શોધખોળ કરો

આજે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા, PM મોદી જાહેર કરશે PM Kisan Samman Nidhiનો 16મો હપ્તો

PM Kisan Samman Nidhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરશે

PM Kisan Samman Nidhi:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 28મી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરશે. PM મોદી DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાંથી 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તાઓ ટ્રાન્સફર કરશે.

અગાઉ, કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ મોકલવામાં આવ્યો હતો. જેમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે.

ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે

આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં બે- બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે. યોજના હેઠળ પહેલો હપ્તો એપ્રિલ-જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઑગસ્ટ-નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર-માર્ચ વચ્ચે આપવામાં આવે છે. આ યોજના 2019માં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી.

યોજનાના પાત્ર લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ પોતાની નોંધણી કરાવી શકે છે. આ ઉપરાંત માત્ર સ્થાનિક પટવારી, મહેસુલ અધિકારી અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નામાંકિત નોડલ ઓફિસર ખેડૂતોની નોંધણી કરી રહ્યા છે.

કયા ખેડૂતોને હપ્તા આપવામાં આવતા નથી?

પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે, એટલે કે જો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે, તો તેના ખાતામાં પીએમ કિસાન યોજનાના અંતર્ગત 6000 રૂપિયા નહીં આવે. એકંદરે, આ માટે જમીન તમારા નામે હોવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તેના માતા-પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેને યોજના હેઠળ લાભ નહીં મળે, તેણે પહેલા જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડશે.

નકલી ખેડૂતો સામે કાર્યવાહી

PM કિસાન યોજનાના પૈસા એવા લોકો માટે પણ ઉપલબ્ધ નથી જે સરકારી નોકરીમાં છે. આ ઉપરાંત જે લોકો ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તેમના માટે પણ પૈસા છોડવામાં આવતા નથી. જો કોઈ રીતે આવા ખેડૂતો યોજનાનો લાભ લેતા હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે અને સરકાર વસૂલાત પણ કરી શકે છે. એટલા માટે માત્ર લાયક ઉમેદવારોને જ અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. હવે સરકાર દ્વારા ઇ-કેવાયસી પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના દ્વારા નકલી ખેડૂતોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. PM કિસાન યોજનાનો હપ્તો 28મી ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget