શોધખોળ કરો

Maharashtra Election Commission: એકનાથ શિંદે અને અજિત પવારની મુશ્કેલી વધશે? ચૂંટણી પંચે કલેક્ટર પાસે માંગ્યો રિપોર્ટ

Maharashtra Nikay Chunav 2025: 20 નેતાઓ રડારમાં, ગુલાબરાવ પાટીલના 'લક્ષ્મી દર્શન' અને શિંદેના 'તિજોરીની ચાવી'વાળા નિવેદનો પર પંચ એક્શન મોડમાં, જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ તપાસ.

Maharashtra Nikay Chunav 2025: મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ અને લલચામણા નિવેદનો હવે તેમના માટે ગળાનો ગાળિયો બની શકે છે. રાજ્ય ચૂંટણી પંચે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, અજિત પવાર સહિત કુલ 20 જેટલા દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પંચે સંબંધિત વિસ્તારોના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) પાસેથી તાત્કાલિક અસરથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ નેતાઓ પર મતદારોને પ્રભાવિત કરવા માટે આચારસંહિતાનો ભંગ થાય તેવા વચનો આપવાનો આરોપ છે.

20 નેતાઓ સામે ચૂંટણી પંચની લાલ આંખ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી પંચે આચારસંહિતાના ઉલ્લંઘનને લઈને કડક વલણ અપનાવ્યું છે. એકનાથ શિંદે, અજિત પવાર, ગુલાબરાવ પાટીલ, સંજય શિરસાટ, જયકુમાર ગોર અને ભાજપ નેતા ચિત્રા વાઘ જેવા મોટા માથાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ તમામ નેતાઓએ પ્રચાર દરમિયાન કથિત રીતે એવા નિવેદનો આપ્યા હતા જે મતદારોને લલચાવવા અથવા ગેરમાર્ગે દોરવા સમાન હતા. પંચે આ તમામ 20 નેતાઓના ભાષણોની નોંધ લીધી છે.

કયા નિવેદનો બન્યા વિવાદનું કારણ?

તપાસના કેન્દ્રમાં રહેલા કેટલાક મુખ્ય નિવેદનો નીચે મુજબ છે, જેણે વિવાદ સર્જ્યો છે:

ગુલાબરાવ પાટીલ: તેમણે જાહેરમાં કહ્યું હતું કે તેઓ મતદારોને "દેવી લક્ષ્મીના દર્શન કરાવશે", જેનો સીધો અર્થ પૈસાની વહેંચણી સાથે જોડવામાં આવી રહ્યો છે.

એકનાથ શિંદે: શિવસેના ચીફ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ "તિજોરીની ચાવીઓ આપવા" અંગે કરેલી ટિપ્પણી તપાસના દાયરામાં છે. આ નિવેદન સરકારી ભંડોળના દુરુપયોગ અથવા મનસ્વી ફાળવણી તરફ ઈશારો કરે છે.

ચિત્રા વાઘ: ભાજપ નેતા ચિત્રા વાઘે કહ્યું હતું કે, "લોકો ભલે કોઈનું પણ મીઠું ખાય, પરંતુ બટન તો માત્ર 'કમળ'નું જ દબાવશે." આ નિવેદનને મતદારો પર દબાણ અથવા પ્રલોભન તરીકે જોવામાં આવી રહ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા આદેશ

રાજ્ય ચૂંટણી પંચે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા જે-તે વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો છે. અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને નેતાઓના ભાષણના ફૂટેજ અને સંદર્ભ સાથેનો રિપોર્ટ જમા કરાવવા સૂચના અપાઈ છે. જો રિપોર્ટમાં આચારસંહિતા ભંગ સાબિત થશે, તો આ નેતાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે અથવા ચૂંટણી પંચ નોટિસ ફટકારી શકે છે. આ કાર્યવાહીથી શાસક પક્ષ મહાયુતિ ગઠબંધનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Embed widget