શોધખોળ કરો

Haharashtra : કોના કહેવાથી રાતોરાત ભાજપ સાથે સરકાર બનાવી? અજીત પવારે ફોડ્યો બોમ્બ

ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે, પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો.

Maharashtra NCP Crisis : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બુધવારે મુંબઈમાં બોલાવવામાં આવેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકમાં પાર્ટીના 53માંથી લગભગ 35 ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ સંખ્યા વધી પણ શકે છે. ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે, પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો. 

આ મીટિંગ દરમિયાન અજિત પવારે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે શરદ પવારે અમને કહ્યું હતું કે, તમારે શપથ ગ્રહણ સમારોહમાં જવું પડશે. હું બધા સાથે શપથ સમારોહ માટે ગયો હતો. જો હું ખોટું બોલી રહ્યો તો હું મારા બાપનો દીકરો નહીં.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, 'હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માગું છું જેથી લોક કલ્યાણ માટેની મારી કેટલીક યોજનાઓ લાગુ કરી શકાય.' તેમણે કહ્યું, શરદ પવાર અમારા ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.

અજીત પવારે ભૂતકાળમાં ભાજપ સાથે હાથ મિલાવવાની ઘટનાને લઈ ખુલાસો કર્યો હતો. તો શરદ પવારનો સાથ છોડીને અજીત પવાર સાથે વર્તમાન સરકારમાં શામેલ થનારા એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રમાં MVA સરકાર પડવાની હતી ત્યારે NCPના તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ શરદ પવારને ભાજપ સાથે જવા માટે વિનંતી કરી હતી. 

પ્રફુલ પટેલ ઉપરાંત અજીત પવારે પણ આ મામલે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે શરદ પવારે જ અમને કહ્યું હતું કે, તમારે શપથગ્રહણ સમારોહમાં જવાનું છે. આમ તેમના કહેવાથી જ હું અન્ય લોકો સાથે આ શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થયો હતો. આ વાતની ખરાઈ માટે તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, જો હું આ બાબતે ખોટું બોલતો હોય હું મારા પિતાનું સંતાન નથી. 

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અજીત પવારે રાતોરાત ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતાં. અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા હતાં તો દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. આ આખો રાજકીય ખેલ કોણે પાડેલો તેને લઈને આજે પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ આજે અજીત પવારે ખુદ સામે ચાલીને આ મામલે ખુલાસો કર્યો હતો. તેમના આ ખુલાસાથી શરદ પવાર તરફ આંગળી ચિંધાઈ રહી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.