શોધખોળ કરો

Lok Sabha Elections 2024: પ્રોપર્ટીના વિભાજન બાદ વારસાગત ટેક્સને લઇને ઘમાસાણ, BJPએ સામ પિત્રોડા પર સાધ્યું નિશાન

Lok Sabha Elections 2024: બીજેપી નેતા અમિત માલવિયાએ પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસે ભારતને બરબાદ કરવાનો નિર્ણય લીધો છે

Lok Sabha Elections 2024:  2024ના બીજા તબક્કાના મતદાન પહેલા મિલકતની વહેંચણી પર રાજકીય વિવાદ વચ્ચે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાના વારસાગત કર પરના નિવેદન પર રાજકીય હોબાળો થયો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના નિવેદન પર કોંગ્રેસને ઘેરી છે, ત્યારે કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી અંતર બનાવી લીધું હતું.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સામ પિત્રોડાએ કહ્યું હતું કે “અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે ફક્ત 45 ટકા તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે, સરકાર 55 ટકા સંપત્તિ લઇ લે છે. આ એક રસપ્રદ કાયદો છે. તે કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ, બધી નહીં પરંતુ અડધી જે મને યોગ્ય લાગે છે.

તેમણે આગળ કહ્યું હતું કે “ભારતમાં તમારી પાસે તે નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ રૂપિયા છે અને તે મૃત્યુ પામે છે, તો તેના બાળકોને 10 અબજ રૂપિયા મળે છે અને જનતાને કશું મળતું નથી. તેથી આ એવા મુદ્દા છે જેના પર લોકોએ ચર્ચા કરવી પડશે. મને ખબર નથી કે પરિણામ શું આવશે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ ત્યારે આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને માત્ર અતિ સમૃદ્ધ લોકોના હિતમાં નથી.

પિત્રોડાએ નિવેદનનો બચાવ કર્યો હતો

વધુમાં તેણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે મે ટીવી પર પોતાની સામાન્ય વાતચીતમાં ફક્ત એક ઉદાહરણ તરીકે અમેરિકામાં વારસાગત ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો. શું હું તથ્યોનો ઉલ્લેખ ના કરી શકું.? મેં કહ્યું કે આ એવા મુદ્દા છે જેના પર લોકોએ ચર્ચા કરવી પડશે. આને કોંગ્રેસ સહિત કોઈપણ પક્ષની નીતિ સાથે કોઈ લેવાદેવા નથી. કોણે કહ્યું કે 55 ટકા છીનવી લેવામાં આવશે? કોણે કહ્યું કે ભારતમાં આવું કંઈક થવું જોઈએ? ભાજપ અને મીડિયા કેમ ગભરાયેલ છે?

પિત્રોડાના નિવેદન પર ભાજપે કોંગ્રેસને ઘેરી

બીજેપી નેતા અમિત માલવિયાએ પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસે ભારતને બરબાદ કરવાનો નિર્ણય લીધો છે. હવે, પિત્રોડા સંપત્તિના પુનઃવિતરણ માટે 50 ટકા વારસાગત કરની હિમાયત કરે છે. આનો અર્થ એ છે કે અમે અમારી બધી મહેનત અને એન્ટરપ્રાઇઝથી જે બનાવીએ છીએ તેમાંથી 50 ટકા છીનવી લેવામાં આવશે.  આ સિવાય અમે જે પણ ટેક્સ ચૂકવીએ છીએ તે પણ જો કોંગ્રેસ જીતશે તો વધશે.

કોંગ્રેસે સ્પષ્ટતા કરી

પિત્રોડાના નિવેદન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, પિત્રોડા મારા સહિત વિશ્વભરના ઘણા લોકોના ગુરુ, મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક રહ્યા છે. તેમણે ભારતના વિકાસમાં અસંખ્ય, કાયમી યોગદાન આપ્યું છે. તેઓ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે. પિત્રોડા ખુલ્લેઆમ એવા મુદ્દાઓ પર તેમના મંતવ્યો વ્યક્ત કરે છે જેના વિશે તેઓ ભારપૂર્વક અનુભવે છે. ચોક્કસપણે લોકશાહીમાં વ્યક્તિ તેના અંગત વિચારોની ચર્ચા કરવા, વ્યક્ત કરવા અને ચર્ચા કરવા માટે સ્વતંત્ર છે. આનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચારો હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થિતિ દર્શાવે છે. "ઘણી વખત તેઓ તે કરતા નથી."

તેમણે વધુમાં કહ્યું, “હવે તેમની ટિપ્પણીઓને સનસનાટીભર્યા બનાવવી અને તેમને સંદર્ભની બહાર લઈ જવું એ નરેન્દ્ર મોદીના દૂષિત અને તોફાની ચૂંટણી પ્રચારમાંથી ધ્યાન હટાવવાનો ઇરાદાપૂર્વકનો અને ભયાવહ પ્રયાસ છે; "તે ફક્ત જૂઠાણા અને વધુ જૂઠાણાં પર આધારિત છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Embed widget