શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલયે આપ્યું નિવેદન, કહ્યું- સુરક્ષામાં નથી થઈ કોઈ ચૂક
અમેઠીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હોવાના મામલે ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સુરક્ષામાં કોઈ જ ચૂક થઈ નથી.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષા મામલે ચૂક થઈ હોવાના મામલે ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સુરક્ષામાં કોઈ જ ચૂક થઈ નથી. ઉલ્લેખનીય છે કે અમેઠીમાં રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થઈ હોવાનો દાવો કરતા કૉંગ્રેસ ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો હતો.
એસપીજી ડાયરેક્ટરે ગૃહ મંત્રાલયને સૂચના આપી છે કે તેઓએ આ ઘટનાના વીડિયો ક્લિપિંગની ખૂબજ ઝીણવટપૂર્વક તપાસ કરી છે. જેના પરથી ખબર પડી છે કે ક્લિપિંગમાં નજર આવી રહેલી ગ્રીન લાઇટ કૉંગ્રેસ જ એક ફોટોગ્રાફરના મોબાઈલ ફોનની હતી. તે ફોટોગ્રાફર અગાઉથી તૈયારી વગર અમેઠીમાં કલેક્ટ્રેટ પર રાહુલ ગાંધીની પ્રેસ સાથે સંબોધનની વીડિયોગ્રાફિંગ કરી રહ્યો હતો.
એસપીજી ડાયરેક્ટરે આ સિવાય ગૃહ મંત્રાલે એ પણ જણાવ્યું કે તેમની પોઝિશનિંગ વિશે રાહુલ ગાંધીના અંગત સ્ટાફને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષામાં કોઈ જ ચૂક થઈ નથી.
ઉલ્લેખનીય છે કે અમેઠીમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધી પર ગ્રીન લેઝર લાઈટ મારવામાં આવી હતી. જેને લઈને કૉંગ્રેસે પત્ર લખી સ્નાઈપર ગનનો ઉલ્લેખ કરતા આશંકા વ્યક્ત કરી હતી કે ગ્રીન લાઈટ બંદૂકની પણ હોઈ શકે છે. કૉંગ્રેસે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement