શોધખોળ કરો

Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 2 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 20 પર પહોંચી

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને દેશમાં ભયનું વાતાવરણ છે, આ દરમિયાન, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી દ્વારા આજે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે.

Omicron Cases in Maharashtra: ઓમિક્રોન વેરિઅન્ટને લઈને દેશમાં ભયનું વાતાવરણ છે, આ દરમિયાન, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી દ્વારા આજે બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે, જેમાંથી 1 લાતુરનો છે અને 1 પુણેનો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 20 કેસ નોંધાયા છે. તેમાંથી 9 ઓમિક્રોન કેસ નેગેટિવ RT-PCR રિપોર્ટ બાદ રજા આપવામાં આવી છે. આજે જે નવા કેસ સામે આવ્યા છે તેમાં લક્ષણો જોવા મળ્યા નથી. પુણેની એક 39 વર્ષીય મહિલા ઓમિક્રોનથી સંક્રમિત મળી આવી છે. તે જ સમયે, લાતુરનો 33 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી પોઝિટિવ મળ્યો છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બે દર્દીઓના 3 નજીકના સંપર્કો શોધી કાઢવામાં આવ્યા છે. 

મુંબઈ-5
પિંપરી ચિંચવાડ - 10
કલ્યાણ ડોમ્બિવલી - 1
પુણે- 2
નાગપુર-1
લાતુર-1


મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના 569 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે એક દિવસમાં 5 લોકોએ ચેપને કારણે જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક દિવસમાં 160 નવા કેસ નોંધાયા છે અને બે મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 5 મૃત્યુ પછી, જીવ ગુમાવનારાઓનો કુલ આંકડો વધીને 1,41,264 થયો છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 6,507 છે, જ્યારે મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1,751 નોંધાઈ છે.

સુરતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો

ગુજરાતમાં કોરોના વાયરસના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનો  1 કેસ  નોંધાયો છે. આ પહેલા જામનગરમાં એક પોઝિટિવ કેસ હતો બાદમાં ઓમિક્રોનના અન્ય બે કેસ મળી આવતા કુલ કેસ ત્રણ થયા હતા. આજે એટલે કે સોમવારે સુરતમાં વધુ એક કેસ મળી આવતા રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીની સંખ્યા 4 પર  પહોંચી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget