શોધખોળ કરો

દેશમાં વધતા કોરોનાના જોખમને લઇ નાગરિકોને સતર્ક રહેવા PM મોદીની અપીલ

મનકી બાતમાં પીએમ મોદીએ કોરોનાના ખતરા અંગે વાત કરીને લોકોને સાવધાન રહેવા માટે કહ્યું હતું. 

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમનનો આજે 96મો એપિસોડ સંબોધિત કર્યો. જે આ વર્ષનો અંતિમ એપિસોડ પણ હતો. મન કી બાતની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને G-20ની અધ્યક્ષતાની જવાબદારી દેશને મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો. મનકી બાતમાં પીએમ મોદીએ કોરોનાના ખતરા અંગે વાત કરીને લોકોને સાવધાન રહેવા માટે કહ્યું હતું. 

વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં જણાવ્યુંકે, દુનિયામાં ફરી એકવાર કોરોનાથી હડકંપ મચ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ નાજુક બની છે. ત્યારે ભારત પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, લોકો અત્યારે વેકેશનના મૂડમાં છે બહાર ફરી રહ્યાં છે. જોકે, હરવા-ફરવાનો વાંધો નથી પણ વર્તમાન સ્થિતિને જોતા લોકોએ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ અને ફરજિયાત હાથ ધોતો રહેવું જોઈએ સેનેટાઈઝ કરતા રહેવું જોઈએ.   વિશ્વમાં અચાનક કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. 

હર ઘર તિરંગા અભિયાને ઈતિહાસ રચ્યો

પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં દેશવાસીઓએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. ઓગસ્ટ મહિનામાં 'હર ઘર તિરંગા' અભિયાન કોણ ભૂલી શકે. તે ક્ષણે દરેક દેશવાસીઓના રુવાડા ઉભા થઇ ગયા હતા. આઝાદીના 75 વર્ષના આ અભિયાનમાં આખો દેશ ત્રિરંગાના રંગમાં રંગાય ગયો હતો. 6 કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી મોકલી હતી. આઝાદીનો આ અમૃત મહોત્સવ આવતા વર્ષે પણ આવી જ રીતે ચાલુ રહેશે સાથે જ અમૃત્કાળનો પાયો વધુ મજબૂત કરશે.

PMએ G-20 માટે મળેલ જવાબદારી પર ગર્વ વ્યક્ત કર્યો

G-20ની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતને G-20ની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ 2023માં આપણે G-20ના ઉત્સાહને નવી ઊંચાઈઓ પર લઈ જઈને આ ઈવેન્ટને જન આંદોલન બનાવવું છે. પીએમએ કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. મારા તરફથી તમને બધાને ક્રિસમસની શુભેચ્છાઓ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
Embed widget