શોધખોળ કરો
કુલભૂષણ જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો કર્યો ઈનકાર, પાકિસ્તાને કહી આ વાત
જાધવને 2017માં પાકિસ્તાનની કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.

કરાચીઃ પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ ભારતીય નૌસેનાના અધિકારી કુલભૂષણ જાધવે રિવ્યૂ પિટીશન દાખલ કરવાથી ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવે બીજી કોન્સ્યૂલર એક્સેસ આપવાની ઓફર રાખી છે. પાકિસ્તાનના એડિશનલ એટર્ની જનરલના કહેવા મુજબ, 17 જૂન, 2020ના રોજ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને રિવ્યૂ પિટીશન દાખલ કરવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તેણે ના પાજી હતી. પાકિસ્તાને આ અંગે ભારતના હાઇ કમિશનને પત્ર લખ્યો છે. પાકિસ્તાને કોન્સ્યૂલર એક્સેસ ઓફર કરી છે. જાધવને 2017માં પાકિસ્તાનની કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મોતની સજા સંભળાવી હતી. જે બાદ આ મામલો ઈન્ટનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પહોંચ્યો હતો. જ્યાં જાધવની તરફેણમાં ફેંસલો આવ્યો હતો. આઈસીજે એ પાકિસ્તાનને જાધવની સજાની સમીક્ષા કરવા તથા તેને જલદીથી કોન્સ્યૂલર એક્સેસ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારથી ભારત આદેશને લાગુ કરાવવાની કોશિશ કરી રહ્યું છે.
વધુ વાંચો





















