શોધખોળ કરો

7 વખત રાજ્યસભાના સદસ્ય રહ્યા મનમોહન સિંહ, જાણો ક્યાં રાજ્યોનું પ્રતિનિધિત્વ કર્યું ? 

ગઈકાલે મોડી રાત્રે દેશ માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા હતા, 26 ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું.

Manmohan Singh Death: ગઈકાલે મોડી રાત્રે દેશ માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા હતા, 26 ડિસેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બનતા પહેલા દેશના નાણામંત્રી પણ હતા. તેમણે પીવી નરસિમ્હા સરકારમાં નાણામંત્રી તરીકે કામ કર્યું હતું. તેમણે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન તરીકે કામ કર્યું. આ સિવાય ડૉ.મનમોહન સિંહ  6 વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ચાલો તમને જણાવીએ કે તેઓ કયા રાજ્યોમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

આસામમાંથી 5 વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના જીવનના ઘણા વર્ષો ભારતીય રાજનીતિને આપ્યા. તેઓ કુલ 6 વખત રાજ્યસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1991 માં, ડૉ. મનમોહન સિંહ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ આસામમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991 પછી, તેઓ સતત 5 વખત  2019 સુધી આસામમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. તેમના જીવનકાળમાં રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે એક રાજ્યમાંથી આ સૌથી વધુ સમય પસાર કર્યો હતો.


તેઓ છેલ્લે રાજસ્થાનમાંથી ચૂંટાયા હતા

આસામમાં તેમનો કાર્યકાળ પૂરો કર્યા બાદ મનમોહન સિંહ વર્ષ 2019માં રાજસ્થાનમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 19 ઓગસ્ટ 2019 થી 3 એપ્રિલ 2024 સુધી તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય હતા. તેઓ રાજસ્થાનમાંથી સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે આ તેમનો છેલ્લો કાર્યકાળ હતો.

આ હોદ્દાઓ સંભાળ્યા

દેશના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે છ વખત રાજ્યસભાના સભ્ય રહેવા ઉપરાંત અન્ય ઘણા મહત્વના હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી દેશના નાણામંત્રી હતા. આ સિવાય તેઓ 1982 થી 1985 સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે રહ્યા હતા. 1976 થી 1980 સુધી તેઓ ભારત સરકારના નાણા સચિવ હતા. તેથી 1972 થી 1976 સુધી તેમણે મુખ્ય આર્થિક સલાહકારની ભૂમિકા ભજવી. નાણામંત્રી તરીકે મનમોહન સિંહનું ભારતના આર્થિક વિકાસમાં મોટું યોગદાન હતું.  

મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના પ્રણેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તેમનું સમગ્ર જીવન સિદ્ધિઓથી ભરેલું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેવા ઉપરાંત લગભગ 4 દાયકા સુધી દેશના નાણાકીય ક્ષેત્રોમાં મહત્વના હોદ્દા પર રહ્યા. તેમની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓએ અર્થતંત્રમાં મોટા ફેરફારો કર્યા. તેમના ઘણા પગલાં ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયા.  

આધાર, મનરેગા અને RTI, જાણો ડૉ મનમોહન સિંહની ઉપલબ્ધિઓ, આર્થિક સલાહકારથી લઈ PM બનવા સુધીની સફર 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાબાશ શકુબેન !
Hun To Bolish: હું તો બોલીશ : ભેળસેળિયાઓનું જેલ જવાનું નક્કી !
Hun To Bolish: હું તો બોલીશ : કરપ્શન કરવાનું પણ 'ફિક્સ'?
Aaj No Muddo : સાયબર ફ્રોડથી મહિલાઓ સાવધાન
Fix Pay employees chat viral : હમણા કરપ્શન કરતા નહીં , ફિક્સ પે કર્મીઓના ગ્રુપની વાયરલ ચેટથી હડકંપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
રાજકોટના જસદણના નાયબ કલેક્ટરના પરિપત્રથી વિવાદ, શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપાઈ
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
સરકારને કરી ઇગ્નૉર, વિપક્ષ સાથે વધારી દોસ્તી ? પછી આપ્યું રાજીનામું, ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ છોડવાની ઇનસાઇડ સ્ટૉરી
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
UK: બ્રિટિશ PMએ ભારત સાથે FTAને ગણાવી ઐતિહાસિક જીત, PM મોદી સાથે કરશે દ્ધિપક્ષીય બેઠક
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત
ભારત અને ચીનમાં કામ કરતી પોતાની કંપનીઓને ધમકી આપી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકન ટેક કંપનીઓને આપ્યું અલ્ટીમેટમ
ભારત અને ચીનમાં કામ કરતી પોતાની કંપનીઓને ધમકી આપી રહ્યા છે ટ્રમ્પ, અમેરિકન ટેક કંપનીઓને આપ્યું અલ્ટીમેટમ
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
United Kingdom: બ્રિટન પહોંચ્યા PM મોદી, FTA પર હસ્તાક્ષર કરી શકે છે બંન્ને દેશો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
હવે વીઝા વિના આ 59 દેશોમાં ફરી શકશે ભારતીયો, પાસપોર્ટ રેન્કિંગમાં પણ થયો સુધારો
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
IRCTC: હવે જનરલ કોચમાં સફર કરનારા મુસાફરોને સીટ પર મળશે ફૂડ અને પાણી, IRCTC શરૂ કરવા જઈ રહી છે નવી સુવિધા
Embed widget