શોધખોળ કરો

Haharashtra : કોના કહેવાથી રાતોરાત ભાજપ સાથે સરકાર બનાવી? અજીત પવારે ફોડ્યો બોમ્બ

ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે, પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો.

Maharashtra NCP Crisis : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બુધવારે મુંબઈમાં બોલાવવામાં આવેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકમાં પાર્ટીના 53માંથી લગભગ 35 ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ સંખ્યા વધી પણ શકે છે. ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે, પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો. 

આ મીટિંગ દરમિયાન અજિત પવારે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે શરદ પવારે અમને કહ્યું હતું કે, તમારે શપથ ગ્રહણ સમારોહમાં જવું પડશે. હું બધા સાથે શપથ સમારોહ માટે ગયો હતો. જો હું ખોટું બોલી રહ્યો તો હું મારા બાપનો દીકરો નહીં.

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, 'હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માગું છું જેથી લોક કલ્યાણ માટેની મારી કેટલીક યોજનાઓ લાગુ કરી શકાય.' તેમણે કહ્યું, શરદ પવાર અમારા ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.

અજીત પવારે ભૂતકાળમાં ભાજપ સાથે હાથ મિલાવવાની ઘટનાને લઈ ખુલાસો કર્યો હતો. તો શરદ પવારનો સાથ છોડીને અજીત પવાર સાથે વર્તમાન સરકારમાં શામેલ થનારા એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રમાં MVA સરકાર પડવાની હતી ત્યારે NCPના તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ શરદ પવારને ભાજપ સાથે જવા માટે વિનંતી કરી હતી. 

પ્રફુલ પટેલ ઉપરાંત અજીત પવારે પણ આ મામલે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે શરદ પવારે જ અમને કહ્યું હતું કે, તમારે શપથગ્રહણ સમારોહમાં જવાનું છે. આમ તેમના કહેવાથી જ હું અન્ય લોકો સાથે આ શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થયો હતો. આ વાતની ખરાઈ માટે તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, જો હું આ બાબતે ખોટું બોલતો હોય હું મારા પિતાનું સંતાન નથી. 

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અજીત પવારે રાતોરાત ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતાં. અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા હતાં તો દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. આ આખો રાજકીય ખેલ કોણે પાડેલો તેને લઈને આજે પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ આજે અજીત પવારે ખુદ સામે ચાલીને આ મામલે ખુલાસો કર્યો હતો. તેમના આ ખુલાસાથી શરદ પવાર તરફ આંગળી ચિંધાઈ રહી છે.  

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની મહેનત પર પાણીHun To Bolish : હું તો બોલીશ : વરસાદના એલર્ટથી તો જાગોHun To Bolish : હું તો બોલીશ : નગુણા દેશSabarmati River : અમદાવાદની સાબરમતી નદીનું પાણી કરાશે ખાલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
૭ મેની રાત્રે ભારતે પાકિસ્તાન પર હુમલો કરીને PAK ને ફોન કરીને શું કહ્યું હતું? 'ઓપરેશન સિંદૂર'ની ચોંકાવનારી વાત આવી સામે!
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
આકરી ગરમી વચ્ચે રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, ખેડૂતોની હાલત કફોડી
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
Operation Sindoor: ઓવૈસીનો પાક. પર પ્રહાર: ‘પાકિસ્તાન ખરેખર મુસ્લિમોના શુભેચ્છક છે તો....’
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
ચાલાક ચીનની ડબલ ઢોલકી: પહેલા પાકિસ્તાનનું સમર્થન કર્યું અને હવે વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું – યુદ્ધવિરામનું સમર્થન પણ...
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
ભારત સાથે તણાવ પાકિસ્તાનને ભારે પડ્યો? માત્ર ત્રણ દિવસમાં જ થઈ ગયું આટલું મોટું નુકસાન
ભારત સાથે તણાવ પાકિસ્તાનને ભારે પડ્યો? માત્ર ત્રણ દિવસમાં જ થઈ ગયું આટલું મોટું નુકસાન
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
Embed widget