શોધખોળ કરો

Plane Crash: મિરાજ અને સુખોઇ હવામાં ટકરાયા, એક પાયલટ શહીદ, IAFએ તપાસના આપ્યા આદેશ

એરફોર્સનું કહેવું છે કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી એ સ્પષ્ટ કરી શકશે કે અકસ્માત કેવી રીતે થયો હતો.

Mid-Air Collision:  ભારતીય વાયુસેનાના બે ફાઇટર જેટ મધ્ય પ્રદેશના મોરેના પાસે ક્રેશ થયા છે. આમાંથી એક વિમાન સુખોઈ-30 છે, જ્યારે બીજું વિમાન મિરાજ-2000 છે. આ મામલે ભારતીય વાયુસેના તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. આ દુર્ઘટનામાં સામેલ ત્રણ પાયલોટમાંથી એક શહીદ થયા હતા. સાથે જ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વાસ્તવમાં બંને પ્લેન મોરેના નજીક પહાડગઢ વિકાસખંડમાં જંગલની ઉપર હવામાં અથડાયા હતા અને આગ લાગી હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વિમાનમાં હાજર તમામ પાયલટોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ મામલે એરફોર્સનું કહેવું છે કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી એ સ્પષ્ટ કરી શકશે કે અકસ્માત કેવી રીતે થયો હતો. જો કે, હવે તે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને ફાઈટર જેટ મોરેનાના આકાશમાં જ એકબીજા સાથે અથડાયા હતા એટલે કે તેઓ મિડ-એર અથડામણનો ભોગ બન્યા હતા.

મોરેના વિમાન દુર્ઘટનામાં એક પાયલટ શહીદ થયા હતા. મોરેનાના એસપી આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે આજે સવારે ગ્વાલિયરથી  વિમાન મિરાજ અને સુખોઈએ ઉડાન ભરી હતી, એક વિમાનમાં બે પાયલટ અને બીજામાં એક પાયલટ હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક પાયલટ શહીદ થયો છે અને બેની સારવાર ચાલી રહી છે

આ વિમાનોને ગ્વાલિયર બેઝ પરથી ટ્રેનિંગ માટે ઉડાડવામાં આવ્યા હતા. બંને વિમાન રૂટીન ફ્લાઈટ પર હતા. હાલમાં નિષ્ણાતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટેકનિકલ ખામી અને પાયલટ્સને અનુભવ ન હોવાના કારણે બની છે.

આ દુર્ઘટનામાં સામેલ સુખોઈ-30 વિમાનમાં 2 પાયલટ હતા, જેમણે સમયસર પેરાશૂટનો ઉપયોગ કરીને જેટમાંથી કૂદકો માર્યો હતો. આ જ કારણ છે કે બંનેનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટનામાં સામેલ બીજા વિમાન મિરાજ 2000ના પાયલટને ગંભીર ઈજાઓ થઈ હતી. ડોક્ટરો તેની સારવાર કરે તે પહેલા જ તે શહીદ થઈ ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Embed widget