શોધખોળ કરો

મણિપુર હિંસા પર સરકાર સખ્ત, તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ

મણિપુરમાં હાલની સ્થિતિને જોતા મોબાઈલ ઈન્ટરનેટ બાદ બ્રોડબેન્ડ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે

મણિપુરમાં આદિવાસી આંદોલન દરમિયાન બુધવારે હિંસા થઈ હતી. આઠ જિલ્લામાં આ હિંસા ફેલાઇ હતી. હવે મણિપુરના હિંસાગ્રસ્ત વાતાવરણને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.

મણિપુરના રાજ્યપાલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના રાજ્ય સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. આ પહેલા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

મણિપુરમાં હાલની સ્થિતિને જોતા મોબાઈલ ઈન્ટરનેટ બાદ બ્રોડબેન્ડ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સરકારે રિલાયન્સ જિયો ફાઈબર, એરટેલ એક્સ્ટ્રીમ અને બીએસએનએલને બ્રોડબેન્ડ અને ડેટા સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.

મણિપુર હિંસા પર મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ શાંતિની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે ધાર્મિક સ્થળો પર હુમલા આપણા સમાજ માટે યોગ્ય નથી. આસામ રાઈફલ્સની 34 કંપનીઓ અને સેનાની 9 કંપનીઓ મણિપુરમાં તૈનાત છે. આ સિવાય ગૃહ મંત્રાલયે રેપિડ એક્શન ફોર્સની પાંચ કંપનીઓને પણ મણિપુર મોકલી છે. જો કે તેમ છતાં મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં સાડા સાત હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઠ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ, થૌબાલ, જીરીબામ, બિષ્ણુપુર, ચુરાચાંદપુર, કાંગપોકપી અને તેંગનૌપાલમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

 મૈતેઇ સમુદાયની વસ્તી અહીં 53 ટકાથી વધુ છે, પરંતુ તેઓ માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. અન્ય આદિવાસી સમુદાયોની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થયા છે, જે રાજ્યના 90 ટકા વિસ્તાર છે. મણિપુરમાં એક કાયદો છે, જે અંતર્ગત આદિવાસીઓ માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ અંતર્ગત માત્ર આદિવાસીઓ જ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે. મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ન મળ્યો હોવાથી તેઓ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી. જ્યારે અન્ય આદિવાસી સમુદાયો જો ઈચ્છે તો ખીણ વિસ્તારોમાં રહી શકે છે. તેથી જ મૈતેઈને પણ અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની માંગણી કરી હતી.

વાસ્તવમાં તાજેતરમાં મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમવી મુરલીધરન દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મૈતેઇને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ પર વિચાર કરવા જણાવ્યું હતું. આના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુરએ 'આદિવાસી એકતા માર્ચ' કાઢી હતી. આ એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget