શોધખોળ કરો

Manoj Kumar Death: મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર, PM મોદી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યો શોક

Manoj Kumar Death: પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાના નિધનથી ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ છે.

Manoj Kumar Death: પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87  વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાએ લાંબી બીમારી સામે લડ્યા બાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળે છે. તેમને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મનોજ કુમારના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર કુણાલ ગોસ્વામીએ કરી
સમાચાર એજન્સી ANI એ શુક્રવારે સવારે કુમારના અવસાનના અહેવાલ આપ્યા હતા અને કહ્યું હતું કે અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ  પીઢ અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે. તેમણે કહ્યું, "તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. ભગવાનની કૃપા છે કે તેઓ શાંતિપૂર્વક આ દુનિયા છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર કાલે થશે."

 

મનોજ કુમારના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
મનોજ કુમારના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી. પીએમએ લખ્યું, "મનોજ કુમાર જી, તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા, ખાસ કરીને તેમની દેશભક્તિ માટે યાદ કરવામાં આવે છે, જે તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતી હતી. મનોજ જીના કાર્યથી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી અને તે પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ."

 

રાજનાથ સિંહે મનોજ કુમારને પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે X પરની તેમની પોસ્ટમાં લખ્યું, "શ્રી મનોજ કુમારજી એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા જેમને દેશભક્તિની ફિલ્મો બનાવવા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. 'ભારત કુમાર' તરીકે જાણીતા, 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ' જેવી ફિલ્મોમાં તેમના અવિસ્મરણીય અભિનયથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થઈ છે અને તેમને પેઢીઓ સુધી પ્રિય બનાવ્યા છે, તેમનો સિનેમેટિક વારસો તેમના કાર્યો દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget