શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની વધી મુશ્કેલી, રાજ્ય મહિલા આયોગની ફરિયાદ પર મુંબઇમાં કેસ દાખલ

રાજ્ય મહિલા આયોગે મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ આપી છે. બાદમાં દિશા સાલિયાનની માતાના કહેવા પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે

મુંબઇઃ રાજ્ય મહિલા આયોગે મુંબઈ પોલીસને લેખિત ફરિયાદ આપી છે. બાદમાં દિશા સાલિયાનની માતાના કહેવા પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશનમાં રાણે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

દિશા સાલિયાનની માતાએ રાણે અને તેના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિશાની માતાનો આરોપ છે કે તેમની પુત્રીને રાજકારણીઓએ બદનામ કરી છે. તાજેતરમાં દિશાના માતાપિતા મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના વડા રૂપાલી ચાકળકરને મળવા પહોંચ્યા  હતા.

દિશાની માતાએ બીજેપી નેતા દ્વારા તેમની પુત્રીની બદનામી કર્યાની પણ ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે  કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શનિવારે તેમના જુહુ સ્થિત ઘરે પ્રેસ કોન્ફરન્સ કરીને દિશા સાલિયાનને લઈને ખૂબ જ ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે દિશા સાલિયાનની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી.

8 જૂન, 2020ના રોજ દિશાના બિલ્ડિંગનું એન્ટ્રી રજિસ્ટર કોણે ફાડી નાખ્યું? દિશા સાલિયાનનો બદલો સુશાંત સિંહ રાજપૂત પાસેથી લેવા માંગતી હતી. આ લોકો તેના (સુશાંત) ઘરે ગયા, સુશાંતની હત્યા કરી. તે બિલ્ડીંગના સીસીટીવી કેવી રીતે ગાયબ થયા? 13 જૂનના CCTV ફૂટેજ ક્યાં ગયા? ચોક્કસ લોકોની એમ્બ્યુલન્સ કેવી રીતે આવી? હત્યાના પુરાવા કોણે નષ્ટ કર્યા?

દિશા સાલિયાનની માતાએ વધુમાં કહ્યું કે જે એપિસોડ બંધ થઇ ગયો છે તેને વારંવાર કેમ ઉઠાવવામાં આવે છે? જો આપણને કંઈ થાય તો શું આવા લોકો જવાબદાર હશે?

દિશાએ મંગેતરના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી

ઓફિસનું ટેન્શન હતું એટલે આપઘાત કર્યાની વાત દિશાએ જણાવી હતી. દિશા સાલિયાન થોડા સમય માટે સુશાંત સિંહ રાજપૂતની મેનેજર રહી હતી. તેણે 8 અને 9 જૂનની મધ્યરાત્રિએ મલાડ વિસ્તારમાં આવેલા મંગેતરના ફ્લેટમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે તેના બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યા કરી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget