શોધખોળ કરો

કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો વિજય, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ

પેટાચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે.

બેંગલુરુઃ કર્ણાટકની 15 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપનો 12 સીટ પર વિજય થયો છે. પેટા ચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. યેદિયુરપ્પાએ પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, હવે કોઈ પણ જાતની સમસ્યા વગર તેઓ સ્થાયી સરકાર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં યેદિયુરપ્પાએ સત્તામાં બની રહેવા માટે કોઈ પણ હાલતમાં 6 સીટ જીતવી જરૂરી હતી. શું કહ્યું મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બીજેપીને રોકવા માટે તેમણે જે સીએમ બનાવ્યા હતા તેમને પણ રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. તે સીએમ જનતા વચ્ચે રડતા, કરગરતા હતા. કર્ણાટકના લોકોએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. કર્ણાટકના પરિણામો તમામ રાજ્યો માટે સંદેશ છે કે જે કોઈ જનાદેશની વિરુદ્ધમાં જશે, જનતાને દગો આપશે તો મોકો મળતા જ જનતા તેને સજા આપશે. આ 12 સીટો પર ભાજપની થઈ જીત શિવરામ હેબ્બાર (યેલ્લાપુર), આનંદ સિંહ (વિજયનગર), રમેશ જારકીહોલી (ગોકાક), બી સી પાટિલ (હીરેકેરુર), શ્રીમંત પાટિલ (કાગવાડ), કે સુધાકર (ચિક્કાબલ્લાપુર), મહેશ કુમાતલ્લી (અથાની), અરૂણ કુમાર ગુટ્ટૂર (રાનીબેન્નૂર), એસટી સોમશેખર (યશવંતપુર), કે ગોપાલૈયા (મહાલક્ષ્મી લેઆઉટ), નારાયણ ગૌડા (કૃષ્ણારાજપેટ), બીએ બાસવરાજ (કેઆર પુરા) 2 પર કોંગ્રેસનો વિજય, 1 અપક્ષને મળી આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ બે સીટ પર જીત હાંસલ કરી છે. પાર્ટીના રિઝવાન અરશદે શિવાજીનગર અને એચપી મંજૂનાથે હુનસિર સીટ પરથી બીજેપીના ઉમેદવારને હાર આપી છે. જ્યારે હોસાકોટે સીટ પર ભાજપથી બળવો કરીને અપક્ષ તરીકે લડેલા શરદ કુમાર બાચેગૌડાનો વિજય થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget