શોધખોળ કરો

Maharashtra : અજીત પવારનો વધુ એક જનોઈ ઘા, NCPને લઈને કર્યો વધુ એક દાવો

NCPમાં બળવો કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે અનેક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારને સમર્થન જાહેર કર્યું છે.

Maharashtra Political Crisis : શરદ પવારે વર્ષોની મહેનત બાદ ઉભી કરેલી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીને તેમના જ ભત્રીજા અજીત પવારે એક જ ઝાટકે બે ફાડિયા કરી નાખ્યા છે. આ સાથે જ હવે અજીત પવારે હુંકાર પણ ભર્યો છે કે, પાર્ટીનું નામ અને પાર્ટીનું ચિન્હ પણ આંચકી લેવામાં આવશે. સાથે જ તેમણે ભાજપને લઈને પણ ગર્ભિત ઈશારો કરતા રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. 

NCPમાં બળવો કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે અનેક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારને સમર્થન જાહેર કર્યું છે. રાજ્ય સરકારમાં અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બન્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે પીએમ મોદીને લઈને લઈને સૂચક નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે એનસીપીના નામ અને ચિહ્ન પર પણ પોતાનો દાવો કરી દીધો છે. 

અજીત પવારના આ દાવાથી એનસીપીના ભાવિને લઈને રાજકીય જંગ રસપ્રદ બની શકે છે. મીડિયા સાથે વાત કરતા અજિત પવારે કહ્યું હતું કે, વિકાસને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીએ 9 વર્ષથી ઘણા કામ કર્યા છે. તેમને જોઈને મને લાગ્યું કે મારે પણ વિકાસની યાત્રામાં સહભાગી બનવું જોઈએ. મોદી સરકારના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. 

મહત્વપૂર્ણ છે કે, અજિત પવારની સાથે અન્ય 8 મંત્રીઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. અજિત પવારે કહ્યું હતું કે, કેબિનેટમાં ઘણા વધુ સાથીઓને સ્થાન આપવામાં આવશે. અજિત પવારે દાવો કર્યો કે, કેટલાક ધારાસભ્યો હજુ સુધી પહોંચ્યા નથી.જેથી હજુ ઘણા ધારાસભ્યો અમારી સાથે છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યો હાલ વિદેશમાં છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે, ઘણા લોકો અમારી ટીકા કરશે પરંતુ અમે તેને મહત્વ આપતા નથી. અમે મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીશું. એટલા માટે અમે આ નિર્ણય લીધો છે. અમારા મોટાભાગના ધારાસભ્યો અમારા નિર્ણયથી સંતુષ્ટ છે. અમે NCP પાર્ટી સાથે આ સરકારને સમર્થન આપ્યું છે. અમે તમામ ચૂંટણી NCPના નામે જ લડીશું. આમ કહીને તેમણે એનસીપીના ચૂંટણી ચિન્હ અને પાર્ટીના નામ પર દાવો કરવાનું સ્પષ્ટ કર્યું છે. 

અજિત પવારે કહ્યું હતું કે, આજે અમે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રી તરીકે શપથ લીધા છે. વિભાગોને લઈને બાદમાં ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget