શોધખોળ કરો

પુલવામા નહીં પરંતુ આ કારણે UNએ મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી, જાણો વિગત

ભારત મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયત્ન કરતું હતું. આ માટેના પૂરવા પણ આપ્યા હતા.

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને બુધવારે સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકી જાહેર કર્યો હતો. જે ભારતની એક મોટી કૂટનીતિ જીત છે. પરંતુ રોચક વાત એ છે કે જે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે કોશિશ કરી તેનો યુએનના ફેંસલામાં ઉલ્લેખ જ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે 10 વર્ષથી પ્રયત્ન કરતું હતું. આ માટેના પૂરવા પણ આપ્યા હતા. તાજેતરમાં પુલવામાં આતંકી હુમલો થયો હતો. વૈશ્વિક આતંકી જાહેર કરવાની કાર્યવાહી માત્ર કોઇ હુમલા અંગે જાણકારી આપવાથી નહીં પરંતુ તમામ પૂરાવા આપ્યા બાદ થઈ છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, અમે મસૂદ અઝહરનો બાયોડેટા તૈયાર નહોતા કરતા, જેમાં તેના દ્વારા કરવામાં આવેલા દરેક આતંકી હુમલાનો ઉલ્લેખ હતો. અમારો હેતુ તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો હતો અને તેમાં સફળ થયા છીએ. પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જે પ્રસ્તાવ આપ્યો હતો તેમાં પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ હતો. જેમાં ચીને પુલવામા પર વાંધો ઉઠાવ્યો હતો. ચીન વીટો પાવર વાપરીને દર વખતે રોડા નાંખતું હતું. પરંતુ આ વખતે ચીને નરમ વલણ અપનાવીને વીટો પાવર ન વાપર્યો, જેનો શ્રેય અમેરિકા, બ્રિટન અને ફાંસને જાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, આ એક કૂટનીતિક અને તમામે કરેલો પ્રયત્ન હતો. જેમાં અમે સફળ થયા છીએ. અમે 2009ની પ્રયત્ન કરતા હતા અને હવે તેમાં સફળતા મળી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તો ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું કે , પાકિસ્તાન અઝહર પર લગાવવામાં આવેલા પ્રતિબંધો તાત્કાલિક લાગુ કરશે. તેમણે આને ભારતની કૂટનીતિક જીત માનવાથી ઈન્કાર કરી દીધો હતો. ભારતની મોટી કૂટનીતિક સફળતા, UNએ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી કર્યો જાહેર મસૂદ અઝહરને UN દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યા બાદ મોદીએ શું કહ્યું, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget