શોધખોળ કરો

કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો વિજય, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ

પેટાચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે.

બેંગલુરુઃ કર્ણાટકની 15 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપનો 12 સીટ પર વિજય થયો છે. પેટા ચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. યેદિયુરપ્પાએ પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, હવે કોઈ પણ જાતની સમસ્યા વગર તેઓ સ્થાયી સરકાર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં યેદિયુરપ્પાએ સત્તામાં બની રહેવા માટે કોઈ પણ હાલતમાં 6 સીટ જીતવી જરૂરી હતી. શું કહ્યું મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બીજેપીને રોકવા માટે તેમણે જે સીએમ બનાવ્યા હતા તેમને પણ રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. તે સીએમ જનતા વચ્ચે રડતા, કરગરતા હતા. કર્ણાટકના લોકોએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. કર્ણાટકના પરિણામો તમામ રાજ્યો માટે સંદેશ છે કે જે કોઈ જનાદેશની વિરુદ્ધમાં જશે, જનતાને દગો આપશે તો મોકો મળતા જ જનતા તેને સજા આપશે. આ 12 સીટો પર ભાજપની થઈ જીત શિવરામ હેબ્બાર (યેલ્લાપુર), આનંદ સિંહ (વિજયનગર), રમેશ જારકીહોલી (ગોકાક), બી સી પાટિલ (હીરેકેરુર), શ્રીમંત પાટિલ (કાગવાડ), કે સુધાકર (ચિક્કાબલ્લાપુર), મહેશ કુમાતલ્લી (અથાની), અરૂણ કુમાર ગુટ્ટૂર (રાનીબેન્નૂર), એસટી સોમશેખર (યશવંતપુર), કે ગોપાલૈયા (મહાલક્ષ્મી લેઆઉટ), નારાયણ ગૌડા (કૃષ્ણારાજપેટ), બીએ બાસવરાજ (કેઆર પુરા) 2 પર કોંગ્રેસનો વિજય, 1 અપક્ષને મળી આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ બે સીટ પર જીત હાંસલ કરી છે. પાર્ટીના રિઝવાન અરશદે શિવાજીનગર અને એચપી મંજૂનાથે હુનસિર સીટ પરથી બીજેપીના ઉમેદવારને હાર આપી છે. જ્યારે હોસાકોટે સીટ પર ભાજપથી બળવો કરીને અપક્ષ તરીકે લડેલા શરદ કુમાર બાચેગૌડાનો વિજય થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget