શોધખોળ કરો

Lok Sabha Election 2024 Live: ચૈતર વસાવાને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી

Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે બિહારના ગયા પહોંચ્યા. અહીંથી તેઓ પશ્ચિમ બંગાળ જશે અને જનતા પાસે વોટ માંગશે.

LIVE

Key Events
Lok Sabha Election 2024 Live: ચૈતર વસાવાને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી

Background

13:58 PM (IST)  •  17 Apr 2024

રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ

રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ.

જાણીતા વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા સી-વીજીલ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી.

રાજકોટ શહેરમાં અલગ અલગ અંદાજે 100 હોર્ડિંગ લગાડવામાં આવ્યા.

અલગ અલગ હોલ્ડિંગ્સમાં મુદ્રણ અને પ્રકાશન લખવામાં આવ્યું નથી.

127 એ લોક પ્રતિનિધિ અધિનિયમ મુજબ સામાન્ય નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી.

મહાનગરપાલિકાના અધિકારીઓ રેસકોર્સ પહોંચ્યા.

અલગ અલગ પાંચ જેટલા કોડિંગ ઉતારવામાં આવ્યા.

ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપ સામે બૌદ્ધિક લડાઈ શરૂ કરવામાં આવી.

આચાર સંહિતા વિભાગીય નોડલના અધિકારી રેસકોસ રીંગરોડ પર હોલ્ડિંગ સુધારવા પહોંચ્યા.

હોર્ડિંગ્સમાં ક્યાંય મુદ્રણ અને પ્રકાશનનો ઉપયોગ નહીં.

ક્ષત્રિય આગેવાનોએ પૂછ્યું આ હોલ્ડિંગ ની મંજૂરી છે કે કેમ અધિકારીઓ ન બોલી શક્યા.

13:00 PM (IST)  •  17 Apr 2024

છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ

છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ.

કોંગ્રેસનાં કાર્યકરો અને ક્ષત્રિય સમાજનાં કાર્યકરો ભાજપમાં જોડાયા.

છોટાઉદેપુરનાં લોકસભા ઉમેદવાર જશુ રાઠવા અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા.

ક્ષત્રિય સમાજનાં અગ્રણી ગોપાલસિંહ ઠાકોરનું નિવેદન. કેટલીક જગ્યા પર ભાજપનો ક્ષત્રિય સમાજ વિરોધ કરતા હશે.

વડોદરામાં ક્યાંય ક્ષત્રિય સમાજ ભાજપનાં વિરોધમાં નથી. આજે 500થી વધુ લોકો ભાજપ માં જોડાયા છે.

12:25 PM (IST)  •  17 Apr 2024

નીતિન પટેલનું નિવેદન

રામ એટલે સત્ય, પવિત્રતા, ક્ષમા, ઉદારતા.

તેમના આશિર્વાદથી સમગ્ર વિશ્વનું જીવન ચાલે છે.

જ્યાં જ્યાં હિન્દૂ વસે છે ત્યાં રામનવમી ઉજવાય છે. 

24 કલાકથી ધૂન ગઈ કાલ થી ચાલુ થઇ તેની પુર્ણાહુતી થઇ.

વર્ષો વર્ષ સુધી રામ લલા માત્ર ચૂંટણીમાં બિરાજમાન હતા.

હવે આયોધ્યામાં મંદિરનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.

પણ બધાની લાગણીને કારણે આ વર્ષે પ્રથમ વખત ભવ્ય મંદિરમાં ઉજવાઈ રહ્યું છે.

અત્યાર સુધીમાં કરોડો લોકો દર્શન કરી ચુક્યા છે.

 ક્ષત્રિયો મામલે નીતિન પટેલનું નિવેદન, ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. 

ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ નિરાકરણ થાય. 

વિવાદિત નિવેદન સામે નીતિન પટેલનું નિવેદન બધા મર્યાદામાં રહે તે જરૂરી છે. 

દેશની રક્ષા કરવી હોય તો ભગવાનના આશિર્વાદ મેળવવા જોઈએ, ધર્મ અને દેશ એક જ છે.

12:23 PM (IST)  •  17 Apr 2024

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રભુ શ્રી રામના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો


આજે રામનવમી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રભુ શ્રી રામના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. રાજકોટના ધોરાજીમાં રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. ધોરાજીના વિવિધ વિસ્તારમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા જોડાયા. વસોયાએ જય શ્રી રામનો નારો લગાવી પ્રભુ શ્રી રામના દર્શન કર્યા. તો ઢોલ વાડી તલવાર રાસમાં પણ ભાગ લીધો. તો જય શ્રી રામના નારા સાથે રાજકોટ શહેર ગુંજી ઉઠ્યુ. આજે વહેલી સવારે રાજકોટના માર્ગો પર રૈયા રોડ વિસ્તારથી ભવ્ય શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રાનું ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યુ. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલે પ્રભુ શ્રી રામના દર્શન કરી ચૂંટણીમાં જીત માટેના આશિર્વાદ મેળવ્યા. શહેરના વસ્ત્રાલમાં આવેલા પ્રસિદ્ધ રામજી મંદિર અયોધ્યા ધામના દર્શને હસમુખ પટેલ પહોંચ્યા. જ્યાં તેમને ભગવાન રામના દર્શન કર્યા અને ફૂલહાર અર્પણ કર્યા. આ સમયે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા અને જય શ્રી રામનો નારો લગાવ્યો. તો કચ્છના ભુજમાં હમીરસર કાંઠે આવેલા ઐતિહાસિક રામ મંદિરમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ઐતિહાસિક રામ મંદિરમાં દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો.

11:51 AM (IST)  •  17 Apr 2024

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા રાજનીતી ગરમાઈ

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા રાજનીતી ગરમાઈ છે.

રાજકોટ આવતાની સાથે જ પરેશ ધાનાણીએ કહ્યું મારી સામેના ઉમેદવાર સંભવિત છે. 

ગઈકાલે પરસોતમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છતાં પરેશ ધાનાણીએ સંભવિત ગણાવતા ભાજપના નેતાઓ આક્રમક બન્યા છે. 

ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ એ કહ્યું કે ગઈકાલે શક્તિ પ્રદર્શન સાથે પરસોતમભાઈ રૂપાલાએ ફોર્મ ભર્યું છે. 

કોંગ્રેસમાં બધું સંભવિત હોય, સોનિયા ગાંધીથી લઈ અને મનમોહનસિંહ સંભવિત હતા.

પરેશ ધાનાણી દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસરDinu Solanki VS Digvijaysinh Jadeja: દિનુ સોલંકીના ગીર સોમનાથના કલેક્ટર પર ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી! દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
બર્થ સર્ટિફિકેટમાં સુધારાનો છેલ્લો મોકો! તારીખ નોંધી લો! સરકારે ડેડલાઈન જાહેર કરી
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
મોહમ્મદ શમીની ધમાકેદાર વાપસીઃ આવતા જ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડે ક્રિકેટમાં વિશ્વના તમામ બોલરોને છોડ્યા પાછળ
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પર કોર્ટની મહોર, ફેમિલી કોર્ટમાં પૂરી થઈ કાનૂની પ્રક્રિયા
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
અશ્લીલ સામગ્રીને લઈને સરકાર કડક! OTT-સોશિયલ મીડિયા માટે નવી માર્ગદર્શિકા જાહેર
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ
Embed widget