શોધખોળ કરો

Modi New Cabinet: મોદી કેબિનેટના મંત્રીઓને શું આપવામાં આવ્યો આદેશ ?

શપથ લેનારા તમામ મંત્રીઓને ૧૫ ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી નહીં છોડવાનું કહેવામા આવ્યું છે. આ ઉપરાંત મંત્રીઓને કોરોના વાયરસ મહામારીને જોતાં પોતાના મત વિસ્તારમાં જશ્ન નહીં મનાવવા પણ કહેવામાં આવ્યું છે.

Modi New Cabinet: મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.

સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી મુજબ, શપથ લેનારા તમામ મંત્રીઓને ૧૫ ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હી નહીં છોડવાનું કહેવામા આવ્યું છે. આ ઉપરાંત મંત્રીઓને કોરોના વાયરસ મહામારીને જોતાં પોતાના મત વિસ્તારમાં જશ્ન નહીં મનાવવા પણ કહેવામાં આવ્યું છે.

જેપી નડ્ડાને મળશે તમામ મંત્રી

સૂત્રોના જણાવ્યા મુજબ ટોચના નેતૃત્વએ તમામ મંત્રીઓને દિલ્હીમાં રહીને પોત-પોતાના મંત્રાલયનું કામ કાજ સમજે અને આગળની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તમામ નવા મંત્રી આજે પાર્ટી મુખ્યાલયમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળશે.

આજે કોણે કોણે કાર્યભાર સંભાળ્યો

  • અશ્નિની વૈષ્ણવઃ રેલવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • અનુરાગ ઠાકુરઃ સૂચના અને માહિતી પ્રસારણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • મનસુખ માંડવિયાઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • દર્શના જરદોશઃ રેલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • ડો.ભારતી પ્રવીણ પવારઃ સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • કિરણ રિજિજુઃ  કાયદા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • જી કિશન રેડ્ડીઃ સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • નારાયણ રાણેઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોના મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.

મોદી કેબિનેટમાં 50 વર્ષથી ઓછી વયના મંત્રીઓ

જે મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા તેમાં ૫૦ વર્ષથી ઓછી વયના પર નજર કરીએ તો સ્મૃતિ ઇરાની (૪૫), કિરણ રિજ્જુજી (૪૯), મનસુખ માંડવિયા (૪૯), કૈલાસ ચૌધરી(૪૭), સંજીવ બલયાન(૪૯), અનુરાગ ઠાકુર (૪૬), ડો. ભારતી પ્રવીણ પવાર(૪૨), અનુપ્રિયા પટેલ (૪૦), શાંતનુ ઠાકુર(૩૮), જ્હોન બર્લા (૪૫), ડો. એલ મુરુગન (૪૪)નો સમાવેશ થાય છે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને યુપીના આઠ જેટલા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યાં છે.

આ મંત્રીઓનો લેવાયા રાજીનામા

હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક, દેબોશ્રી ચૌધરી, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા, પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રીયો, રાવ સાહેબ દાનવે પાટિલ, સદાનંદ ગૌડા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: 'અમેરિકા હવે ભારત પાસે ભીખ માંગી રહ્યું છે', જાણો ઈરાનના વિદેશ મંત્રીએ આવું કેમ કહ્યું
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
Embed widget