શોધખોળ કરો

સાવરકર મુદ્દે મહારાષ્ટ્ર ગઠબંધનમાં પડી શકે છે તિરાડ, જાણો વિગત

વીર સાવરકર મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલું નિવેદન શિવસેના અને કોંગ્રેસ વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. એક સપ્તાહની અંદર બંને પક્ષોના વૈચારિક મતભેદ સામે આવ્યા હોવાનો બીજો કિસ્સો છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સત્તા માટે શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે બનેલા ગઠબંધનમાં શરૂઆતમાં જ વૈચારિક મતભેદ ખુલીને સામે આવવા લાગ્યા છે. વીર સાવરકર મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલું નિવેદન શિવસેના અને કોંગ્રેસ વચ્ચે વિવાદનું કારણ બની શકે છે. એક સપ્તાહની અંદર બંને પક્ષોના વૈચારિક મતભેદ સામે આવ્યા હોવાનો બીજો કિસ્સો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા ખાતાની ફાળવણીના 48 કલાકની અંદર જ સરકાર પર સંકટના વાદળ છવાતા જોવા મળી રહ્યા છે. સંસદમાં નાગરિકતા સંશોધન બિલ પર બંને પક્ષોના મતભેદ ખુલીને સામે આવ્યા હતા. ત્યારે કોંગ્રેસને ખુશ કરવા શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્થિતિ સંભાળી લીધી હતી. શિવસેના નેતા સંજય રાઉતે જે રીતે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે તેને કોંગ્રેસ સરળતાથી પચાવી નહીં શકે. કોંગ્રેસ સાવરકરના વિચારોનો વિરોધ કરે છે, જયારે શિવસેના સાવરકરને મહાપુરુષ માને છે. આ મુદ્દે પહેલા જ બંને પક્ષો વચ્ચે ઘણો વિવાદ થઈ ચુક્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંદીના સાવરકરવાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેઓ આને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે વાત કરી શકે છે.  શિવસેનાએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર સાવરકરનું અપમાન ન કરવાની સલાહ આપી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મરાઠીમાં ટ્વિટ કર્યું, અમે પંડિત નેહરુ, મહાત્મા ગાંધીને પણ માનીએ છીએ. તમે વીર સાવરકરનું અપમાન ન કરો, બુદ્ધિશાળી લોકોએ વધારે જણાવવાની જરૂર નથી. મારું નામ રાહુલ સાવરકર નથીઃ રાહુલ ગાંધી
દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાઓ રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, આટલા નાના મેદાનમાં આટલા બધા લોકો કઈ રીતે ઉભા કરી દિધા. તેમણે કહ્યું અમારા કૉંગ્રેસ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી. એક ઈંચ પાછળ નથી હટતા. રાહુલ ગાંધી બોલ્યા એ લોકોએ મને કહ્યું માફી માંગો. માફી માંગુ, મારુ નામ રાહુલ સાવરકર નથી, મારુ નામ રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી નહી માંગુ. માફી નરેંદ્ર મોદીને માંગવાની છે. નરેંદ્ર મોદીએ દેશી માફી માંગવી જોઈએ. અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ.  રાહુલ ગાંધીના આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીએ તેના પર પલટવાર કર્યો હતો. રાહુલ 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકેઃ સંબિત પાત્રા ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું, રાહુલ ગાંધી 100 જન્મ લેશે તો પણ સાવરકર નહીં બની શકે. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાની હતી. રાહુલ ગાંધી કલમ 370, સર્જિકલ સ્ટ્રાઇક અને સીએબી પર પાકિસ્તાનની ભાષા બોલે છે. તેઓ વીર ન હોઈ શકે, સાવરકરની બરાબર પણ ન હોઈ શકે. ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતુઃ ગિરીરાજ સિંહ રાહુલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું, વીર સાવરકર તો સાચા દેશભક્ત હતા. ઉધાર સરનેમ લેવાથી કોઈ ગાંધી નથી થઈ જતું, કોઈ દેશભક્ત નથી બનતું. દેશભક્ત હોવા માટે શરીરની નસેનસમાં શુદ્ધ હિન્દુસ્તાની લોહી હોવું જોઈએ. વેશ બદલીને ઘણાએ હિન્દુસ્તાનને લૂંટ્યો છે અને હવે તે નહીં થાય. મોંઘવારીનો વધુ એક માર, અમૂલે વધાર્યા દૂધના ભાવ, જાણો શું છે નવી કિંમત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?

વિડિઓઝ

Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
Embed widget