શોધખોળ કરો

Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરે આ કારણે નહોતા કર્યા લગ્ન, જાણો વિગત

Lata Mangeshkar Death: લતા મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા.

Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરના ચાહકો માટે માઠા સમાચાર છે. ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધનની જાહેરાત કરી છે. મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.

ભારતના સ્વરકોકિલા લતા મંગેશકરે શાળામાં પગ મુક્યા વગર જ વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવેલી છે. લતા મંગેશકરનું જીવન અને સમગ્ર જીવનકાળ દરમિયાનનો તેમનો સંઘર્ષ સૌ કોઈ માટે પથદર્શક બની શકે તેમ છે. તેમણે પોતાના પરિવાર માટે થઈને કદી પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો.

શું હતું સાચું નામ

લતા મંગેશકરનો જન્મ મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે એક સાવ સામાન્ય પરિવારમાં થયો હતો. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરનું સાચું નામ હેમા હરિડકર હતું. તેમના પિતાએ તેમના ગામ મંગેશી પરથી બાળકોની અટક મંગેશકર કરી દીધી હતી. ત્યાર બાદ હેમાએ સંગીતની દુનિયામાં ડગ માંડ્યા અને તેઓ લતા મંગેશકર તરીકે ઓળખાયા. લતા મંગેશકર ખૂબ નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું અને ઘરની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી.

આર્થિક સ્થિતિ કથળી

લતા મંગેશકરે પોતાની નાની બહેનોને ભણાવવા માટે પોતાનો અભ્યાસ જતો કર્યો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેમણે શાળાએ જવાનું છોડી દીધું હતું અને ઘરે રહીને ભણવાનું ચાલુ કર્યું હતું. તેમણે પહેલેથી પોતાના પિતા સાથે મરાઠી સંગીત નાટકોમાં કામ કરેલું હતું. આ સાથે જ 14 વર્ષની ઉંમરે તેમણે મોટા શો અને નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી.

આશા-લતા વચ્ચે અણબનાવ

1942ના વર્ષમાં તેમના પિતાનું અવસાન થયું હતું અને 7 વર્ષ બાદ ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો ત્યારે આશા ભોંસલેએ લવ મેરેજ કરી લીધા હતા. આ કારણે લતા મંગેશકર તેમના પર ખૂબ જ રોષે ભરાયા હતા અને બંને વચ્ચે અણબનાવ થયો હતો. 1949માં આશાએ ગણપતરાવ ભોંસલે સાથે લવ મેરેજ કર્યા હતા.

પરિવાર માટે પોતાનું બલિદાન

આશાએ લગ્ન કરી લીધા ત્યાર બાદ ફરી એક વખત ઘરની તમામ જવાબદારી લતા મંગેશકરના ખભે આવી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં તેઓ પોતે ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા અને લોકો તેમને આશા કરતાં પણ વધારે માન આપતા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે પોતે પરિવારની જવાબદારીના કારણે કદી લગ્ન વિશે વિચારી જ ન શક્યા તેમ જણાવ્યું હતું. લતા મંગેશકરને તેમનાથી નાના 4 ભાઈ-બહેન છે જેમાં બહેનોના નામ મીના મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે.

લતા મંગેશકરની અજાણી વાતો

  • મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ આપવાની શરૂ કરી હતી.
  • લતા મંગેશકર માટે ગાવુ પૂજા સમાન હતી. રેકોર્ડિંગના સમયે તેઓ ખુલ્લા પગે રહેતા. તેમના પિતાજી દ્વારા આપેલા તંબૂરાને તેમણે સાચવીને રાખ્યું છે.
  • લતા મંગેશકરને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. વિદેશમાં તેમણે પાડેલા ફોટાનું પ્રદર્શની પણ યોજાયું છે.
  • રમતમાં તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો. ભારતના કોઈ મોટા મેચના દિવસે તેઓ બધા કામ મૂકી મેચ જોવાનુ પસંદ કરતા હતા.
  • કાગળ પર કંઈક લખતા પહેલા તેઓ શ્રીકૃષ્ણ લખતા હતા.
  •  હિટ ગીત 'આએગા આને વાલા..' માટે તેમને 22 રીટેક આપવા પડ્યા હતા.
  • લતા મંગેશકરની પસંદગીનું ભોજન કોલ્હાપુરી મટન અને તળેલી માછલી હતા.
  • ચેખોવ અને ટોલ્સટોય, ખલીલ જિબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તેઓ જ્ઞાનેશ્વરી અને ગીતા પણ પસંદ કરે છે.
  • કુંદનલાલ શહગલ અને નૂરજહાં તેમના પસંદીદા ગાયક-ગાયિકા હતા. શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં લતા મંગેશકરને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, મોટા ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ હતા.
  • ગુરૂદત્ત, સત્યજિત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ હતી.
  • તહેવારમાં તેમને દિવાળી ખૂબ પસંદ હતો
  • ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખૂબ પસંદ હતા.
  • પડોસન, ગૉન વિદ દ વિંડ અને ટાઈટેનિક લતાની પસંદગીની ફિલ્મો હતી.
  • સ્ટેજ પર ગાતી વખતે તેમને પહેલીવાર 25 રૂપિયાનું ઈનામ મળ્યુ હતુ. જેને એ પોતાની પહેલી કમાણી માને છે. અભિનેત્રીના રૂપમાં તેને પહેલીવાર 300 રૂપિયા મળ્યા હતા.
  • ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરુ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ હતા શ્રીકૃષ્ણ શર્મા.
  • મહાશિવરાત્રિ, શ્રાવણ સોમવાર ઉપરાંત તેઓ ગુરૂવારનું વ્રત પણ રાખેતા હતા.
  • તેઓ મરાઠી ભાષી છે, પણ હિંદી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત ગુજરાતી અને પંજાબી ભાષામાં વાત કરતા હતા.
  • લક્ષ્મીકાંત પ્યારેલાલના 686, શંકર જયકિશનના 453 યુગલ ગીત ગાયા. જ્યારે 327 કિશોરની સાથે. મહિલા યુગલ ગીત તેમણે સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા હતા.
  • ગીતકારમાં આનંદ બક્ષી દ્વારા લખેલા 700થી વધારે ગીત લતા મંગેશકરએ ગાયા હતા.
  • વર્ષ 1951માં લતાજીએ સર્વાધિક 225 ગીત ગાયા હતા.
  • આજા રે પરદેશી(મધુમતિ 1958) કહીં દીપ જલે કહીં દિલ (બીસ સાલ બાદ 1962) તુમ્હી મેરે મંદિર(ખાનદા 1965)અને આપ મુઝે અચ્છે લગને લગે (જીને કી રાહ 1969) માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા પછી લતા મંગેશકરએ આ પુરસ્કારને સ્વીકાર કરવાનુ બંધ કરી દીધું. તેઓ ઈચ્છતા હતા કે નવી ગાયિકાને આ પુરસ્કાર મળે.
  • જ્યારે લતા મંગેશકર સાત વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર મુંબઈ આવી ગયો, તેથી તેમનો ઉછેર મુંબઈમાં થયો.
  • વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કાર્યક્રમમાં લતા મંગેશકરએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત 'એ મેરે વતન કે લોગો' ગાયુ હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો

વિડિઓઝ

Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
Rajkot: રાજકોટમાં દર્દીના સગાએ તબીબ પર કર્યો હુમલો, તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
વિધાનસભામાં કોંગ્રેસના દંડક પદ પરથી રાજીનામું આપવા કિરીટ પટેલ મક્કમ, કહ્યું- 'ભાજપની જેમ કોંગ્રેસ.....'
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6 હજાર સસ્તુ, ચાંદીમાં પહેલીવાર 31,500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Embed widget