શોધખોળ કરો

Giriraj Singh : જીતની હેટ્રિક લગાવી ત્રીજી વખત પહોંચ્યા લોકસભા, ગિરિરાજ સિંહને ફરી મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન

Minister Giriraj Singh: 2024ની લોકસભા ચૂંટણી જીતીને ગિરિરાજે સાંસદની હેટ્રિક લગાવી છે.

Minister Giriraj Singh: PM નરેન્દ્ર મોદીએ રવિવારે (09 મે) રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ગિરિરાજ સિંહ સહિત કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ગિરિરાજ સિંહ વિશે એવું કહેવાય છે કે તેમણે જ બિહારમાંથી નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાની માંગ કરી હતી. 2024ની લોકસભા ચૂંટણી જીતીને ગિરિરાજે સાંસદની હેટ્રિક લગાવી છે.

કોણ છે કેબિનેટ મંત્રી ગિરિરાજ સિંહ?

ગિરિરાજ સિંહનો જન્મ 8 સપ્ટેમ્બર 1952ના રોજ બિહારના બડહિયા લખીસરાયમાં થયો હતો. ગિરિરાજ સિંહે બડહિયાની સરકારી શાળામાંથી શાળાનો અભ્યાસ કર્યો અને 1971માં મગધ યુનિવર્સિટી, બિહારમાંથી સ્નાતક થયા. તેઓ ભૂમિહાર સમુદાયના છે. તેમના લગ્ન ઉમા સિન્હા સાથે થયા હતા. ગિરિરાજ સિંહ અને ઉમા સિન્હાને એક પુત્રી છે.

ગિરિરાજ 2014માં નવાદા બેઠક પરથી જીતીને પહેલીવાર સાંસદ બન્યા હતા. તેમણે આરજેડીના ઉમેદવાર રાજબલ્લભ યાદવને હરાવ્યા હતા. વર્ષ 2019માં ગિરિરાજની સીટ બદલવામાં આવી હતી. તેમને બેગુસરાય મોકલવામાં આવ્યા, જ્યાં તેમને સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર સામે ચૂંટણી લડવાની હતી.

આ ચૂંટણીમાં ગિરિરાજે કન્હૈયાને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. 2024માં ગિરિરાજ સિંહ ફરી એકવાર બેગુસરાયથી સાંસદ બન્યા છે. આ વખતે પણ તેમણે CPI ઉમેદવાર અવધેશ રાયને હરાવ્યા છે. આ વખતે ગિરિરાજે તેમના પ્રતિસ્પર્ધીને લગભગ સાડા છ લાખ મતોથી હરાવ્યા છે.

12 વર્ષ માટે MLC

લીડર તરીકે ગિરિરાજ સિંહની એન્ટ્રી વર્ષ 2002માં થઈ હતી. ગિરિરાજ સિંહ વર્ષ 2002માં બિહાર વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. ગિરિરાજ સિંહનો કાર્યકાળ ઉપલા ગૃહના સભ્ય તરીકે 12 વર્ષનો હતો.

નીતિશ સરકારમાં ગિરિરાજ મંત્રી બન્યા

2008 થી 2010 સુધી ગિરિરાજ સિંહ નીતીશ કેબિનેટમાં સહકાર મંત્રી હતા. 2010ની વિધાનસભા ચૂંટણી બાદ ગિરિરાજને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા. આ વખતે નીતીશ સરકારમાં તેમને પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય મળ્યું હતું, પરંતુ 2013માં નીતિશે એનડીએ સાથે ગઠબંધન તોડી નાખ્યું, ત્યારબાદ ગિરિરાજ સિંહ વિપક્ષમાં જતા રહ્યા હતા

વર્ષ 2014માં ગિરિરાજે પહેલીવાર ચૂંટણી લડી અને નવાદા લોકસભામાં જીત મેળવી. ગિરિરાજ સિંહ 1 સપ્ટેમ્બર 2014ના રોજ સંસદના સભ્યોના પગાર અને ભથ્થા અંગેની સંયુક્ત સમિતિના સભ્ય બન્યા. આ વર્ષે નવેમ્બરમાં તેમને શ્રમ સંબંધિત સ્થાયી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

2014 થી 2017 સુધી મંત્રી

9 નવેમ્બર 2014ના રોજ ગિરિરાજને મોદીની પ્રથમ કેબિનેટમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2017માં મોદી કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો અને ગિરિરાજને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) આપવામાં આવ્યો હતો.

મોદી 2.0માં ફરી મંત્રી બન્યા

2019ની લોકસભા ચૂંટણીમાં બેગુસરાયથી જીત્યા બાદ મોદીએ ગિરિરાજ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રી બનાવ્યા. વર્ષ 2021 માં મોદી કેબિનેટના ફેરબદલ દરમિયાન ગિરિરાજ સિંહને કેબિનેટ મંત્રી તરીકે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ આપવામાં આવ્યો હતો.

હવે ગિરિરાજ સિંહ મોદી 3.0માં જંગી જીત સાથે મંત્રી બન્યા છે. જ્ઞાતિના સમીકરણ મુજબ ગિરિરાજ મોદી કેબિનેટમાં શ્રેષ્ઠ બેસે છે. ગિરિરાજ બિહાર ભાજપમાં એક મોટું કદ ધરાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget