શોધખોળ કરો

Maharashtra : અજીત પવારે CMને લઈ ખોલ્યા પત્તા, કાકાને 'ઘરડા' ગણાવી કહ્યું કે...

મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારે આખરે તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ જાહેર કરી જ દીધી છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એકબીજા પર આરોપ પ્રત્યારોપનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ ડેપ્યુટી સીએમ અજિત પવારે આખરે તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ જાહેર કરી જ દીધી છે. જેને લઈને હવે ભાજપ-શિવસેનામાં ગુંચવણ ઉભી થઈ શકે છે. સાથે જ અજીત પવારે કાકા શરદ પવાર પર આકરા પ્રહાર પણ કર્યા હતાં. 

એનસીપીમાં બળવો કરીને ભાજપ-શિવસેનાની યુતી સાથે જોડાણ કરનારા અજિત પવારે પત્તા ખોલતા કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના સીએમ બનવા માંગે છે. જેથી કરીને લોકોના કલ્યાણ માટે તેમની પાસે જે યોજનાઓ છે તેનો અમલ કરી શકે. આ દરમિયાન અજિત પવારે તેમના કાકા શરદ પવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે, શરદ પવાર અમારા માટે ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.

મહારાષ્ટ્રમાં NDA સરકારનો હિસ્સો બનેલા અજિત પવારે 2014માં ભાજપની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અજિત પવારે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ 2014માં ભાજપ સત્તામાં આવી હતી.

અજિત પવારે ઉપનગરીય બાંદ્રામાં તેમના જૂથ દ્વારા બોલાવેલી બેઠકમાં આ વાત કહી હતી. અજિત પવારે કહ્યું હતું કે, 2004ની વિધાનસભા ચૂંટણીમાં NCP પાસે કોંગ્રેસ કરતા વધુ ધારાસભ્યો હતા, જો તે સમયે અમે કોંગ્રેસને મુખ્યમંત્રી પદ ન આપ્યું હોત તો આજ સુધી મહારાષ્ટ્રમાં માત્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જ મુખ્યમંત્રી હોત. અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે, તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.

શરદ પવારને ભગવાન કહી માર્યો ટોણો 

એક તરફ અજિત પવારે તેમના કાકા શરદ પવારને દેવતા કહ્યા તો બીજી તરફ તેમને ટોણા પણ માર્યા હતાં. ભાજપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થાય છે. અજિતે તેના કાકાની ઉંમર અને રાજકીય સક્રિયતા પર કટાક્ષ કર્યો.

અજિત પવારે કહ્યું, "તમે મને બધાની સામે વિલન તરીકે દર્શાવ્યો. મને હજુ પણ તેમના (શરદ પવાર) માટે આદર છે... તમે મને કહો કે, IAS અધિકારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે... રાજકારણમાં પણ ભાજપના નેતાઓ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો... આ નવી પેઢીને આગળ વધવાની તક આપે છે... તમે (શરદ પવાર) અમને અમારા આશીર્વાદ આપો... પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે વિરામ નહીં લો?... અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીશું કે તમે લાંબુ જીવો."

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય સેનાનો મોટો પ્રહાર: 'ઓપરેશન સિંદૂર'માં ૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, DGMO એ નામ પણ જણાવ્યા!
ભારતીય સેનાનો મોટો પ્રહાર: 'ઓપરેશન સિંદૂર'માં ૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, DGMO એ નામ પણ જણાવ્યા!
પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ:
પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ: "PoK પાછું આપો અને આતંકીઓને સોંપો, પછી જ વાત!", બીજા કોઈએ વચ્ચે પડવું જ નહીં...
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની મહેનત પર પાણીHun To Bolish : હું તો બોલીશ : વરસાદના એલર્ટથી તો જાગોHun To Bolish : હું તો બોલીશ : નગુણા દેશSabarmati River : અમદાવાદની સાબરમતી નદીનું પાણી કરાશે ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનાનો મોટો પ્રહાર: 'ઓપરેશન સિંદૂર'માં ૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, DGMO એ નામ પણ જણાવ્યા!
ભારતીય સેનાનો મોટો પ્રહાર: 'ઓપરેશન સિંદૂર'માં ૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, DGMO એ નામ પણ જણાવ્યા!
પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ:
પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ: "PoK પાછું આપો અને આતંકીઓને સોંપો, પછી જ વાત!", બીજા કોઈએ વચ્ચે પડવું જ નહીં...
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
Embed widget