શોધખોળ કરો

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડ બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કરી મોટી જાહેરાત

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફાટી નીકળેલી નાસભાગમાં 18 લોકોના કરુણ મોત થયા હતા. જેમાંથી 9 લોકો બિહારના રહેવાસી હતા.

New Delhi Railway Station Stampede: શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફાટી નીકળેલી નાસભાગમાં 18 લોકોના કરુણ મોત થયા હતા. જેમાંથી 9 લોકો બિહારના રહેવાસી હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.


મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે

મુખ્યમંત્રી નીતિશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જાનહાનિથી અત્યંત દુઃખી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોના પરિવારના સભ્યોને દુઃખની આ ઘડીમાં ધીરજ રાખવાની શક્તિ આપે.” તેમણે લખ્યું, “આ ઘટનામાં બિહારમાં રહેતા મૃતકોના આશ્રિતોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની સૂચના આપવામાં આવી છે. ઘાયલોની ઝડપથી સ્વસ્થતાની કામના.”

મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે

આ પહેલા ભારતીય રેલ્વેએ અકસ્માતમાં અસરગ્રસ્તો માટે વળતરની જાહેરાત કરી હતી. આ અંતર્ગત મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્ત મુસાફરોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. રેલ્વે પ્રશાસને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે અને પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ માટે આદેશ પણ જારી કર્યા છે.

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગમાં 14 મહિલાઓ સહિત 18 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ 14 અને 15 પર રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કહેવાય છે કે પ્લેટફોર્મ પર અચાનક ભીડ વધી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. આ ભીડમાં મોટાભાગના લોકો મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. આ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ભાગદોડમાં ઘણા લોકોના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ ઘટના ફરી એકવાર રેલવેની નિષ્ફળતા અને સરકારની અસંવેદનશીલતા ઉજાગર કરે છે.

'એકવાર ફરી રેલવેની નિષ્ફળતા અને...', નવી દિલ્હી રેલવે સ્ટેશન ભાગદોડ પર બોલ્યા રાહુલ ગાંધી       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget