શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ સાત ઓક્ટોબરથી ફરીથી ખુલશે તમામ ધર્મસ્થળો, મુખ્યમંત્રીએ કહ્યું- સંક્રમણ ઘટ્યું છે પણ જોખમ યથાવત

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સલામતીનાં યોગ્ય પગલા લે અને એ પ્રમાણે વ્યવહાર કરે.

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી કે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓક્ટોબરથી કોવિડ -19 પ્રોટોકોલ સાથે ખુલશે. આ પગલું કોરોનાની બીજી લહેરના અંત થવાના સંકેતો વચ્ચે લેવામાં આવ્યું છે.

આની જાહેરાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તેઓ કોવિડ -19 મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સલામતીનાં યોગ્ય પગલા લે અને એ પ્રમાણે વ્યવહાર કરે. તેમણે કહ્યું કે, "રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો 7 ઓક્ટોબરથી ખુલશે. મહારાષ્ટ્ર સરકારે ત્રીજી લહેર માટે તૈયારી કરી છે, પરંતુ સાવચેતી રાખીને રાજ્ય સરકાર વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટછાટ આપી રહી છે.”

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ચેપના કેસ ઘટી રહ્યા છે પરંતુ કોરોના વાયરસનો ખતરો યથાવત છે. તેમણે કહ્યું, "ભલે કોવિડ -19 ના દૈનિક કેસો ઘટી રહ્યા છે પરંતુ દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ."

ઠાકરેએ કહ્યું, "ધાર્મિક સ્થળો ખોલવા જઈ રહ્યા છે, લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આવા પગલાંની ખાતરી કરવા માટે મંદિરોનું સંચાલન જવાબદાર રહેશે.”

મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,286 નવા કેસ, વધુ 51 દર્દીઓના મોત

શુક્રવારે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,286 નવા કેસ નોંધાયા હતા જ્યારે 51 મૃત્યુ નોંધાયા હતા. આ સાથે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 65,37,843 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંથી 1,38,776 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 24 કલાક દરમિયાન, ચેપ મુક્ત થયા બાદ 3,933 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધી રોગચાળાને હરાવનારા લોકોની સંખ્યા વધીને 63,57,012 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 39,491 દર્દીઓ સારવાર હેઠળ છે.

ભારતમાં કોરોના એક્ટિવ કેસો ઘટીને લગભગ ત્રણ લાખ પર આવી ગયા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 31,382 નવા કોરોના કેસ આવ્યા અને 318 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો. તે જ સમયે, 32,542 લોકો પણ 24 કલાકમાં કોરોનાથી સાજા થયા છે, એટલે કે 1478 એક્ટિવ કેસ ઘટ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget