શોધખોળ કરો

PM Modi Oath: નરેન્દ્ર મોદી આજે લેશે PM પદના શપથ, જાણો આજના દિવસે ક્યાં-ક્યાં શુભ યોગ બની રહ્યા છે? 

એનડીએ (NDA) સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. ગયા શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

Modi 3.0 Oath Cremony: એનડીએ (NDA) સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. ગયા શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે દેશમાં યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી. 

પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહ  (Narendra Modi Oath Ceremony) 

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ સમારોહની તારીખ રવિવાર, જૂન 9, 2024 નક્કી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. તમને જણાવી દઈએ કે પહેલા એવી ચર્ચા હતી કે મોદી 8 જૂને પીએમ પદના શપથ લેશે. પરંતુ બાદમાં 9મી જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. જો કે, તારીખ બદલવાની ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ 9 જૂનની તારીખ નક્કી કરવાનું એક કારણ આ દિવસે બનેલા શુભ અને શક્તિશાળી યોગ હોઈ શકે છે. ચાલો જાણીએ કે જે દિવસે મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે તે દિવસે કયા શુભ યોગ બનશે

9 જૂનનું પંચાંગ (9 June 2024 Panchang)

હિંદુ પંચાં ગ(Vikram Samvat 2081)અનુસાર, 09 જૂનના દિવસે રવિવાર રહેશે અને   જ્યેષ્ઠ શુક્લ પક્ષની તૃતીયા તિથિ હશે. આ દિવસે વૃદ્ધિ અને ધ્રુવ યોગ રહેશે. રાત્રે 8.20 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર અને ત્યારબાદ પુષ્ય નક્ષત્ર રહેશે. ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરશે. રાહુકાલ સાંજે 05:27 થી 07:07 સુધી રહેશે. આવી સ્થિતિમાં રાહુકાળની સમાપ્તિ અને પુનર્વસુ નક્ષત્રમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

શપથ લેવા માટે શા માટે 9 જૂન ખાસ દિવસ છે? 

તમને જણાવી દઈએ કે, આ પહેલા 8 જૂને વડાપ્રધાન પદ માટે શપથ લેવાના હતા. પરંતુ બાદમાં આ તારીખ બદલીને 9 જૂન કરવામાં આવી હતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 જૂન રવિવાર છે અને તે સૂર્ય(Sun)નો દિવસ છે. જ્યોતિષશાસ્ત્ર(Astrology)માં સૂર્યને ગ્રહોનો રાજા અને શાસન શક્તિનો કારક કહેવામાં આવે છે. સૂર્ય તે છે જે સરકાર પર શાસન કરે છે.

અંકશાસ્ત્ર અનુસાર, તારીખ 9 એટલે કે 9 નંબર મંગળ ગ્રહ દ્વારા દર્શાવવામાં આવે છે, જે ઊર્જા, હિંમત અને બહાદુરીનો કારક છે. પીએમ મોદીની કુંડળી પણ વૃશ્ચિક રાશિની છે, જેનો સ્વામી મંગળ છે.

આ રીતે વડાપ્રધાન પદ માટે શપથગ્રહણના દિવસે સૂર્ય અને મંગળનો પ્રભાવ રહેવાનો છે. આવી સ્થિતિમાં સૂર્ય અને મંગળ બંનેના પ્રભાવમાં બનેલી નવી સરકાર દેશ અને દુનિયા માટે ફાયદાકારક સાબિત થાય તેવી પુરી સંભાવના છે. 

પુનર્વસુ  નક્ષત્રમાં નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લેશે (Modi Oath in Punarvasu Nakshatra)

9 જૂને રાત્રે 8.20 વાગ્યા સુધી પુનર્વસુ નક્ષત્ર રહેશે અને આ નક્ષત્રમાં મોદી PM તરીકે શપથ લેશે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન રામનો જન્મ આ નક્ષત્રમાં થયો હતો. વડાપ્રધાન મોદી પણ ભગવાન રામના પ્રખર ભક્ત છે.

શપથ લેવા માટે શુભ અને અશુભ તિથિઓ અને નક્ષત્ર (Shubh-Ashubh Tithi and Nakshatra of Oath)

હિન્દુ ધર્મમાં દરેક કાર્ય માટે શુભ અને અશુભ તિથિઓ અને નક્ષત્ર નક્કી કરવામાં આવ્યા છે, જેથી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર  શપથ ગ્રહણ માટે પંચાંગ ચતુર્થ, નવમ,  અમાવસ્યા, ચતુર્દશી અને પૂર્ણિમા(Purnima)ના દિવસો  શુભ માનવામાં આવતા નથી. રોહિણી, પુષ્ય, અનુરાધા, જ્યેષ્ઠા, મૃગશિરા, શ્રવણ, ઉત્તરાષાઢા, રેવતી, ઉત્તરાભાદ્રપદ અને અશ્વિની નક્ષત્ર શપથ લેવા માટે શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
Advertisement

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Gujarat Rain: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો, જાણી લો લેટેસ્ટ આગાહી ? 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
Weather Update: દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, IMD એ આપ્યું રેડ અને ઓરેન્જ એલર્ટ 
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
રાજ્યમાં 1478 કરોડ કરતા વધુના રોકાણને મંજૂરી, 4136થી વધુ નોકરીઓનું થશે સર્જન
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
કોહલી-રોહિત નહીં, આ ખેલાડીના નામે છે એશિયા કપમાં સૌથી વધુ સદી, લીસ્ટ જોઈને ચોંકી જશો
કોહલી-રોહિત નહીં, આ ખેલાડીના નામે છે એશિયા કપમાં સૌથી વધુ સદી, લીસ્ટ જોઈને ચોંકી જશો
ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી આ છ બીમારીઓમાંથી મળશે છૂટકારો
ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી આ છ બીમારીઓમાંથી મળશે છૂટકારો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
Embed widget