શોધખોળ કરો

Maharashtra : ઉદ્ધવ-CM શિંદે વચ્ચે રૂપિયા 2000 કરોડને લઈને ખેંચતાણ? જાણો ઈનસાઈડ સ્ટોરી

જો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પના ધારાસભ્ય સદા સર્વંકરે આ દાવાને નકારી કાઢ્યો અને પૂછ્યું, "શું સંજય રાઉત તે સોદાના કેશિયર છે?"

Uddhav Thackeray and Eknath Shinde : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્ધવ ઠાકરે જૂથ અને સીએમ શિંદેની સાથે ઉભા રહેલા લોકો સામસામે જોવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન 'ધનુષ અને તીર' ખરીદવા માટે "રૂ. 2000 કરોડની ડીલ" કરવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેમ્પના ધારાસભ્ય સદા સર્વંકરે આ દાવાને નકારી કાઢ્યો અને પૂછ્યું, "શું સંજય રાઉત તે સોદાના કેશિયર છે?" 

અગાઉ રાઉતે એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે, રૂ. 2,000 કરોડ એ પ્રાથમિક આંકડો છે અને તે 100 ટકા સાચો છે. તેમણે પત્રકારોને એમ પણ જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષના નજીકના એક બિલ્ડરે તેમની સાથે આ માહિતી શેર કરી હતી. રાજ્યસભાના સભ્યએ કહ્યું હતું કે, તેમના દાવાના સમર્થનમાં પુરાવા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે.

"હજુ ઘણા ખુલાસા થશે"

ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને 'ધનુષ અને તીર' ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો. તેના 78 પાનાના આદેશમાં ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે જૂથને ફાળવેલ "જ્વલંત મશાલ" ચૂંટણી પ્રતીક રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રાખવાની મંજૂરી આપી હતી. સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે, શિવસેનાનું નામ ખરીદવા માટે 2000 કરોડ રૂપિયા નાની રકમ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચનો નિર્ણય એક ડીલ છે. રાઉતે ટ્વિટ કર્યું હતું કે, મારી પાસે વિશ્વસનીય માહિતી છે કે, શિવસેનાનું નામ અને પ્રતીક મેળવવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. આ એક પ્રાથમિક આંકડો છે અને 100 ટકા સાચો છે. હવે ઘણા ખુલાસા થશે. દેશના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું નહોતુ. 

"હાલના મુખ્યમંત્રી તો..."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર "વિરોધી વિચારધારા ધરાવતા લોકો સાથે જનારા"વાળા નિવેદનમ પર રાઉતે કહ્યું હતું કે, હાલના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે? શાહની વાતને મહારાષ્ટ્ર મહત્વ નથી આપતું. વર્તમાન મુખ્યમંત્રીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.

ઉલ્લેખનીય છે કે, શાહે શનિવારે કહ્યું હતું કે, જે લોકો વિરુદ્ધ વિચારધારા સાથે ગયા છે તેઓને આજે ચૂંટણી પંચના નિર્ણયથી ખબર પડી ગઈ છે કે સત્ય કઈ બાજુ છે. અમિત શાહે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર જ કહ્યું હતુ કે, 2019ની વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે કોઈ સમજૂતી કરવામાં આવી નહોતી. 2019ના વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથેનું જોડાણ તોડી નાખ્યું. આ માટે શિવસેનાએ દાવો કર્યો હતો કે, ભાજપ તેમની સાથે મુખ્યમંત્રી પદનો દાવો કરવાનું વચન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ બાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને મહા વિકાસ અઘાડી (MVA)નું નેતૃત્વ કર્યું, જ્યાં સુધી શિંદેના બળવાને પગલે ગયા વર્ષે જૂનમાં સરકાર પડી ના ગઈ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget