શોધખોળ કરો

નિર્ભયા કેસઃ દોષિતોને 22 જાન્યુઆરીના રોજ નહી થાય ફાંસી, રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પેન્ડિંગ હોવાની આપી દલીલ

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરતી અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલ દોષિતોની ડેથ વોરંટ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, દોષિતો આ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, આ ફાંસીની સજામાં મોડુ થાય તે માટેની રણનીતિ લાગી રહી છે. જોકે, હાઇકોર્ટના આ નિર્ણય બાદ 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસીની સજા આપવામા આવે તે મુશ્કેલ લાગી રહ્યું છે. દોષિત મુકેશે ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. અરજીમાં  મુકેશે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરી હતી. દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યુ હતું કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા આપી શકાય નહી કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષિતોને 14 દિવસનો સમય આપવાનો હોય છે. દિલ્હી હાઇકોર્ટમાં ડેથ વોરંટ પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. સરકારી વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ દ્ધારા દયા અરજી ફગાવ્યા બાદ પણ 14 દિવસનો સમય આપવો જરૂરી છે. નિર્ભયા કેસમાં દોષિત મુકેશે ડેથ વોરંટ રોકવા માટે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશ અને વિનયની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. આ સાથે મુકેશના વકીલોએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરી હતી જેમાં કહ્યુ હતું કે, અમારી દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે અને જ્યાં સુધી તેના પર કોઇ નિર્ણય નથી આવતો ત્યાં  સુધી અમારી વિરુદ્ધ જાહેર કરાયેલ ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવે. દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મુકેશના વકીલોએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશને ટાંક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે છે તો પણ 14 દિવસનો સમય આપવો જોઇએ. જેના પર કોર્ટે સરકારી વકીલોને પૂછ્યું હતુ કે તમારુ આના પર શું કહેવું છે. સરકારી વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે જે દિવસે રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવશે તે દિવસથી 14 દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે જ એ વાત દોહરાવી હતી કે 22 તારીખના રોજ ફાંસી માટે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે તે દિવસે ફાંસી થશે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget