શોધખોળ કરો

'અંડર ટ્રાયલ કેદીઓને મુક્ત કરવા સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ', Supreme Court એ કેન્દ્ર સરકારને આપી સલાહ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષોથી જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)  ઉજવી રહ્યો છે, આ અવસર પર આ કેદીઓને મુક્ત કરવા એ ઉજવણી કરવાનો યોગ્ય માર્ગ હશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી યોજના બનાવવાની સલાહ આપી કે જેથી જેલમાં બંધ અન્ડરટ્રાયલ અને નાના ગુનેગારોને જલ્દીથી મુક્ત કરી શકાય.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે વર્ષોથી જેલમાં રહેલા અંડરટ્રાયલ અને નાના ગુનેગારોની મુક્તિને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે જો કોર્ટ 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકે તો કેદીઓને જામીન પર મુક્ત કરવા જોઈએ.  દેશની ન્યાયિક વ્યવસ્થા અંગે ખંડપીઠે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ કેસમાં 10 વર્ષ પછી છૂટી જાય છે તો તેને તેના જીવનના અમૂલ્ય દસ વર્ષ પાછા નથી મળતા જે તેણે જેલમાં વિતાવ્યા હતા.

જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) કેએમ નટરાજને કહ્યું હતું કે સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે કરી રહી છે. આ અવસર પર જેલમાં રહેલા અંડરટ્રાયલ અને જે કેદીઓએ તેમની સજાનો મોટો હિસ્સો જેલમાં વિતાવ્યો હોય તેવા કેદીઓને મુક્ત કરવા માટે સરકારને માર્ગ શોધવાનો સાચા અર્થમાં ઉજવણીનો ઉપયોગ છે.

જેલ અને ટ્રાયલ કોર્ટનો બોજ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ. જે અંતર્ગત જેલમાં બંધ અંડરટ્રાયલ અને નાના ગુનેગારોને નિર્ધારિત સમય પછી જામીન પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે તેની ટિપ્પણીમાં એમ પણ કહ્યું હતું કે તેનો અર્થ એ નથી કે ગુનો કરનાર ગુનેગારને સજા ન થવી જોઈએ, પરંતુ લાંબા સમય સુધી ટ્રાયલ ચલાવવી અને આરોપીને દોષિત સાબિત કર્યા વિના લાંબા સમય સુધી જેલમાં રાખવો એ ઉકેલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્થિતિથી બચવા માટે પહેલીવાર નાના ગુનાના દોષિતોને સારા વર્તનના બોન્ડ પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે કેન્દ્ર સરકારને આ મામલે 'આઉટ ઓફ બૉક્સ' વિચારવાનું નિવેદન કર્યું છે.  બેન્ચે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. તેથી સરકારે આવી ગંભીર બાબતોમાં અલગ રીતે વિચારવાની જરૂર છે. 10 વર્ષ પછી જો તે તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી જાવ તો તેને કોણ પાછું આપશે. જો અમે 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકીએ તો આદર્શ રીતે તેને જામીન આપવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો વિશે આ વાત કહી

અદાલતે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે નીચલી અદાલતો સમક્ષ સજાના શિક્ષાત્મક સિદ્ધાંતને પ્રાથમિકતા આપવામાં આવી છે. નીચલી અદાલતોમાં સજાના સુધારાવાદી સિદ્ધાંતને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે. સજાનો એક હેતુ એ પણ છે કે આરોપીઓ સમાજમાં ફરી સંગઠિત થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget