શોધખોળ કરો

Pawar : અદાણી મામલે શરદ પવારે કોથળામાંથી બિલાડું કાઢતા વિપક્ષ ચત્તાપાટ

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો હતો. દરેક જગ્યાએ ગૌતમ અદાણીની ચર્ચા થવા લાગી હતી. સંસદ ઠપ્પ થઈ ગઈ અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં. હવે હિંડનબર્ગના આ અહેવાલ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવેદને વિપક્ષોની ઊંઘ હરામ નાખી છે. સાથે જ પવારે વિપક્ષની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગણીને પણ ખોટીગણાવી હતી.

એક જાણીતી સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે અદાણીને ક્લીનચીટ આપી દીધી હતી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની ટીકા કરતાં શરદ પવારે કહ્યું હતું કે, એવું લાગે છે કે આ રિપોર્ટ દ્વારા અદાણી જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે કહ્યું હતું કે, જો અદાણી ગ્રુપે કંઇ ખોટું કર્યું હોય તો તેની તપાસ થવી જોઇએ.

અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું- પવાર

શરદ પવારે કહ્યું હતું કે, અગાઉ પણ આવા નિવેદનો સામે આવ્યા હતા અને સંસદમાં ઘણા દિવસો સુધી હંગામો મચાવ્યો હતો, પરંતુ આ વખતે અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. અદાણી અંગે નિવેદન આપનારાઓની પૃષ્ઠભૂમિ શું છે?



કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ અદાણી કેસની જીપીસી તપાસને લઈને સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે શરદ પવારે કહ્યું કે અમે કોંગ્રેસના વિચારો સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું ગઠબંધન છે. પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે.

JPC તપાસની જરૂર નથી - પવાર

શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, વિપક્ષ જેપીસીની માંગ કરી રહ્યો છે. જેપીસી દ્વારા તપાસ કરવામાં આવે તો પણ મોનિટરિંગ સત્તાધારી પક્ષ પાસે રહેશે અને સત્તાધારી પક્ષ પાસે બહુમતી છે. આ સ્થિતિમાં સત્ય કેવી રીતે બહાર આવશે? પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે. હવે સત્ય બહાર આવવાની વધુ શક્યતાઓ છે. આ સ્થિતિમાં જેપીસી તપાસની જરૂર નથી.

વિરોધ પક્ષોથી જુદી જ રાહ પકડતા શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે અમે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે અમારે સરકાર વિરુદ્ધ બોલવું પડ્યું. અમે ત્યારે ટાટા-બિરલાનું નામ લેતા. અમે તેમના યોગદાનને સમજતા હતા, પરંતુ અમે તેમની વિરુદ્ધ બોલતા હતા. આજે ટાટા-બિરલા નહીં પણ અંબાણી-અદાણીનું નામ ચાલે છે. તેથી જ જ્યારે સરકાર પર પ્રહારો કરવા પડે છે ત્યારે વિભાગ અદાણી-અંબાણીનું નામ લે છે. પવારે ઉમેર્યું હતું કે, જો તમે કંઈ ખોટું કર્યું હોય તો તમને બોલવાનો અધિકાર છે, પરંતુ કોઈ કારણ વગર હુમલો કરવો એ મારી સમજની બહાર છે.

દેશના વિકાસમાં અંબાણીનું યોગદાન- પવાર

પવારે વધુમાં કહ્યું હતું કે, અંબાણીના યોગદાન પેટ્રોકેમિકલ ક્ષેત્રે, વીજળી ક્ષેત્રે છે. શું દેશને તેની જરૂર નહોતી? આ લોકોએ જવાબદારી લીધી અને આ વિસ્તારો માટે કામ કર્યું. તેઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, તેથી મને તેની ટીકા કરવી યોગ્ય નથી લાગતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train News: જ્યારે ટ્રેનની સામે અનેક ટ્રેક હોય ત્યારે લોકો પાયલટ યોગ્ય રસ્તો કેવી રીતે ઓળખે છે?
Train News: જ્યારે ટ્રેનની સામે અનેક ટ્રેક હોય ત્યારે લોકો પાયલટ યોગ્ય રસ્તો કેવી રીતે ઓળખે છે?
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
Train News: જ્યારે ટ્રેનની સામે અનેક ટ્રેક હોય ત્યારે લોકો પાયલટ યોગ્ય રસ્તો કેવી રીતે ઓળખે છે?
Train News: જ્યારે ટ્રેનની સામે અનેક ટ્રેક હોય ત્યારે લોકો પાયલટ યોગ્ય રસ્તો કેવી રીતે ઓળખે છે?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
Petrol-Diesel News: ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, સરકારે બનાવી યોજના, જાણો કેટલો થશે વધારો?
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Embed widget