શોધખોળ કરો

Karnataka Election Voting Live: કર્ણાટક ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?

224 સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે

LIVE

Key Events
Karnataka Election Voting Live:  કર્ણાટક ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન ?

Background

Karnataka Election Voting Live:  કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ટૂંક સમયમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થશે. 224 સભ્યોની વિધાનસભા માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુક્ત, નિષ્પક્ષ ચૂંટણી માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં રાજ્યની ત્રણેય મોટી પાર્ટીઓ - ભાજપ, કોંગ્રેસ, જેડીએસ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.

પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને ઘણા દિગ્ગજોએ રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરાને  તોડવા અને ભાજપને સત્તામાં રાખવા માટે રેલીઓ યોજી હતી. પીએમ મોદીએ એકલાએ દોઢ ડઝન જેટલી જાહેર સભાઓ અને અડધો ડઝનથી વધુ રોડ શો કર્યા. જ્યારે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ તરીકે ખડગે માટે પણ આ એક મોટી કસોટી છે કારણ કે તેઓ કર્ણાટકથી આવે છે.

બહુમતી માટે કેટલી બેઠકો જરૂરી છે?

પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે પણ પ્રચારમાં કોઈ કસર છોડી નથી. બીજી તરફ જનતા દળ (સેક્યુલર)એ પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો છે. ભાજપે 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે કોંગ્રેસે પણ બહુમતી સાથે સત્તામાં વાપસી કરવાનો દાવો કર્યો છે. વિધાનસભામાં કુલ 224 બેઠકો છે અને સરકાર બનાવવા માટે 113 બેઠકો મેળવવી જરૂરી છે.

કર્ણાટક ચૂંટણીના મોટા ચહેરા

કર્ણાટક ચૂંટણીના મોટા ઉમેદવારોમાં પહેલું નામ રાજ્યના મુખ્યમંત્રી અને બીજેપી નેતા બસવરાજ બોમ્મઈનું છે, જેઓ શિગગાંવ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વરુણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી રામનગર જિલ્લાના ચનાપટના મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર ભાજપના પૂર્વ નેતા અને પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર હુબલી ધારવાડ (મધ્ય) વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર શિકારપુરા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે ચિત્તપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે.

17:53 PM (IST)  •  10 May 2023

5 વાગ્યા સુધી મતદાનનો આંકડો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 65.69% મતદાન નોંધાયું છે.

15:58 PM (IST)  •  10 May 2023

કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે - સુરજેવાલા

કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે અમે અમારા વોર-રૂમમાંથી સતત તમામ મતવિસ્તારોનો પ્રતિસાદ લઈ રહ્યા છીએ. જબરજસ્ત પ્રતિસાદ એ છે કે કોંગ્રેસ પક્ષની 5 ગેરંટીઓએ મતદારોને ઉત્સાહિત કર્યા છે અને તેઓ કોંગ્રેસના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે. અમે દરેક ઉમેદવારને પોતપોતાની બેઠકો પર વધુ મતદારો એકત્રિત કરવા અને ઓછામાં ઓછા 80% મતદાનની ખાતરી કરવા જણાવ્યું છે.

15:57 PM (IST)  •  10 May 2023

ત્રણ વાગ્યા સુધીમાં કેટલું મતદાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી 52.03 ટકા મતદાન થયું છે.

13:56 PM (IST)  •  10 May 2023

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મત આપ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કલબુર્ગીમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તેમના પત્ની પણ તેમની સાથે જોવા મળ્યા હતા. ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે.

11:48 AM (IST)  •  10 May 2023

એચડી કુમારસ્વામીનો ભાજપ પર પ્રહાર

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ મતદાન બાદ કહ્યું હતું કે  તેઓએ (ભાજપ) દરેક મતવિસ્તારમાં કેટલી રકમનું રોકાણ કર્યું છે? દરેક વ્યક્તિ આ બધી બાબતો જાણે છે. માત્ર ભાજપ જ નહીં, હું દરેક પક્ષને દોષી ઠેરવીશ, જ્યારે પણ આપણે નિષ્પક્ષ ચૂંટણીની વાત કરીએ છીએ, પરંતુ તેની જાહેરાત માત્ર કાગળોમાં જ થાય છે, વાસ્તવિકતા અલગ છે.

 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget