શોધખોળ કરો

Delhi News: મનીષ સિસોદિયાએ ક્રાઉડ ફંડિગથી એકઠા કર્યા 40 લાખ રૂપિયા, જાણો આતિશીને કેટલી મળી મદદ?

ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી લડવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 40 લાખ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિધાનસભા ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 40 લાખ રૂપિયા એકત્ર કરનારા પ્રથમ AAP નેતા બન્યા છે. સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી લડવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 40 લાખ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે.

સોશિયલ મીડિયા પરની પોતાની પોસ્ટમાં સિસોદિયાએ કહ્યું કે 30 ડિસેમ્બરે શરૂ થયેલા તેમના અભિયાનમાં 331 લોકોએ 100થી 500 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

સિસોદિયાએ કહ્યું હતું કે મને જંગપુરાથી ચૂંટણી લડવા માટે વધુમાં વધુ 40 લાખ રૂપિયાની જરૂર હતી. મને તમને જણાવતા આનંદ થાય છે કે દેશભરના સાથીદારોએ પૂરા દિલથી સહકાર અને સમર્થન આપ્યું છે. 331 સાથીદારોની મદદથી કુલ 40 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે 50 લોકોએ 100 રૂપિયા અને 36 લોકોએ 500 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

હું આ પૈસાનો ઉપયોગ ખૂબ જ પ્રામાણિકતાથી કરીશ.

તેમણે જનતાને ખાતરી આપી કે આ રકમનો ઉપયોગ સંપૂર્ણ પ્રામાણિકતા અને સખત મહેનત સાથે કરવામાં આવશે. સિસોદિયાએ એવું પણ વચન આપ્યું હતું કે ચૂંટણી જીત્યા પછી તેઓ જંગપુરાના વિકાસ માટે અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિને આગળ વધારવા માટે કામ કરશે.

સિસોદિયાએ કહ્યું કે તમારી મહેનતથી કમાયેલા પૈસાનો એક-એક પૈસો પ્રામાણિકતા અને મહેનતથી ખર્ચવામાં આવશે. ચૂંટણી જીત્યા પછી હું જંગપુરા માટે કામ કરીશ અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિને આગળ ધપાવીશ.

આતિશીએ પણ 17 લાખ રૂપિયા એકઠા કર્યા

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડવા માટે 12 જાન્યુઆરીએ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. થોડા કલાકોમાં જ 335 સમર્થકોએ 17.38 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આતિશીએ કહ્યું કે મારા ક્રાઉડ ફંડિંગ અભિયાનને પહેલા જ દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ AAPના સ્વચ્છ અને પરિવર્તનશીલ રાજકારણમાં જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

આ AAP નેતાઓએ પણ મદદ માંગી

સત્યેન્દ્ર જૈન અને દુર્ગેશ પાઠક જેવા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ પણ જનતાની મદદ મેળવવા માટે ક્રાઉડફંડિંગ ઝૂંબેશ શરૂ કરી છે. નોંધનીય છે કે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, જ્યારે પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે.

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget