Lok Sabha Election 2024 Live: ચૈતર વસાવાને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી
Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે બિહારના ગયા પહોંચ્યા. અહીંથી તેઓ પશ્ચિમ બંગાળ જશે અને જનતા પાસે વોટ માંગશે.

Background
Lok Sabha Election 2024 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (16 એપ્રિલ) બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. પીએમ બિહારના ગયા જિલ્લામાં પહોંચી ગયા છે અને ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. અહીં પીએમ એનડીએના ઉમેદવાર અને બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી માટે વોટ માંગશે. ગયામાં આ ચૂંટણી રેલી સાથે પીએમ મોદી ચાર લોકસભા બેઠકો મગધ, ગયા, નવાદા, જમુઈ અને ઔરંગાબાદના મતદારોને અપીલ કરશે.
આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના બાલુરઘાટ પહોંચશે. અહીં પણ તેઓ જનસભાને સંબોધશે. ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટથી ઉમેદવાર છે. પીએમ મોદી મજુમદાર માટે જનતા પાસેથી વોટ માંગશે. આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના રાયગંજ જશે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. રાયગંજથી ભાજપના કાર્તિક ચંદ્ર પાલ ઉમેદવાર છે.
રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ
રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ.
જાણીતા વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા સી-વીજીલ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી.
રાજકોટ શહેરમાં અલગ અલગ અંદાજે 100 હોર્ડિંગ લગાડવામાં આવ્યા.
અલગ અલગ હોલ્ડિંગ્સમાં મુદ્રણ અને પ્રકાશન લખવામાં આવ્યું નથી.
127 એ લોક પ્રતિનિધિ અધિનિયમ મુજબ સામાન્ય નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી.
મહાનગરપાલિકાના અધિકારીઓ રેસકોર્સ પહોંચ્યા.
અલગ અલગ પાંચ જેટલા કોડિંગ ઉતારવામાં આવ્યા.
ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપ સામે બૌદ્ધિક લડાઈ શરૂ કરવામાં આવી.
આચાર સંહિતા વિભાગીય નોડલના અધિકારી રેસકોસ રીંગરોડ પર હોલ્ડિંગ સુધારવા પહોંચ્યા.
હોર્ડિંગ્સમાં ક્યાંય મુદ્રણ અને પ્રકાશનનો ઉપયોગ નહીં.
ક્ષત્રિય આગેવાનોએ પૂછ્યું આ હોલ્ડિંગ ની મંજૂરી છે કે કેમ અધિકારીઓ ન બોલી શક્યા.
છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ
છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ.
કોંગ્રેસનાં કાર્યકરો અને ક્ષત્રિય સમાજનાં કાર્યકરો ભાજપમાં જોડાયા.
છોટાઉદેપુરનાં લોકસભા ઉમેદવાર જશુ રાઠવા અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા.
ક્ષત્રિય સમાજનાં અગ્રણી ગોપાલસિંહ ઠાકોરનું નિવેદન. કેટલીક જગ્યા પર ભાજપનો ક્ષત્રિય સમાજ વિરોધ કરતા હશે.
વડોદરામાં ક્યાંય ક્ષત્રિય સમાજ ભાજપનાં વિરોધમાં નથી. આજે 500થી વધુ લોકો ભાજપ માં જોડાયા છે.





















