Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક
Manoj Kumar Death: પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ છે.

Manoj Kumar Death: પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાએ લાંબી બીમારી સામે લડ્યા બાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળે છે. તેમને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
મનોજ કુમારના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ કરી
સમાચાર એજન્સી ANI એ શુક્રવારે સવારે કુમારના અવસાનના અહેવાલ આપ્યા હતા અને કહ્યું હતું કે અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ પીઢ અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે. તેમણે કહ્યું, "તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ભગવાનની કૃપા છે કે તેઓ શાંતિપૂર્વક આ દુનિયા છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર કાલે થશે."
Deeply saddened by the passing of legendary actor and filmmaker Shri Manoj Kumar Ji. He was an icon of Indian cinema, who was particularly remembered for his patriotic zeal, which was also reflected in his films. Manoj Ji's works ignited a spirit of national pride and will… pic.twitter.com/f8pYqOxol3
— Narendra Modi (@narendramodi) April 4, 2025
મનોજ કુમારના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી. પીએમએ લખ્યું, "મનોજ કુમાર જી, તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા, ખાસ કરીને તેમની દેશભક્તિ માટે યાદ કરવામાં આવે છે, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતી હતી. મનોજ જીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી અને તે પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ."
Shri Manoj Kumar ji was a versatile actor, who would always be remembered for making films full of patriotism. Popularly known as ‘Bharat Kumar’ his unforgettable performances in films like ‘Upkaar’, ‘Purab and Paschim’ have enriched our culture and have endeared him to people…
— Rajnath Singh (@rajnathsingh) April 4, 2025
રાજનાથ સિંહે મનોજ કુમારને પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે X પરની તેમની પોસ્ટમાં લખ્યું, "શ્રી મનોજ કુમારજી એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા જેમને દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. 'ભારત કુમાર' તરીકે જાણીતા, 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ' જેવી ફિલ્મોમાં તેમના અવિસ્મરણીય અભિનયથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થઈ છે અને તેમને પેઢીઓ સુધી પ્રિય બનાવ્યા છે, તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
In a career spanning four decades, prolific actor and director, Manoj Kumar ji captivated the audiences with his films made on patriotism and national pride.
— Mallikarjun Kharge (@kharge) April 4, 2025
The Padma Shri recipient, was fondly known as 'Bharat Kumar' and his films like 'Shaheed' and ‘Upkaar’ earned the… pic.twitter.com/Xh76Bcy6n5
सुप्रसिद्ध अभिनेता और फिल्म निर्देशक मनोज कुमार जी के निधन के समाचार से मन बहुत व्यथित है। मनोज कुमार जी का जाना अभिनय और कला जगत के लिए अपूरणीय क्षति है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 4, 2025
उनका हर संवाद, हर फिल्म, हर गीत भारत के प्रति उनकी अगाध श्रद्धा और प्रेम का प्रतीक था। 'शहीद' में भगत सिंह बनकर, 'उपकार' में… pic.twitter.com/RpVQAF2rET
सुप्रसिद्ध भारतीय अभिनेता और फिल्म निर्देशक, पद्म श्री और दादा साहब फाल्के पुरस्कार से सम्मानित श्री मनोज कुमार जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। उनका जाना फिल्म जगत और सिनेमा प्रेमियों के लिए एक अपूरणीय क्षति है।
— Pushkar Singh Dhami (@pushkardhami) April 4, 2025
ईश्वर पुण्यात्मा को श्रीचरणों में स्थान एवं शोक संतप्त…





















