Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મેળા વહીવટીતંત્રે મહા પૂર્ણિમા પર એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મુક્યો છે.

Maha Kumbh 2025: મહાકુંભમાં આજે મહા પૂર્ણિમાના અવસર પર શ્રદ્ધાળુઓ સ્નાન માટે મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મહાકુંભના એડિશનલ મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આજે 'મહા પૂર્ણિમા'નું સ્નાન છે, આ વખતે મેળામાં ખૂબ ભીડ છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહાકુંભ દરમિયાન મહા પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધીમાં 73 લાખથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP:
— ANI (@ANI) February 11, 2025
Devotees take holy dip at Triveni Sangam, on the occasion of #MaghPurnima pic.twitter.com/FzbZCkykwh
મેળા વહીવટીતંત્રે મહા પૂર્ણિમા પર એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મુક્યો છે. નવા ટ્રાફિક પ્લાન મુજબ, મેળા વિસ્તાર સહિત સમગ્ર શહેરને 12 ફેબ્રુઆરી સુધી નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કલ્પવાસીઓના વાહનોને પણ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી. મેળા વિસ્તારમાં ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Massive crowd throng Triveni Sangam, to take holy dip, on the occasion of #MaghPurnima
— ANI (@ANI) February 11, 2025
(Drone visuals) pic.twitter.com/nYbNdcCzUu
સીએમ યોગીએ પાંચમા અમૃત સ્નાન નિમિત્તે સંગમ કિનારે પહોંચેલા ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, પવિત્ર સ્નાન પર્વ મહા પૂર્ણિમાની રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભકામનાઓ! આજે પ્રયાગરાજમાં મહાકુંભ-2025માં સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા તમામ પૂજ્ય સંતો, ધાર્મિક નેતાઓ, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ! ભગવાન શ્રી હરિ ની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, આ કામના છે.
पावन स्नान पर्व माघ पूर्णिमा की सभी श्रद्धालुओं एवं प्रदेश वासियों को हार्दिक बधाई!
— Yogi Adityanath (@myogiadityanath) February 11, 2025
महाकुम्भ-2025, प्रयागराज में आज पवित्र त्रिवेणी में पुण्य स्नान हेतु पधारे सभी पूज्य साधु-संतों, धर्माचार्यों, कल्पवासियों और श्रद्धालुओं का हार्दिक अभिनंदन!
भगवान श्री हरि की कृपा से सभी के…
2.5 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી શકશે
મંગળવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં 1 કરોડ 43 લાખ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. બુધવારે પણ મહા પૂર્ણિમાના દિવસે દિવસભર સ્નાન થશે. મેળા વહીવટીતંત્રનો અંદાજ છે કે લગભગ 2.5 કરોડ ભક્તો પવિત્ર સ્નાન કરશે.
ભીડને ધ્યાનમાં રાખીને મહાકુંભ વિસ્તારમાં વાહનોનો પ્રવેશ એક દિવસ અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રયાગરાજ શહેરને પણ નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ફક્ત ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનો જ દોડશે. ભીડમાં થોડો વધારો થયો છે પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ભક્તો પણ સ્નાન કરીને ઝડપથી પાછા ફરી રહ્યા છે. મેળાની અંદર ક્યાંય પણ જામ જેવી પરિસ્થિતિ નથી.





















