શોધખોળ કરો
Advertisement
કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો વિજય, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ
પેટાચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે.
બેંગલુરુઃ કર્ણાટકની 15 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે. ભાજપનો 12 સીટ પર વિજય થયો છે. પેટા ચૂંટણીના પરિણામ આવવાની સાથે જ સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપને 224 સભ્યોવાળી વિધાનસભામાં હવે સ્પષ્ટ બહુમત મળી ગયો છે. યેદિયુરપ્પાએ પાર્ટીની જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું, હવે કોઈ પણ જાતની સમસ્યા વગર તેઓ સ્થાયી સરકાર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં યેદિયુરપ્પાએ સત્તામાં બની રહેવા માટે કોઈ પણ હાલતમાં 6 સીટ જીતવી જરૂરી હતી.
શું કહ્યું મોદીએ
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીએ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું, બીજેપીને રોકવા માટે તેમણે જે સીએમ બનાવ્યા હતા તેમને પણ રોજ બંદૂક બતાવવામાં આવતી હતી. તે સીએમ જનતા વચ્ચે રડતા, કરગરતા હતા. કર્ણાટકના લોકોએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો છે. કર્ણાટકના પરિણામો તમામ રાજ્યો માટે સંદેશ છે કે જે કોઈ જનાદેશની વિરુદ્ધમાં જશે, જનતાને દગો આપશે તો મોકો મળતા જ જનતા તેને સજા આપશે.
આ 12 સીટો પર ભાજપની થઈ જીત
શિવરામ હેબ્બાર (યેલ્લાપુર), આનંદ સિંહ (વિજયનગર), રમેશ જારકીહોલી (ગોકાક), બી સી પાટિલ (હીરેકેરુર), શ્રીમંત પાટિલ (કાગવાડ), કે સુધાકર (ચિક્કાબલ્લાપુર), મહેશ કુમાતલ્લી (અથાની), અરૂણ કુમાર ગુટ્ટૂર (રાનીબેન્નૂર), એસટી સોમશેખર (યશવંતપુર), કે ગોપાલૈયા (મહાલક્ષ્મી લેઆઉટ), નારાયણ ગૌડા (કૃષ્ણારાજપેટ), બીએ બાસવરાજ (કેઆર પુરા)
2 પર કોંગ્રેસનો વિજય, 1 અપક્ષને મળી
આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોએ બે સીટ પર જીત હાંસલ કરી છે. પાર્ટીના રિઝવાન અરશદે શિવાજીનગર અને એચપી મંજૂનાથે હુનસિર સીટ પરથી બીજેપીના ઉમેદવારને હાર આપી છે. જ્યારે હોસાકોટે સીટ પર ભાજપથી બળવો કરીને અપક્ષ તરીકે લડેલા શરદ કુમાર બાચેગૌડાનો વિજય થયો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement