શોધખોળ કરો

NDLS Stampede: આ ત્રણ કારણોસર નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થઇ હતી ભાગદોડ, પોલીસની તપાસ રિપોર્ટમાં ખુલાસો

NDLS Stampede: તપાસ એજન્સીઓ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે જેથી જાણવા મળે કે ભાગદોડ ક્યાંથી શરૂ થઈ અને વહીવટીતંત્રની બેદરકારી કેટલી મોટી હતી

New Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે (15 ફેબ્રુઆરી) થયેલી ભાગદોડની ઘટનાની તપાસ માટે અલગ અલગ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. રેલવે, પોલીસ અને આરપીએફની અલગ અલગ ટીમો પોતપોતાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે જેથી જાણવા મળે કે ભાગદોડ ક્યાંથી શરૂ થઈ અને વહીવટીતંત્રની બેદરકારી કેટલી મોટી હતી. દરમિયાન, દિલ્હી પોલીસના પ્રાથમિક તપાસ અહેવાલમાં ભાગદોડના ત્રણ કારણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણો શું છે,

  1. ભારે ભીડ, પણ ભીડ વ્યવસ્થાપનમાં ભારે બેદરકારી

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ પાછળનું સૌથી મોટું કારણ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ હતી. તેને સંભાળવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી ન હતી. દર કલાકે 1500 જનરલ ટિકિટ પણ વેચાતી હતી. પ્રયાગરાજ જતી ત્રણ ટ્રેનો મોડી પડવાને કારણે સ્ટેશન પર હજારો મુસાફરો એકઠા થયા હતા, પરંતુ ભીડને કાબૂમાં લેવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ હાજર નહોતા.

  1. ટ્રેનની જાહેરાતથી મૂંઝવણ સર્જાઈ, મુસાફરો દોડવા લાગ્યા

તપાસમાં જાણવા મળ્યું કે ભાગદોડનું મુખ્ય કારણ ટ્રેનની જાહેરાતોમાં ભૂલ હતી. જ્યારે પ્લેટફોર્મ નંબર-16 પર પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેનના આગમનની જાહેરાત કરવામાં આવી, ત્યારે મુસાફરો મૂંઝવણમાં મુકાઈ ગયા, કારણ કે પ્રયાગરાજ એક્સપ્રેસ પહેલાથી જ પ્લેટફોર્મ-14 પર ઉભી હતી. ઘણા મુસાફરોને લાગ્યું કે તેમની ટ્રેન બદલાઈ ગઈ છે, જેના કારણે ગભરાટ ફેલાયો અને નાસભાગ મચી ગઈ હતી.

3 સપ્તાહના અંતે અને કુંભમાં ભીડ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કુંભ મેળાને કારણે સપ્તાહના અંતે પ્રયાગરાજ જતા મુસાફરોની સંખ્યામાં ઘણો વધારો થયો હતો, પરંતુ તેમ છતાં રેલવે વહીવટીતંત્રે કોઈ વધારાની વ્યવસ્થા કરી ન હતી. મુસાફરોને સાચી માહિતી આપવા માટે ન તો વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ન તો કોઈ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો.

18 લોકોના મોત

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. મહાકુંભને કારણે ભારે ભીડ, ટ્રેનોમાં વિલંબ અને પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે સ્ટેશન પર અંધાધૂંધી સર્જાઈ હતી.

Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget