શોધખોળ કરો

નિર્ભયા કેસઃ દોષિતોને 22 જાન્યુઆરીના રોજ નહી થાય ફાંસી, રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પેન્ડિંગ હોવાની આપી દલીલ

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરતી અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલ દોષિતોની ડેથ વોરંટ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, દોષિતો આ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, આ ફાંસીની સજામાં મોડુ થાય તે માટેની રણનીતિ લાગી રહી છે. જોકે, હાઇકોર્ટના આ નિર્ણય બાદ 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસીની સજા આપવામા આવે તે મુશ્કેલ લાગી રહ્યું છે. દોષિત મુકેશે ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. અરજીમાં  મુકેશે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરી હતી. દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યુ હતું કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા આપી શકાય નહી કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષિતોને 14 દિવસનો સમય આપવાનો હોય છે. દિલ્હી હાઇકોર્ટમાં ડેથ વોરંટ પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. સરકારી વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ દ્ધારા દયા અરજી ફગાવ્યા બાદ પણ 14 દિવસનો સમય આપવો જરૂરી છે. નિર્ભયા કેસમાં દોષિત મુકેશે ડેથ વોરંટ રોકવા માટે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશ અને વિનયની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. આ સાથે મુકેશના વકીલોએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરી હતી જેમાં કહ્યુ હતું કે, અમારી દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે અને જ્યાં સુધી તેના પર કોઇ નિર્ણય નથી આવતો ત્યાં  સુધી અમારી વિરુદ્ધ જાહેર કરાયેલ ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવે. દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મુકેશના વકીલોએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશને ટાંક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે છે તો પણ 14 દિવસનો સમય આપવો જોઇએ. જેના પર કોર્ટે સરકારી વકીલોને પૂછ્યું હતુ કે તમારુ આના પર શું કહેવું છે. સરકારી વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે જે દિવસે રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવશે તે દિવસથી 14 દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે જ એ વાત દોહરાવી હતી કે 22 તારીખના રોજ ફાંસી માટે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે તે દિવસે ફાંસી થશે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ
કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
PM Modi Gujarat Visit LIVE: આજે સોમનાથ અમૃત મહોત્સવનું આયોજન, પીએમ મોદી અમૃત મહોત્સવમાં લેશે ભાગ
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત 
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
PM Kisan Yojana: આ ભૂલના કારણે અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
Embed widget