શોધખોળ કરો
નવા મંત્રીમંડળ પર ચર્ચા માટે PM મોદી અને અમિત શાહની બેઠક, 20 ટકા મંત્રી બદલાઈ શકે છે - સુત્ર
30 મેના નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા મંત્રીમંડળ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે બેઠક કરી હતી. આ બેઠક પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને મળી હતી. સુત્રોની જાણકારી મુજબ મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે,

નવી દિલ્હી: 30 મેના નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા મંત્રીમંડળ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે બેઠક કરી હતી. આ બેઠક પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને મળી હતી. સુત્રોની જાણકારી મુજબ મોદી સરકારના નવા મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે, આશે 20 ટકા મંત્રીઓ બદલવામાં આવી શકે છે. જાણકારી મુજબ મોદી નવા મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને પ્રાથમિક્તા આપવાનું મન બનાવી રહ્યા છે. આ સાથે જ વધુ એક રિપોર્ટ્સ સામે આવ્યા છે કે સુરક્ષા મામલાની સમિતિ સીસીએએમાં પણ બદલાવ થઈ શકે છે. સીસીએસ દેશની સુરક્ષા મામલો પર નિર્ણય લે છે. આ સમયે સીસીએસમાં પ્રધાનમંત્રી મોદીષ અરૂણ જેટળી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સામેલ છે. વિશેષ પરિસ્થિતિમાં સેના પ્રમુખો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ સીસીએસની બેઠકમાં સામેલ કરી શકાય છે. 30 મેના યોજાનારા નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં BIMSTECના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. બિમ્સટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાથ દેશ સામેલ છે. જે બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશોમાં ભારત સિવાય, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાન સામેલ છે.
વધુ વાંચો























