શોધખોળ કરો

IAF Aircraft Crash: આસામના જોરહાટમાં મોટી દુર્ઘટના, વાયુસેનાનું AN-32 પ્લેન ક્રેશ

IAF Aircraft Crash: ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, AN-32 વિમાન ક્રેશ થયું છે. બચાવ અને રાહતની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી છે. જાણીએ વધુ અપડેટસ

IAF Aircraft Crash: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32  વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાન એરબેઝ પર લેન્ડ કરવાનો  પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ એક કાર્ગો વિમાન હતું, જેનો ઉપયોગ સૈન્ય સામગ્રી અને જરૂરી પુરવઠાના પરિવહન માટે કરવામાં આવે છે. ઘટનાના પગલે રાહત અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે.

લેન્ડિંગ દરમિયાન સર્જાયો અકસ્માત
ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, AN-32 વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

સૈન્ય સામગ્રીના પરિવહન માટે ઉપયોગી AN-32
AN-32 ભારતીય વાયુસેનાનું મહત્વનું પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ સૈનિકો, સૈન્ય સાધનો અને અન્ય જરૂરી સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ વિમાન ખાસ કરીને દુર્ગમ અને પડકારજનક વિસ્તારોમાં કામગીરી માટે જાણીતું છે.                                                                                                            

આ પણ વાંચો: 'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશ મંત્રીની પોસ્ટને ટ્રમ્પે કરી રિપોસ્ટ

પાયલટના મોતની આશંકા
પ્રાથમિક અહેવાલોમાં આ અકસ્માતમાં પાયલટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય વાયુસેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિની પુષ્ટિ કરી નથી.

 

રાહત અને તપાસ કામગીરી ચાલુ
અકસ્માત બાદ વાયુસેનાની ટીમો અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તેમજ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વાયુસેનાએ જણાવ્યું છે કે, સમગ્ર મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.


IAFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટર્સ પણ ધટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની  કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget