શોધખોળ કરો

Maharashtra : અમિત શાહ સાથે બેઠક બાદ CM એકનાથ શિંદેએ કર્યો ગર્ભિત ઈશારો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

CM Eknath Shinde Meet Amit Shah : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન મને રાજ્યપાલની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં કંઈક મોટી નવા-જુનીને લઈને ઈશારો કરતા અનેક રાજકીય તર્ક-વિતર્ક વહેતા થયા છે. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં થઈ હતી. બેઠકમાં મહારાષ્ટ્રને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ખાંડ ઉદ્યોગને મજબૂત અને સશક્તિકરણ પર સકારાત્મક ચર્ચા થઈ હતી. ચોક્કસ મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગ અને ખેડૂતોને આનો ફાયદો થશે.

શિંદેએ ઉમેરતા કહ્યું હતું કે, સહકાર મંત્રી એવા નિર્ણયો લેશે જેનાથી મહારાષ્ટ્રને ફાયદો થશે. બીજી તરફ બેઠક બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 26 જાન્યુઆરીને લઈને રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા એકદમ યોગ્ય છે. પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 26 જાન્યુઆરીએ મુંબઈમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટી શકે છે.

બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભગતસિંહ કોશ્યારીએ પોતે આ અંગે માહિતી આપી હતી. બીજી તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, જો તેઓ વધુ પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ચાલુ રહેવા માંગતા હોય તો તેમને કોઈ રાજીનામું આપવા માટે નહીં કહે.

Maharashtra Governor : મહારાષ્ટ્રના રાજ્યપાલે કર્યો ધડાકો, PM મોદી સાથેની મુલાકાતને લઈ કહ્યું કે...

ભગતસિંહ કોશ્યારીએ સૌકોઈના આશ્ચર્ય વચ્ચે અચાનક જ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, મેં પીએમને તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની મારી ઈચ્છા જણાવી દીધી છે. રાજભવન દ્વારા આજ રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. 

રાજ્યપાલે ભગતસિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)ને તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીઓમાંથી રાજીનામું આપવાની ઈચ્છા વિશે જણાવ્યું હતું.

રાજ્યપાલ કોશ્યારીએ તેમનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓમાં વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેમ રાજભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. મીડિયાને આપેલા નિવેદનમાં કોશ્યારીએ કહ્યું હતું કે, મારા માટે સંતો, સમાજ સુધારકો અને બહાદુર લડવૈયાઓની ભૂમિ - મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક કે રાજ્યપાલ તરીકે સેવા આપવી એ મારા માટે સંપૂર્ણ સન્માન અને સૌભાગ્યની વાત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Meta layoffs: માર્ક ઝુકરબર્ગની ટેક કંપની AI ખર્ચમાં વધારો થતાં લગભગ 16,000 કર્મચારીઓની કરશે છટણી
Meta layoffs: માર્ક ઝુકરબર્ગની ટેક કંપની AI ખર્ચમાં વધારો થતાં લગભગ 16,000 કર્મચારીઓની કરશે છટણી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
Embed widget