતિક જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. તેથી અરજદારનો દાવો કે પ્રતિવાદીઓની માતા કમાય છે, તેથી તેને પોષણ આપવાનો આદેશ આપી શકાતો નથી, તે નિરાધાર છે.

તેમણે આગળ દલીલ કરી કે બાળકોની માતા એક સરકારી શિક્ષિકા છે અને તેમને સારું વેતન મળે છે. આમ, બાળકોના પોષણ ભરણની જવાબદારી એકલી તેમના પર ન નાખી શકાય.

અદાલત સમક્ષ અરજી તે વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેણે તેના ત્રણ બાળકોમાંથી દરેક માટે 4,500 રૂપિયા પોષણ ભરણ તરીકે ચૂકવવાના મેજીસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારો આપ્યો હતો. અરજદારે પોષણ ભરણના આદેશને પડકારવા બાદ સત્ર અદાલતમાંથી તેને રદ કરાવી દીધો હતો.

હાઇકોર્ટ સમક્ષ અરજદારે દલીલ કરી કે તેની માસિક આવક માત્ર 12,000 રૂપિયા છે અને તેના બાળકોના ભરણ પોષણ માટે 13,500 રૂપિયા ચૂકવવાનું તેના માટે શક્ય નથી, ખાસ કરીને જ્યારે તેને પોતાના બીમાર માતા પિતાની પણ સંભાળ લેવી પડે છે.

તેમ છતાં, હાઇકોર્ટે કહ્યું કે અરજદારે ટ્રાયલ કોર્ટ સમક્ષ એવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી કે તે માત્ર 12,000 રૂપિયા પ્રતિ માસ કમાય છે. બીજી તરફ, કોર્ટે કહ્યું કે અરજદાર એક લાયક ઇજનેર છે, જેણે પહેલાં વિદેશમાં કામ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget