શોધખોળ કરો

'અંડર ટ્રાયલ કેદીઓને મુક્ત કરવા સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ', Supreme Court એ કેન્દ્ર સરકારને આપી સલાહ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષોથી જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)  ઉજવી રહ્યો છે, આ અવસર પર આ કેદીઓને મુક્ત કરવા એ ઉજવણી કરવાનો યોગ્ય માર્ગ હશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી યોજના બનાવવાની સલાહ આપી કે જેથી જેલમાં બંધ અન્ડરટ્રાયલ અને નાના ગુનેગારોને જલ્દીથી મુક્ત કરી શકાય.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે વર્ષોથી જેલમાં રહેલા અંડરટ્રાયલ અને નાના ગુનેગારોની મુક્તિને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે જો કોર્ટ 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકે તો કેદીઓને જામીન પર મુક્ત કરવા જોઈએ.  દેશની ન્યાયિક વ્યવસ્થા અંગે ખંડપીઠે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ કેસમાં 10 વર્ષ પછી છૂટી જાય છે તો તેને તેના જીવનના અમૂલ્ય દસ વર્ષ પાછા નથી મળતા જે તેણે જેલમાં વિતાવ્યા હતા.

જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) કેએમ નટરાજને કહ્યું હતું કે સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે કરી રહી છે. આ અવસર પર જેલમાં રહેલા અંડરટ્રાયલ અને જે કેદીઓએ તેમની સજાનો મોટો હિસ્સો જેલમાં વિતાવ્યો હોય તેવા કેદીઓને મુક્ત કરવા માટે સરકારને માર્ગ શોધવાનો સાચા અર્થમાં ઉજવણીનો ઉપયોગ છે.

જેલ અને ટ્રાયલ કોર્ટનો બોજ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ. જે અંતર્ગત જેલમાં બંધ અંડરટ્રાયલ અને નાના ગુનેગારોને નિર્ધારિત સમય પછી જામીન પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે તેની ટિપ્પણીમાં એમ પણ કહ્યું હતું કે તેનો અર્થ એ નથી કે ગુનો કરનાર ગુનેગારને સજા ન થવી જોઈએ, પરંતુ લાંબા સમય સુધી ટ્રાયલ ચલાવવી અને આરોપીને દોષિત સાબિત કર્યા વિના લાંબા સમય સુધી જેલમાં રાખવો એ ઉકેલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્થિતિથી બચવા માટે પહેલીવાર નાના ગુનાના દોષિતોને સારા વર્તનના બોન્ડ પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે કેન્દ્ર સરકારને આ મામલે 'આઉટ ઓફ બૉક્સ' વિચારવાનું નિવેદન કર્યું છે.  બેન્ચે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. તેથી સરકારે આવી ગંભીર બાબતોમાં અલગ રીતે વિચારવાની જરૂર છે. 10 વર્ષ પછી જો તે તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી જાવ તો તેને કોણ પાછું આપશે. જો અમે 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકીએ તો આદર્શ રીતે તેને જામીન આપવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો વિશે આ વાત કહી

અદાલતે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે નીચલી અદાલતો સમક્ષ સજાના શિક્ષાત્મક સિદ્ધાંતને પ્રાથમિકતા આપવામાં આવી છે. નીચલી અદાલતોમાં સજાના સુધારાવાદી સિદ્ધાંતને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે. સજાનો એક હેતુ એ પણ છે કે આરોપીઓ સમાજમાં ફરી સંગઠિત થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
‘ધંધો બંધ થશે તો દારૂ વેચીશું!’ પાટણમાં ડીજે માલિકોની ખુલ્લી ચીમકી, ગેનીબેન સામે મોરચો
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
Stocks to Buy: સોમવારે આ 3 શેરોમાં જોવા મળી શકે છે મુવમેન્ટ, બ્રોકરેજ ફર્મ્સે આપ્યો સંકેત
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ફૂલ ટાંકીમાં ચાલે છે 800 KM, દેશની સૌથી સસ્તી ડિસ્ક-બ્રેક બાઇક કઈ?
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Embed widget