શોધખોળ કરો

Pawar : અદાણી મામલે શરદ પવારે કોથળામાંથી બિલાડું કાઢતા વિપક્ષ ચત્તાપાટ

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો હતો. દરેક જગ્યાએ ગૌતમ અદાણીની ચર્ચા થવા લાગી હતી. સંસદ ઠપ્પ થઈ ગઈ અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં. હવે હિંડનબર્ગના આ અહેવાલ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવેદને વિપક્ષોની ઊંઘ હરામ નાખી છે. સાથે જ પવારે વિપક્ષની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગણીને પણ ખોટીગણાવી હતી.

એક જાણીતી સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે અદાણીને ક્લીનચીટ આપી દીધી હતી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની ટીકા કરતાં શરદ પવારે કહ્યું હતું કે, એવું લાગે છે કે આ રિપોર્ટ દ્વારા અદાણી જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે કહ્યું હતું કે, જો અદાણી ગ્રુપે કંઇ ખોટું કર્યું હોય તો તેની તપાસ થવી જોઇએ.

અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું- પવાર

શરદ પવારે કહ્યું હતું કે, અગાઉ પણ આવા નિવેદનો સામે આવ્યા હતા અને સંસદમાં ઘણા દિવસો સુધી હંગામો મચાવ્યો હતો, પરંતુ આ વખતે અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. અદાણી અંગે નિવેદન આપનારાઓની પૃષ્ઠભૂમિ શું છે?

કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ અદાણી કેસની જીપીસી તપાસને લઈને સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે શરદ પવારે કહ્યું કે અમે કોંગ્રેસના વિચારો સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું ગઠબંધન છે. પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે.

JPC તપાસની જરૂર નથી - પવાર

શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, વિપક્ષ જેપીસીની માંગ કરી રહ્યો છે. જેપીસી દ્વારા તપાસ કરવામાં આવે તો પણ મોનિટરિંગ સત્તાધારી પક્ષ પાસે રહેશે અને સત્તાધારી પક્ષ પાસે બહુમતી છે. આ સ્થિતિમાં સત્ય કેવી રીતે બહાર આવશે? પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે. હવે સત્ય બહાર આવવાની વધુ શક્યતાઓ છે. આ સ્થિતિમાં જેપીસી તપાસની જરૂર નથી.

વિરોધ પક્ષોથી જુદી જ રાહ પકડતા શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે અમે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે અમારે સરકાર વિરુદ્ધ બોલવું પડ્યું. અમે ત્યારે ટાટા-બિરલાનું નામ લેતા. અમે તેમના યોગદાનને સમજતા હતા, પરંતુ અમે તેમની વિરુદ્ધ બોલતા હતા. આજે ટાટા-બિરલા નહીં પણ અંબાણી-અદાણીનું નામ ચાલે છે. તેથી જ જ્યારે સરકાર પર પ્રહારો કરવા પડે છે ત્યારે વિભાગ અદાણી-અંબાણીનું નામ લે છે. પવારે ઉમેર્યું હતું કે, જો તમે કંઈ ખોટું કર્યું હોય તો તમને બોલવાનો અધિકાર છે, પરંતુ કોઈ કારણ વગર હુમલો કરવો એ મારી સમજની બહાર છે.

દેશના વિકાસમાં અંબાણીનું યોગદાન- પવાર

પવારે વધુમાં કહ્યું હતું કે, અંબાણીના યોગદાન પેટ્રોકેમિકલ ક્ષેત્રે, વીજળી ક્ષેત્રે છે. શું દેશને તેની જરૂર નહોતી? આ લોકોએ જવાબદારી લીધી અને આ વિસ્તારો માટે કામ કર્યું. તેઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, તેથી મને તેની ટીકા કરવી યોગ્ય નથી લાગતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget