શોધખોળ કરો

Marriage : લગ્નમાં હવે મોજથી નાચો, નહીં નડે કોઈ અડચણ, સરકારે આપી રાહત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ફંક્શનમાં બોલિવૂડ ગીતો વગાડવું એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન નથી.

Copyright Infringement : હોસ્પિટાલિટી ઉદ્યોગ, જે ખાવા-પીવાથી માંડીને ટેન્ટ અને ડીજે સુધીની સુવિધાઓ પૂરી પાડે છે, તેણે સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચના જારી કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ અરજી સ્વીકારીને 24 જુલાઈએ સૂચનાઓ જારી કરી હતી. આ સૂચના બાદ કોપીરાઈટ કંપનીઓને કાયદાની બહાર જઈને હોટલ સહિતના અન્ય સ્થળોના સંચાલકો કે આયોજકોને પરેશાન કરવાનો કોઈ અવકાશ રહેશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ફંક્શનમાં બોલિવૂડ ગીતો વગાડવું એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન નથી. 

કોપીરાઈટ કાયદામાં પણ છૂટ મળી

કૉપિરાઇટ કાયદાએ પહેલેથી જ કહ્યું હતું કે, લગ્ન સમારોહમાં ગીતો વગાડવાની છૂટ હશે, પરંતુ કૉપિરાઇટ કંપનીઓ ઘણીવાર આ માટે લાઇસન્સ ફી માંગતી હતી. આ કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી વિવાદોમાં ફસાઈ જતી હતી અને તેની ઉપર ખર્ચ પણ વધતો હતો. જેમ કે, ઇવેન્ટ આયોજકો, હોટલ અને આયોજકોને સામાન્ય રીતે કાનૂની વિવાદોનો સામનો કરવો પડતો હતો.

હવે સરકારે પણ સૂચનાઓ જારી કરી 

આ વિવાદોથી કંટાળીને હોસ્પિટાલિટી ઉદ્યોગે સરકારને રાહતની અપીલ કરી હતી. તેના પર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 24 જુલાઈના રોજ જાહેર નોટિસ જારી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય લોકો અને ઉદ્યોગને કોપીરાઈટ સોસાયટીઓ તરફથી લગ્ન સમારોહમાં સંગીત વગાડવા માટે પૈસાની માંગણી કરતી ફરિયાદો મળી રહી છે.

જાણો સરકારે સૂચનામાં શું કહ્યું? 

ડીપીઆઈઆઈટીએ નોટિસમાં જણાવ્યું હતું કે, 'આ કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 52 (1) (za)માં આપવામાં આવેલા નિર્દેશનું ઉલ્લંઘન છે. કારણ કે, આ કલમ સ્પષ્ટ કરે છે કે, કેન્દ્ર/રાજ્ય સરકાર અથવા કોઈપણ સ્થાનિક સત્તાધિકારી દ્વારા કોઈપણ ધાર્મિક અથવા સત્તાવાર કાર્ય દરમિયાન સાહિત્યિક અથવા નાટકીય રચના અથવા સંગીતને લોકો સુધી વગાડવું અથવા પ્રસારિત કરવું કોપીરાઈટનું ઉલ્લંઘન કરતું નથી. તેમાં લગ્ન સહિતની અન્ય વિધિઓનો પણ સમાવેશ થાય છે, જે આ કલમ હેઠળ ધાર્મિક વિધિઓ હેઠળ ગણવામાં આવે છે.

સરકારે કડક શબ્દોમાં ચેતવણી આપી 

ડીપીઆઈઆઈટીએ તેની નોટિસમાં જણાવ્યું છે કે, કોપીરાઈટ સોસાયટીએ એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે કલમ 52(1)(za) ની વિરુદ્ધ હોય જેથી તેમને કાનૂની કાર્યવાહીનો સામનો ન કરવો પડે. તેમાં ઉમેર્યું હતું કે, 'વધુમાં સામાન્ય જનતાને એવી પણ ચેતવણી આપવામાં આવે છે કે તે વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા કૉપિરાઇટ સોસાયટીઓની કોઈપણ બિનજરૂરી માગણીઓ જે કાયદા અનુસાર ન હોય તેને સબમિટ ન કરે.'

સરકારી નિર્દેશનું સ્વાગત 

પૂના હોટેલીયર્સ એસોસિએશનના પ્રમુખ અને અમાનોરા ધ ફર્નના જનરલ મેનેજર અમિત શર્માએ આદેશનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, લગ્ન અથવા સંબંધિત કાર્યો દરમિયાન ગીત વગાડવા માટે કોઈપણ કોપીરાઈટ સોસાયટીની પરવાનગી લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, આ સામાન્ય લોકોથી લઈને હોસ્પિટાલિટી ઉદ્યોગ સુધીના દરેક માટે મોટી રાહત છે. શર્માએ કહ્યું હતું કે, “અમારા યુનિયનના કેટલાક સભ્યો કોલકાતા અને ગુવાહાટી જેવા શહેરોમાં બિનજરૂરી કેસોનો સામનો કરી રહ્યા છે. આશા છે કે, કેન્દ્રના નિર્ણયથી બિનજરૂરી વિવાદો સર્જનારાઓ પર રોક લાગશે અને સામાન્ય લોકોને ખુશી વ્યક્ત કરવામાં કોઈ અડચણ નહીં આવે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!Hun To Bolish : હું તો બોલીશ : લક્કી નહીં, લૂંટનો ડ્રો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
બેરોજગારોને નોકરી, કામદારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપ્યા
IND vs ENG 2nd T20 Score:  ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
Embed widget