શોધખોળ કરો

'અંડર ટ્રાયલ કેદીઓને મુક્ત કરવા સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ', Supreme Court એ કેન્દ્ર સરકારને આપી સલાહ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષોથી જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)  ઉજવી રહ્યો છે, આ અવસર પર આ કેદીઓને મુક્ત કરવા એ ઉજવણી કરવાનો યોગ્ય માર્ગ હશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી યોજના બનાવવાની સલાહ આપી કે જેથી જેલમાં બંધ અન્ડરટ્રાયલ અને નાના ગુનેગારોને જલ્દીથી મુક્ત કરી શકાય.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે વર્ષોથી જેલમાં રહેલા અંડરટ્રાયલ અને નાના ગુનેગારોની મુક્તિને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે જો કોર્ટ 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકે તો કેદીઓને જામીન પર મુક્ત કરવા જોઈએ.  દેશની ન્યાયિક વ્યવસ્થા અંગે ખંડપીઠે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ કેસમાં 10 વર્ષ પછી છૂટી જાય છે તો તેને તેના જીવનના અમૂલ્ય દસ વર્ષ પાછા નથી મળતા જે તેણે જેલમાં વિતાવ્યા હતા.

જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) કેએમ નટરાજને કહ્યું હતું કે સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે કરી રહી છે. આ અવસર પર જેલમાં રહેલા અંડરટ્રાયલ અને જે કેદીઓએ તેમની સજાનો મોટો હિસ્સો જેલમાં વિતાવ્યો હોય તેવા કેદીઓને મુક્ત કરવા માટે સરકારને માર્ગ શોધવાનો સાચા અર્થમાં ઉજવણીનો ઉપયોગ છે.

જેલ અને ટ્રાયલ કોર્ટનો બોજ

બેન્ચે કહ્યું કે આમ કરવાથી જેલો અને ટ્રાયલ કોર્ટ પર કામનો બોજ ઓછો થશે. આ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પરામર્શ કરીને યોજના તૈયાર કરવી જોઈએ. જે અંતર્ગત જેલમાં બંધ અંડરટ્રાયલ અને નાના ગુનેગારોને નિર્ધારિત સમય પછી જામીન પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે તેની ટિપ્પણીમાં એમ પણ કહ્યું હતું કે તેનો અર્થ એ નથી કે ગુનો કરનાર ગુનેગારને સજા ન થવી જોઈએ, પરંતુ લાંબા સમય સુધી ટ્રાયલ ચલાવવી અને આરોપીને દોષિત સાબિત કર્યા વિના લાંબા સમય સુધી જેલમાં રાખવો એ ઉકેલ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સ્થિતિથી બચવા માટે પહેલીવાર નાના ગુનાના દોષિતોને સારા વર્તનના બોન્ડ પર મુક્ત કરી શકાય છે.

ખંડપીઠે કેન્દ્ર સરકારને આ મામલે 'આઉટ ઓફ બૉક્સ' વિચારવાનું નિવેદન કર્યું છે.  બેન્ચે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. તેથી સરકારે આવી ગંભીર બાબતોમાં અલગ રીતે વિચારવાની જરૂર છે. 10 વર્ષ પછી જો તે તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી જાવ તો તેને કોણ પાછું આપશે. જો અમે 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકીએ તો આદર્શ રીતે તેને જામીન આપવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતો વિશે આ વાત કહી

અદાલતે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો કે નીચલી અદાલતો સમક્ષ સજાના શિક્ષાત્મક સિદ્ધાંતને પ્રાથમિકતા આપવામાં આવી છે. નીચલી અદાલતોમાં સજાના સુધારાવાદી સિદ્ધાંતને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે. સજાનો એક હેતુ એ પણ છે કે આરોપીઓ સમાજમાં ફરી સંગઠિત થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget