શોધખોળ કરો

હવે રાજસ્થાનને ઘમરોળશે બિપરજોય વાવાઝોડું! NDRFની ટીમ પહોંચી જાલોર, જાણો ગુજરાતને કેટલું થયું નુકસાન

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં ભારે પવન અને મુશળધાર વરસાદ સાથે ભારે વિનાશ સર્જ્યો છે. જો કે હવે તોફાનનો કહેર અહીં ઓછો થયો છે.

Cyclone Biparjoy in Rajasthan: ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ બિપરજોય વાવાઝોડાની ઝડપ ઘટી ગઈ છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં તોફાનનો સામનો કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ના ડીજી અતુલ કરવલે આજે (16 જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમના અભિયાન વિશે માહિતી આપી હતી.

ડીજી અતુલ કરવલે જણાવ્યું હતું કે, "જેમ જેમ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે, તેમ દક્ષિણ રાજસ્થાનમાં વરસાદ આવવાની શક્યતા છે. રાજસ્થાન સરકારની વિનંતી પર અમે એક ટીમ જાલોર મોકલી છે. આ ઉપરાંત કર્ણાટકમાં 4, મહારાષ્ટ્રમાં પણ 5 ટીમો તૈનાત છે.

ગુજરાતમાં વાવાઝોડાથી કેટલું નુકસાન થયું

ભારે પવન અને મુશળધાર વરસાદ સાથે, ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં મોટાપાયે વિનાશ સર્જ્યો છે. નબળા પડતા પહેલા ચક્રવાતે જનજીવન ખોરવ્યું હતું. વૃક્ષો ઉખાડી ફેંક્યા હતા. વીજળી સંપૂર્ણ બંધ છે. દરિયા કિનારે ભારે ભૂસ્ખલન થયું છે. નુકસાન વિશે માહિતી આપતા ડીજી અતુલ કરવલે જણાવ્યું હતું કે, "લેન્ડફોલ પહેલા બે લોકોના મોત થયા હતા. લેન્ડફોલ પછી કોઈ જાનહાનિ થઈ નથી. 24 પ્રાણીઓના મોત થયા છે અને 23 લોકો ઘાયલ થયા છે. લગભગ હજારો ગામોમાં વીજળી નથી. પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. 800 વૃક્ષો પડી ગયા છે. રાજકોટ સિવાય ક્યાંય ભારે વરસાદ નથી."

ગુજરાતના કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, "તેજ પવનને કારણે ઘણી જગ્યાએ સાવચેતીના પગલારૂપે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. ચોક્કસ આંકડા સર્વે બાદ સામે આવશે. ઇલેક્ટ્રિક થાંભલા અને ટ્રાન્સફોર્મરને વધુ નુકસાન થયું છે. ઘણા વૃક્ષો પડી ગયા છે. કોઈ જાનહાનિ થઈ નથી. અમે શક્ય તેટલી વહેલી તકે સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ કરીશું. 2 હાઈવે બંધ છે જ્યાંથી વૃક્ષો હટાવવાની કામગીરી ચાલી રહી છે.”

ગુજરાતના મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને પવનની ઝડપ 115-120 કિમી પ્રતિ કલાકના કારણે 300 થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા. આ દરમિયાન 45 ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ચક્રવાત 'બિપરજોય'ના કારણે કેટલીક ટ્રેનોને પણ અસર થઈ છે. પશ્ચિમ રેલ્વેએ ગુજરાતમાં 'બિપરજોય' ચક્રવાતને ધ્યાનમાં રાખીને ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ અથવા આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget