શોધખોળ કરો

પહેલગામ હુમલા પર વિશ્વના સૌથી પાવરફુલ દેશે ભારતને આપ્યો મજબૂત ટેકો: પીએમને ફોન પર કર્યું – ‘આતંક સામે દરેક કાર્યવાહી પર સમર્થન...’

પુતિને પહેલગામ હુમલાની નિંદા કરી, પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા પર ભાર મૂક્યો, ભારત-રશિયાની વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા.

Pahalgam terror attack news: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અને પાકિસ્તાન સામે ભારતની કડક કાર્યવાહીના સંકેતો વચ્ચે, ભારતને રશિયાનો મજબૂત ટેકો મળ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Putin supports India on terror attack) સોમવારે (૫ મે, ૨૦૨૫) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર આપેલી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ પુતિને પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. પુતિને ભારપૂર્વક જણાવ્યું કે, આ જઘન્ય હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. આ ટેકો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લગભગ બે અઠવાડિયા પછી આવ્યો છે.

ભારતની દરેક કાર્યવાહી પર સંપૂર્ણ સમર્થન:

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલી વાતચીત દરમિયાન, રશિયાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારત દ્વારા લેવામાં આવનારી દરેક કાર્યવાહી પર સંપૂર્ણ સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું. આનાથી આતંકવાદ સામે ભારતની લડાઈમાં રશિયાનું મજબૂત વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.

બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. આ વાતચીત બંને દેશોના સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.

વાતચીત દરમિયાન, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને વિજય દિવસની ૮૦મી વર્ષગાંઠ (જે ૯ મેના રોજ ઉજવવામાં આવે છે) પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટ માટે પણ આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે પણ પહેલગામ આતંકવાદી હુમલા અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી હતી, જોકે તે સમયે તેમણે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી. રાષ્ટ્રપતિ પુતિનનો સીધો ફોન અને સમર્થન ભારત પ્રત્યે રશિયાના મજબૂત વલણને દર્શાવે છે.

૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા. હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget