શોધખોળ કરો

દેશમાં કોરોનાવાયરસના ચેપનો ખતરો ઉભો કરનારા મૌલાના સાદ કોણ છે?

આ બધા વિવાદની વચ્ચે મુસ્લિમ સમાજમાં મૌલાના સાદના ઉપદેશ ઘણાં ધાર્મિક મહત્ત્વ ધરાવે છે જેને મોટી સંખ્યામાં લોકો સાંભળે છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મામલા જિઝામુદ્દીન વિસ્તારના તબલીઘી મુખ્યાલય અચાનક વિવાદોમાં આવી ગયું છે. જ્યાં જલસામાં સામેલ 6 લોકોના મોત તેલંગાણામાં કોરોના વાયરસને કારણે થઈ ગયા છે. ત્યાર બાદ પોલીસે તબલીગી જમાના સર્વેસર્વા વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે. મૌલાના સાદ પહેલા પણ વિવાદોમાં આવી ચૂક્યો છે તબલીઘી જમાત પ્રમુખ મૌલાના સાદ લોકડાઉનનું ઉલ્લંઘન કરવાને કારણે વિવાદોમાં ફસાઈ ગયા છે. આ પ્રથમ ઘટના નથી જ્યારે મોલાના વિવાદમાં આવ્યો હોય. આ પહેલા પણ તેની વિરૂદ્ધ દારૂલ ઉલૂમ દેવબંધ તરફથી પણ ફતવો જાહેર થયો હતો. 1965માં દિલ્હીમાં જન્મેલ મૌલાનાની ઓળખ મુસ્લિમ ધર્મગુરુ તરીકે થાય છે. તેના પારિવારિક સંબંધ તબલીઘી જમાનના સંસ્થાપક મૌલાના ઇલિયાસ કાંધલવી સાથે જોડાયેલ છે. સાદે પોતાનો અભ્યાસ 1987માં મદરસા કશફુલ ઉલૂમ, હજરત નિઝામુદ્દીન અને સરાહનપુરથી પુરો કર્યો હતો. 1990માં તેના લગ્ન સહારનપુરના મજાહિર ઉલૂમના પ્રિન્સિપાલની દીકરી સાથે થયા હતા. ચોથા અધ્યક્ષ છે સાદ તબલીઘી જમાના પ્રથમ અમીર (અધ્યક્ષ) મૌલાના ઇલિયાસ હતા. તેના નિધન બાદ તેના દીકરા મૌલાના યૂસુફને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મૌલાના યૂસુફનું અચાનક નિધન થયા બાદ મૌલાના ઇનામુલ હસનને તેના અમીર બનાવવામાં આવ્યા. મૌલાના અમાનુલ હસન 1965થી 1995 સુધી તેના અમીર રહ્યા. તેના ત્રીસ વર્ષના કાર્યકાળમાં જમાનનો ફેલાવો વિશ્વબરમાં થયો. 1995માં તેમનાં નિધન બાદ વિવાદ ઉભો થયો અને કોઈને પણ અમીર બનાવવામાં ન આવ્યા. પરંતુ કેટલાક લોકોની કમિટી બનાવવામાં આવી. છેલ્લા 25 વર્ષમાં આ કમિટીના મોટાભાગના સભ્યોના મોત થઈ ગયા અને તેમાં મૌલાના સાદ એકમાત્ર જીવીત વ્યક્તિ છે. એવામાં મૌલાના સાદે ખુદને જમાતના અમીર જાહેર કરી રાખ્યા છે. જોકે, તેને લઈને પણ ઘણો વિવાદ થયો. બે વર્ષ પહેલા નિઝામુદ્દીનમાં ઝઘડા પણ થયા. મુસ્લિમ સમાજમાં ઉપદેશ તરીકેની છે ઓળખ આ બધા વિવાદની વચ્ચે મુસ્લિમ સમાજમાં મૌલાના સાદના ઉપદેશ ઘણાં ધાર્મિક મહત્ત્વ ધરાવે છે જેને મોટી સંખ્યામાં લોકો સાંભળે છે. મૌલાના સાદની દેખરેખમાં તબલીઘી જમાતના અનેક આલીમી જલસાનું આયોજન થયું. 25 ફેબ્રુઆરીના 2018ના રોજ ‘ડોન’એ તબલીઘી જમાનના બે ગ્રુપના મતભેદ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં મૌલાના સાદ પર વિદ્વાનોને અપમાનિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, ઇસ્લામ ધર્મની ખોટી વ્યાખ્યાને કારણે દારુલમ ઉલૂમ દેવબંદ મૌલાના વિરૂદ્ધ ફતવો બહાર પાડી ચૂક્યું છે. જોકે તેના સમર્થકોનો દાવો છે કે મૌલાના સાદ કુરાન અને હદીસને ટાંકીને જ કોઈ વાત કહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget