શોધખોળ કરો

JNU Row: JNU ફરી એકવાર વિવાદમાં, દિવાલો પર લખાયા ખાસ જાતિ વિરૂદ્ધ લખાણ

સોશિયલ મીડિયા પર બે પ્રકારની તસવીરો સામે આવી છે. એક તસવીર JNUના 'લેંગ્વેજ લિટ્રેચર એંડ કલ્ચર સ્ટડીઝ' અનેબીજી 'સ્કૂલ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝ"ની છે.

 

JNU Controversy: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીંની દિવાલો પર જ્ઞાતિવાદી સૂત્રો લખવામાં આવ્યા છે. જેમાં ચોક્કસ જાતિઓને કેમ્પસ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ વાંધાજનક લખાણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ મામલો સામે આવ્યા બાદ JNUને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે.

સોશિયલ મીડિયા પર બે પ્રકારની તસવીરો સામે આવી છે. એક તસવીર JNUના 'લેંગ્વેજ લિટ્રેચર એંડ કલ્ચર સ્ટડીઝ' અનેબીજી 'સ્કૂલ ઓફ ઈંટરનેશનલ સ્ટડીઝ"ની છે. જેએનયુના વાઇસ ચાન્સેલરે આ ઘટનાની નોંધ લીધી હતી અને પત્ર જારી કર્યો છે. આ સાથે વાઇસ ચાન્સેલર પ્રોફેસર શાંતિશ્રી ડી. પંડિતે રિપોર્ટ પણ માંગ્યો છે.

પત્રમાં શું લખ્યું છે?

આ બાબતની નોંધ લેતા વાઈસ ચાન્સેલર શાંતિશ્રી પંડિતે એક પત્ર જારી કરીને કહ્યું છે ક, જેએનયુમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા દિવાલો અને ફેકલ્ટી રૂમ પર વાંધાજનક સૂત્રો લખવા અને તોડફોડ કરવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. આ બાબતની સખત નિંદા કરતા ડીન સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને ફરિયાદ સમિતિને વહેલી તકે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વીસીએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે. કોઈપણ પ્રકારની હિંસા માટે ઝીરો ટોલરંસની નીતિને તેમણે ફરી એકવાર દોહરાવી હતી. 

જેએનયુના વિદ્યાર્થીઓનો દાવો

જ્યારે જેએનયુના વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-2ની ઈમારતમાં એક ખાસ સમુદાય વિરુદ્ધ નારા લગાવવાની સાથો સાથ તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ એબીવીપીના જેએનયુ પ્રમુખ રોહિત કુમારે કહ્યું હતું કે, એબીવીપી આ ઘટનાની સખત નિંદા કરે છે. અમને વિશ્વાસ છે કે શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ માત્ર ચર્ચા અને વિચારણા માટે કરવામાં આવશે નહીં કે સમાજ અને વિદ્યાર્થી સમુદાયમાં ઝેર ઘોળવા.

Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસને લઈને આસામના CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે...

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ફરી એકવાર દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, લવ જેહાદ એક વાસ્તવિકતા છે અને શ્રદ્ધા વોકરની જઘન્ય હત્યા તેનો જીવતો જાગતો પુરાવો છે. હિમંતા બિસ્વા સરમા અગાઉ પણ કહી ચૂક્યા છે કે આ કેસમાં લવ જેહાદનો એક એંગલ છે જ. તેમને આકરા કાયદાની પણ તરફેણ કરી હતી. 

આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લવ જેહાદ રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી એક વાસ્તવિકતા છે. શ્રદ્ધા હત્યા કેસમાં લવ જેહાદના પુરાવા છે. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટમાં પણ ખુલાસો થયો છે કે આફતાબે કહ્યું હતું કે, શ્રદ્ધા હત્યાની હત્યા બદલ તેને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેને તેનો અફસોસ થશે નહીં કારણ કે જ્યારે તે સ્વર્ગમાં જશે ત્યારે તેને હૂર મળશે. હિમંતા બિસ્વાએ ઉમેર્યું હતું કે, લવ જેહાદ વિરુદ્ધ દેશમાં કડક કાયદાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget