શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ સાત ઓક્ટોબરથી ફરીથી ખુલશે તમામ ધર્મસ્થળો, મુખ્યમંત્રીએ કહ્યું- સંક્રમણ ઘટ્યું છે પણ જોખમ યથાવત

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સલામતીનાં યોગ્ય પગલા લે અને એ પ્રમાણે વ્યવહાર કરે.

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી કે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓક્ટોબરથી કોવિડ -19 પ્રોટોકોલ સાથે ખુલશે. આ પગલું કોરોનાની બીજી લહેરના અંત થવાના સંકેતો વચ્ચે લેવામાં આવ્યું છે.

આની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સલામતીનાં યોગ્ય પગલા લે અને એ પ્રમાણે વ્યવહાર કરે. તેમણે કહ્યું કે, "રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓક્ટોબરથી ખુલશે. મહારાષ્ટ્ર સરકારે ત્રીજી લહેર માટે તૈયારી કરી છે, પરંતુ સાવચેતી રાખીને રાજ્ય સરકાર વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટછાટ આપી રહી છે.”

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ચેપના કેસ ઘટી રહ્યા છે પરંતુ કોરોના વાયરસનો ખતરો યથાવત છે. તેમણે કહ્યું, "ભલે કોવિડ -19 ના દૈનિક કેસો ઘટી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ."

ઠાકરેએ કહ્યું, "ધાર્મિક સ્થળો ખોલવા જઈ રહ્યા છે, લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આવા પગલાંની ખાતરી કરવા માટે મંદિરોનું સંચાલન જવાબદાર રહેશે.”

મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,286 નવા કેસ, વધુ 51 દર્દીઓના મોત

શુક્રવારે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,286 નવા કેસ નોંધાયા હતા જ્યારે 51 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 65,37,843 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી 1,38,776 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 24 કલાક દરમિયાન, ચેપ મુક્ત થયા બાદ 3,933 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધી રોગચાળાને હરાવનારા લોકોની સંખ્યા વધીને 63,57,012 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 39,491 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભારતમાં કોરોના એક્ટિવ કેસો ઘટીને લગભગ ત્રણ લાખ પર આવી ગયા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 31,382 નવા કોરોના કેસ આવ્યા અને 318 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો. તે જ સમયે, 32,542 લોકો પણ 24 કલાકમાં કોરોનાથી સાજા થયા છે, એટલે કે 1478 એક્ટિવ કેસ ઘટ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget