શોધખોળ કરો
Advertisement
Kerala Plane Crash: દુર્ઘટનામાં જીવ ગુમાવનાર Air India વિમાનના કેપ્ટન દીપક સાઠે વિશે જાણો
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 19 થઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના પણ મોત થયા છે.
કેરળ: કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 19 થઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના પણ મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કેપ્ટન દીપક સાઠે એર ફોર્સના ટેસ્ટ પાયલટ રહી ચૂક્યા છે. એર ફોર્સના ટેસ્ટ પાયલટ ઘણા એરક્રાફ્ટ પર ટેસ્ટ કરે છે. પાયલટે પોતાનો જીવ ગુમાવતા 170 મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ દુર્ઘટના બની તે ફ્લાઈટ વંદે ભારત મિશનની હતી.
સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના ડાયરેક્ટર એર વાયસ માર્શલ મનમોહન બહાદુરે ટ્વિટ કરતા કહ્યું કે દીપક સાઠે સાથે ટેસ્ટ પાયલટ રહ્યા હતા. તે ખૂબ જ અનુભવિ પાયલટ હતા. તેમણે કહ્યું, “RIP Tester.” મનમોહન બહાદુરે જણાવ્યું કે ટેસ્ટ પાયલટના કોલ સાઈનમાં નામની આગળ ટેસ્ટર લગાવવામાં આવતું હતું.
જાણકારી મુજબ, વિમાનનું બીજી વખત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે પ્રથમ પ્રયાસમાં વિમાન લેન્ડ ન થઈ શક્યું. ત્યારબાદ પાયલટે બીજુ લેન્ડિંગ કર્યું. પરંતુ બીજા લેન્ડિંગમાં એર ઈન્ડિયાનું વિમાન IX-1344 એરપોર્ટ પર રનવે પરથી સ્લિપ થયું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે રનવે પર વિઝિબિલિટી ઓછી હતી. રનવે પર પાણી ભરાયું હતું. સ્લિપ થયા બાદ વિમાન 35 ફૂટ ખીણમાં જઈને પડ્યું હતું. વિમાનના બે ટુકડા થયા હતા. આ ઘટનાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion