![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karnataka Election Result 2023: કર્ણાટકના પરિણામો પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કોગ્રેસને આપ્યા અભિનંદન
વડાપ્રધાન મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પહેલું નિવેદન આપ્યું છે
![Karnataka Election Result 2023: કર્ણાટકના પરિણામો પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કોગ્રેસને આપ્યા અભિનંદન Karnataka Election Results 2023: PM Narendra Modi congratulated Congress party for winning assembly poll on twitter Karnataka Election Result 2023: કર્ણાટકના પરિણામો પર વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કોગ્રેસને આપ્યા અભિનંદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/13/72c555db9cc97089310532af1ad13770168398173733774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi On Karnataka Election Results: વડાપ્રધાન મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પહેલું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ. કર્ણાટક ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ જંગી બહુમતી તરફ આગળ વધી રહી છે.
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
વડાપ્રધાને કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકરોની મહેનતની કદર કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.
અત્યાર સુધીમાં જાહેર કરાયેલા ચૂંટણી પંચના તાજેતરના આંકડા અનુસાર કોંગ્રેસ 103 બેઠકો પર જીત મેળવી છે અને 33 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 50 બેઠકો જીતી છે અને 14 બેઠકો પર આગળ છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં કુલ વોટ શેરના 43.11% મળ્યા છે. મતગણતરી ચાલી રહી છે.
I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
બોમ્મઈ સરકારના ઘણા મંત્રીઓ હારી ગયા
કર્ણાટકમાં અત્યાર સુધીના વલણોમાં ભાજપને કારમી હાર મળી રહી છે. બસવરાજ બોમ્મઈની આગેવાની હેઠળની ભાજપ સરકારના ઘણા મંત્રીઓ અને વિધાનસભાના સ્પીકર પણ ચૂંટણી હારી ગયા છે. વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી ઉપરાંત બી. શ્રીરામુલુ, કે સુધાકર, જે. સી. મધુસ્વામી, ગોવિંદ કરજોલ, એમ.ટી.બી. નાગરાજ અને કે. સી. નારાયણ ગૌડાને હારનો સામનો કરવો પડ્યો હતો.
હારની જવાબદારી મુખ્યમંત્રીએ લીધી
ચૂંટણીમાં હારની જવાબદારી લેતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું છે કે પીએમ મોદી અને કાર્યકર્તાઓની મહેનત પછી પણ ભાજપ કર્ણાટકમાં કોઈ છાપ છોડી શક્યું નથી. હું આ હારની જવાબદારી લઉં છું. બસવરાજની સરકારના ઘણા મંત્રીઓ ચોક્કસપણે હારી ગયા છે, પરંતુ સીએમ શિગગાંવ મતવિસ્તારમાંથી કોંગ્રેસના તેમના નજીકના હરીફ યાસિર અહેમદ ખાન પઠાણને હરાવીને સતત ચોથી વખત જીત્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)