શોધખોળ કરો

PM Modi : "PM મોદી રાજકારણી, ક્યારેય બદલાની ભાવનાથી કામ નથી કર્યું પરંતું કોંગ્રેસ..."

વિરોધ પક્ષના એક પછી એક નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.


Ghulam Nabi Azad Again Praise PM Modi : વિરોધ પક્ષના એક પછી એક નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા એનસીપીના અજીત પવાર અને હવે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ ક્યારેક બદલાની ભાવનાથી કોઈ જ કામ નથી કર્યું.

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું હતું કે, તેઓ હંમેશા મારી ટીકાઓને સરળતાથી સ્વીકારે છે. ANIને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, મારે પીએમ મોદીને શ્રેય આપવો જોઈએ. મેં તેમની સાથે જે કર્યું છે તેના માટે તે હંમેશા મારા પ્રત્યે દયાળુ જ બની રહ્યાં છે. વિપક્ષના નેતા તરીકે મેં તેમને કોઈપણ મુદ્દા પર છોડ્યા નથી, પછી ભલે તે કલમ 370 હોય કે CAA અથવા હિજાબ વિવાદ. હું કેટલાક વિધેયકોને તો સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા પરંતુ મારે તેમને શ્રેય આપવો જોઈએ કે, તેઓ માત્ર એક રાજકારણીની જેમ જ વર્ત્યા છે. તેમને ક્યારેય તેનો બદલો લીધો નથી.

ગુલામ નબીએ તેમના અને G23 સાથે ભાજપના ગાઢ સંબંધો હોવાના આરોપો પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવું કહેવું મૂર્ખાઈ ભર્યું છે. જો હું G23 ગ્રુપ વતી ભાજપનો પ્રવક્તા હતો તો કોંગ્રેસે તેમના સભ્યોને સાંસદ કેમ બનાવ્યા? શા માટે તેમના લોકોને સાંસદ, મહાસચિવ અને પદાધિકારી બનાવવામાં આવ્યા છે? હું એકલો જ છું જેણે કોંગ્રેસથી અલગ થઈને પાર્ટી બનાવી છે. બાકીના હજુ પણ છે. આ એક દૂષિત, અપરિપક્વ અને બાલિશ આરોપ છે.

ગ્રુપ 23ને કોંગ્રેસના બળવાખોર નેતાઓનું સંગઠન માનવામાં આવે છે. ઓગસ્ટ 2020માં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને અન્ય 21 કોંગ્રેસના નેતાઓ મળ્યા અને સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે ઘણી માંગણીઓ કરી હતી, જેમાં ચૂંટણી યોજવા અને સંગઠનના સક્રિય નેતૃત્વની માંગણીઓ મુખ્ય હતી. તેમના પત્રને કોંગ્રેસ નેતૃત્વ માટે પડકાર તરીકે જોવામાં આવ્યો હતો.

ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસને ખુલ્લી પાડવા અને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગતો નથી. પાર્ટી હાઈકમાન્ડ સાથે મારા કેટલાક મતભેદો હોઈ શકે છે, પરંતુ મને કોંગ્રેસ પાર્ટી કે કોંગ્રેસની વિચારધારા સાથે કોઈ મતભેદ નથી. મને કોંગ્રેસની વિચારધારા સાથે કે અગાઉના કોંગ્રેસ નેતૃત્વ સાથે કોઈ મતભેદ નથી. અલબત્ત, મેં મારા પુસ્તકમાં નેહરુજીના સમયમાં, ઇન્દિરાજીના સમયમાં, રાજીવજીના સમયમાં શું ખોટું થયું તેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ મેં એમ પણ કહ્યું કે, તેઓ મહાન નેતાઓ હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નહેરુજી, રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી આનો ભોગ બની શક્યા હોત, તેમની પાસે સહનશક્તિ હતી, તેમની પાસે લોકોનું સમર્થન અને સન્માન હતું અને તેઓ સમય જતાં તેમના કામથી પરિસ્થિતિને બદલી શકતા હતા, પરંતુ વર્તમાન કોંગ્રેસ નેતૃત્વનો લોકો પર કોઈ પ્રભાવ નથી. આઝાદે ગયા વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ ડીએપી નામની રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી. જો કે, પાર્ટીની રચનાના થોડા અઠવાડિયા બાદ જ તેમાં વિખવાદ શરૂ થયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget