શોધખોળ કરો

VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG

VIP Security changed: કેન્દ્ર સરકારે NSGને VIP સુરક્ષામાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો આદેશ આપ્યો છે અને આગામી મહિના સુધીમાં અત્યંત જોખમમાં રહેલા નવ અત્યંત મહત્વપૂર્ણ લોકો (VIPs)ની સુરક્ષા CRPFને સોંપવાનો આદેશ આપ્યો છે.

VIP Security changed: કેન્દ્ર સરકારે VIP સુરક્ષામાંથી આતંકવાદ વિરોધી કમાન્ડો ફોર્સ NSGને સંપૂર્ણપણે દૂર કરવાનો અને CRPFને ભારે જોખમનો સામનો કરી રહેલા નવ અત્યંત મહત્વપૂર્ણ લોકો (VIP)ની સુરક્ષા આગામી મહિના સુધીમાં સોંપવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના VIP સુરક્ષા સેલમાં વિશેષ પ્રશિક્ષિત સૈનિકોની નવી બટાલિયનને ઉમેરવાની પણ મંજૂરી આપી છે. આ બટાલિયનને તાજેતરમાં સંસદની સુરક્ષામાંથી હટાવી દેવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 'બ્લેક કેટ' કમાન્ડો દ્વારા સંરક્ષિત  'ઝેડ પ્લસ' કેટેગરીના નવ VIPમાં,

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
  • યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતી
  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
  • ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી
  • કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ
  • ભાજપના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ
  • જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને DPAPના પ્રમુખ ગુલામ નબી આઝાદ
  • નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા
  • આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ

આ તમામને હવે CRPFનું સુરક્ષા કવચ આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલય હેઠળના બંને દળો વચ્ચે જવાબદારીઓનું ટ્રાન્સફર એક મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે.

સીઆરપીએફની સાતમી બટાલિયનને પણ સામેલ કરવામાં આવશે

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સીઆરપીએફ, જેમાં છ વીઆઈપી સુરક્ષા બટાલિયન છે, તેને આ હેતુ માટે બીજી સાતમી બટાલિયનને સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે,નવી બટાલિયન તે હશે જે થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. તેમણે એમ પણ કહ્યું કે ગયા વર્ષે સંસદમાં સુરક્ષામાં ખામી સામે આવ્યા બાદ સંસદની સુરક્ષા સીઆરપીએફ પાસેથી સીઆઈએસએફને સોંપવામાં આવી હતી.

બે VIP ને અદ્યતન સુરક્ષા સંપર્ક પ્રોટોકોલ આપવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા કાર્યભાર સંભાળવાની પ્રક્રિયાના ભાગરૂપે, આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમ  તેના મુખ્યમંત્રીની સુરક્ષાને એનએસજીથી બદલીને સીઆરપીએફને ટ્રાન્સફર કરવાના ધ્યાનમાં રાખીને દિલ્હી આવી હતી. આ નવ VIPsમાંથી બેને CRPF દ્વારા આપવામાં આવેલ એડવાન્સ સિક્યોરિટી કોન્ટેક્ટ (ASL) પ્રોટોકોલ પણ આપવામાં આવશે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથનો સમાવેશ થાય છે.

જેમાં ગાંધી પરિવારના ત્રણ નેતાઓનો સમાવેશ થાય છે

ASL માં, VIP ની આગામી મુલાકાતનું સ્થળ અગાઉથી તપાસવામાં આવે છે. CRPF દેશના પાંચ VIP માટે આવા પ્રોટોકોલનું પાલન કરે છે, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને ગાંધી પરિવારના ત્રણ કોંગ્રેસી નેતાઓનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2020 માં પણ, ગાંધી પરિવાર - સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષામાંથી SPG (સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ) ને હટાવ્યા પછી, ગૃહ મંત્રાલયની એક સમિતિએ NSGને VIP સુરક્ષા ફરજોમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.

બ્લેક કેટ કમાન્ડો બે દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યા છે

કેન્દ્ર સરકારે NSGનું 'પુનઃગઠન' કરવાનો અને અયોધ્યામાં રામ મંદિરની નજીક અને દેશના દક્ષિણ ભાગમાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ મિલકતોની આસપાસના કેટલાક ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં કમાન્ડોની 'સ્ટ્રાઈક ટીમો' વધારવા અને તૈનાત કરવા માટે તેના માનવબળનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ કામ માટે ‘બ્લેક કેટ’ કમાન્ડો બે દાયકા કરતાં વધુ પહેલાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ કાર્ય મૂળ 1984 માં બળની અવધારણા અને સ્થાપનાના સમયે મુળ રુપથી તેના માટે નિર્ધારિત ન હતું.

NSG બુધવારે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

NSG બુધવારે તેનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે એનએસજીએ આતંકવાદ વિરોધી અને વિમાન હાઇજેકિંગ વિરોધી કામગીરીના વિશિષ્ટ કાર્યોને સંભાળવાના તેના મુખ્ય ચાર્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ઉચ્ચ જોખમ ધરાવતા વીઆઈપીની સુરક્ષાનું કાર્ય તેના મર્યાદિત અને વિશેષજ્ઞ ક્ષમતાઓ પર  'બોજ' સાબિત થઈ રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે NSGને VIP સુરક્ષા ફરજોમાંથી હટાવ્યા બાદ લગભગ 450 'બ્લેક કેટ' કમાન્ડોને મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો...

મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget