શોધખોળ કરો

નિર્ભયા કેસઃ દોષિતોને 22 જાન્યુઆરીના રોજ નહી થાય ફાંસી, રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી પેન્ડિંગ હોવાની આપી દલીલ

નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરતી અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે નિર્ભયા કેસમાં ફાંસીની સજા પામેલ દોષિતોની ડેથ વોરંટ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, દોષિતો આ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે. કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે, આ ફાંસીની સજામાં મોડુ થાય તે માટેની રણનીતિ લાગી રહી છે. જોકે, હાઇકોર્ટના આ નિર્ણય બાદ 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસીની સજા આપવામા આવે તે મુશ્કેલ લાગી રહ્યું છે. દોષિત મુકેશે ક્યૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. અરજીમાં  મુકેશે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગણી કરી હતી. દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યુ હતું કે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસીની સજા આપી શકાય નહી કારણ કે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષિતોને 14 દિવસનો સમય આપવાનો હોય છે. દિલ્હી હાઇકોર્ટમાં ડેથ વોરંટ પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. સરકારી વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ દ્ધારા દયા અરજી ફગાવ્યા બાદ પણ 14 દિવસનો સમય આપવો જરૂરી છે. નિર્ભયા કેસમાં દોષિત મુકેશે ડેથ વોરંટ રોકવા માટે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશ અને વિનયની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. આ સાથે મુકેશના વકીલોએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરી હતી જેમાં કહ્યુ હતું કે, અમારી દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે અને જ્યાં સુધી તેના પર કોઇ નિર્ણય નથી આવતો ત્યાં  સુધી અમારી વિરુદ્ધ જાહેર કરાયેલ ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવે. દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મુકેશના વકીલોએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશને ટાંક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે છે તો પણ 14 દિવસનો સમય આપવો જોઇએ. જેના પર કોર્ટે સરકારી વકીલોને પૂછ્યું હતુ કે તમારુ આના પર શું કહેવું છે. સરકારી વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે જે દિવસે રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવશે તે દિવસથી 14 દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે જ એ વાત દોહરાવી હતી કે 22 તારીખના રોજ ફાંસી માટે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે તે દિવસે ફાંસી થશે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget