શોધખોળ કરો

Pawar : અદાણી મામલે શરદ પવારે કોથળામાંથી બિલાડું કાઢતા વિપક્ષ ચત્તાપાટ

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો હતો. દરેક જગ્યાએ ગૌતમ અદાણીની ચર્ચા થવા લાગી હતી. સંસદ ઠપ્પ થઈ ગઈ અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં. હવે હિંડનબર્ગના આ અહેવાલ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવેદને વિપક્ષોની ઊંઘ હરામ નાખી છે. સાથે જ પવારે વિપક્ષની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગણીને પણ ખોટીગણાવી હતી.

એક જાણીતી સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે અદાણીને ક્લીનચીટ આપી દીધી હતી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની ટીકા કરતાં શરદ પવારે કહ્યું હતું કે, એવું લાગે છે કે આ રિપોર્ટ દ્વારા અદાણી જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે કહ્યું હતું કે, જો અદાણી ગ્રુપે કંઇ ખોટું કર્યું હોય તો તેની તપાસ થવી જોઇએ.

અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું- પવાર

શરદ પવારે કહ્યું હતું કે, અગાઉ પણ આવા નિવેદનો સામે આવ્યા હતા અને સંસદમાં ઘણા દિવસો સુધી હંગામો મચાવ્યો હતો, પરંતુ આ વખતે અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. અદાણી અંગે નિવેદન આપનારાઓની પૃષ્ઠભૂમિ શું છે?

કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ અદાણી કેસની જીપીસી તપાસને લઈને સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે શરદ પવારે કહ્યું કે અમે કોંગ્રેસના વિચારો સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું ગઠબંધન છે. પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે.

JPC તપાસની જરૂર નથી - પવાર

શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, વિપક્ષ જેપીસીની માંગ કરી રહ્યો છે. જેપીસી દ્વારા તપાસ કરવામાં આવે તો પણ મોનિટરિંગ સત્તાધારી પક્ષ પાસે રહેશે અને સત્તાધારી પક્ષ પાસે બહુમતી છે. આ સ્થિતિમાં સત્ય કેવી રીતે બહાર આવશે? પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે. હવે સત્ય બહાર આવવાની વધુ શક્યતાઓ છે. આ સ્થિતિમાં જેપીસી તપાસની જરૂર નથી.

વિરોધ પક્ષોથી જુદી જ રાહ પકડતા શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે અમે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે અમારે સરકાર વિરુદ્ધ બોલવું પડ્યું. અમે ત્યારે ટાટા-બિરલાનું નામ લેતા. અમે તેમના યોગદાનને સમજતા હતા, પરંતુ અમે તેમની વિરુદ્ધ બોલતા હતા. આજે ટાટા-બિરલા નહીં પણ અંબાણી-અદાણીનું નામ ચાલે છે. તેથી જ જ્યારે સરકાર પર પ્રહારો કરવા પડે છે ત્યારે વિભાગ અદાણી-અંબાણીનું નામ લે છે. પવારે ઉમેર્યું હતું કે, જો તમે કંઈ ખોટું કર્યું હોય તો તમને બોલવાનો અધિકાર છે, પરંતુ કોઈ કારણ વગર હુમલો કરવો એ મારી સમજની બહાર છે.

દેશના વિકાસમાં અંબાણીનું યોગદાન- પવાર

પવારે વધુમાં કહ્યું હતું કે, અંબાણીના યોગદાન પેટ્રોકેમિકલ ક્ષેત્રે, વીજળી ક્ષેત્રે છે. શું દેશને તેની જરૂર નહોતી? આ લોકોએ જવાબદારી લીધી અને આ વિસ્તારો માટે કામ કર્યું. તેઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, તેથી મને તેની ટીકા કરવી યોગ્ય નથી લાગતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget